સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/અશ્રુપાત નહીં — આંતરવ્યથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આખા રાષ્ટ્રમાં ઘૂમનારા પરદેશી વિદ્વાને કાઠિયાવાડના તળપદા સંસ્કારધનમાં દેખેલું આ સૌંદર્ય અત્યારે છેલ્લા શ્વાસ ઘૂંટી રહેલ છે એના પર હું અશ્રુપાત કરવાનું કોઈને કહેતો નથી. કાળનું ચક્ર ફરે છે તે સારાને માટે જ છે. કાળચક્રના ફરવા સાથે જૂની સ્થિતિનું સૌંદર્ય અલોપ થાય છે, તો નવી અવસ્થાનું રહસ્ય ઉપર આવે છે. વિદાય લેતા કાળને વળામણાં દેતે દેતે આંતરવ્યથા ફક્ત આટલી જ કે એની સંપૂર્ણપણે સુરેખ છબી, એની તવારીખ અને એના યુગબોલ આપણે આપણી અનુભવપોથીમાં અંકિત કરી શક્યાં નથી. [‘જન્મભૂમિ’ દૈનિક : ૧૯૩૯]