સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એકનાથ/જનાર્દન જોવા છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સાખર દિસે પણ ગોડી ન દિસે : તી કાય ત્યાં વેગળી અસે? તૈસા જનીં આહે જનાર્દન : તયા તેં પહાવયા સાંડી અભિમાન! કાપુરા અંગી પરિમળુ ગાઢ : પાહતાં ઉઘડા કેવી દિસે? તૈસા જનીં આહે જનાર્દન : તયા તેં પહાવયા સાંડી અભિમાન! પાઠપોટ જૈસે નાહીંચ સુવર્ણા : એકા જનાર્દની ત્યાપરી જાણા! સાકર દેખાય છે, પણ મીઠાશ નથી દેખાતી; પરંતુ તેથી એ કાંઈ તેનાથી અલગ થોડી જ છે? એ જ રીતે જનતાની અંદર જનાર્દન વસેલો છે; તેને અભિમાન ત્યજીને જ જોઈ શકાય. કપૂરની અંદર ગાઢ પરિમલ ભરેલો હોય છે, પણ તે નજરે દેખાય કેવી રીતે? એ જ રીતે જનતાની અંદર જનાર્દન વસે છે; તેને અભિમાન છોડીને જ જોઈ શકાય. સુવર્ણને જેમ પેટ કે પીઠનો ભેદ નથી, તળેઉપર બધે કેવળ સુવર્ણ જ છે, તેમ જનાર્દનનું પણ જાણો. [જમીનવિહોણા ગરીબો માટે ભૂદાન મેળવવા વિનોબા ભાવેએ ૧૯૫૧માં આરંભેલી દેશની પદયાત્રા દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતી વેળા ટાંકેલું પદ.]