સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અધ્યાપકો— વિદ્યાર્થીઓ માટે એક આદર્શ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજના સમયે ગુરુ-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો સાવ ક્ષીણ થઈ રહ્યા છે ત્યારે ‘સોનગઢનો કળાધર’ (લે. સુરેશ જોષી : સં. ગીતા નાયક) પુસ્તક એક સમર્થ શિક્ષકના પ્રેમાળ, વિશાળ વ્યક્તિત્વને આપણી સામે મૂકીને અધ્યાપકો-વિદ્યાર્થીઓ માટે એક આદર્શ પણ રજૂ કરે છે. સાહિત્ય-શિક્ષણ કઈ રીતે આપવું? વિદ્યાર્થી કઈ રીતે ‘સાહિત્ય-પદાર્થ’ને સાચા રૂપે જાણે-પ્રમાણે? શિક્ષકમાં કયા ઉમદા ગુણો હોવા જોઈએ-જેવા પ્રશ્નોના ઉત્તરો પણ આ પુસ્તકની બાય-પ્રોડક્ટરૂપે લઈ શકાય.