સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાપુ ગાયકવાડ/શાંતિ પમાડે તેને —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શાંતિ પમાડે તેને તો સંત કહીએ;
એના દાસના તે દાસ થઈને રહીએ રે.
કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું;
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?…
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો;
ત્યારે તેની સંઘાતે શીદ જઈએ રે?
વૈદ્યનો સંગ કર્યે રોગ રહ્યો ઊભો;
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?…