સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/પશ્ચાતદર્શન થશે ત્યારે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

એકવીસમી સદીને અંતે, ૨૧૦૦ના વર્ષમાં, વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પશ્ચાતદર્શન થશે ત્યારે-

કવિતામાં બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, લાભશંકર અને સિતાંશુની કૃતિઓ;

નાટકમાં જયંતિ દલાલ અને ઉમાશંકરની એકાંકી કૃતિઓ;

ટૂંકી વારતામાં રામનારાયણ અને પન્નાલાલની કૃતિઓ;

નવલકથામાં મુનશી, પન્નાલાલ અને ‘દર્શક’ની કૃતિઓ;

નિબંધમાં કાલેલકર, ભોળાભાઈ, આનંદશંકર, ગાંધીજી, કિશોરલાલ અને સચ્ચિદાનંદની કૃતિઓ;

ચરિત્રસાહિત્યમાં ગાંધીજી, ઇન્દુલાલ [યાજ્ઞિક] અને નારાયણ દેસાઈની કૃતિઓ;

વિવેચનમાં આનંદશંકર, બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકરની કૃતિઓ;

તથા સાહિત્યિક પત્રકારત્વમાં ‘જ્ઞાનસુધા’, ‘વસંત’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’, ‘માનસી’, ‘સંસ્કૃતિ’ અને ‘ક્ષિતિજ’-આટલી કૃતિઓ તો દૂરદૂરથી પણ ઉન્નત શૃંગોની જેમ દૃષ્ટિગોચર થશે. આ કૃતિઓને નતમસ્તકે વંદન.