સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરોત્તમ પલાણ/આંખો છલકાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિયામાં આવેલી ઉમાશંકરની જમીન ઉપર જઈ ચડ્યા. એનો રખેવાળ નાથુજી ભીલ કહે: “ભણેલા છો?” પછી કહે: “ભણેલો તો અમારો ઉમિયો જ—.” પુષ્કરભાઈએ આ પ્રસંગ ઉમાશંકરને કહ્યો, અને ખર્‌ર્‌ર્ ઉમાશંકરની બેય આંખો છલકાણી.