સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મૃત્યુનોંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોર્ડ બેસબરોનું અવસાન થયું છે, એવા સમાચાર મળવાથી લંડનના વિખ્યાત દૈનિક ‘ટાઇમ્સે’ તેમની મૃત્યુનોંધ પ્રગટ કરેલી. તેનાથી જરા હેબતાઈ જઈને એ ઉમરાવે ‘ટાઇમ્સ’ને ફોન કરીને કહ્યું કે, “આપના છાપામાં મારી મૃત્યુનોંધ મેં હમણાં જ વાંચી છે.” સામે છેડેથી એક આવેશભરેલો અવાજ આવ્યો : “ઓહો! એમ કે, સાહેબ? તો આપ અત્યારે ક્યાંથી બોલી રહ્યા છો?”