સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભિક્ષુ અખંડાનંદ/શુભસંગ્રહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સામયિકપત્રો દ્વારા અનેકવિધ લખાણોનો જે બહોળો પ્રવાહ વહ્યા કરે છે, તેમાં કોઈ કોઈ લેખ રત્ન જેવા હોય છે તે પણ બીજાં સામાન્ય લખાણો ભેગા સ્વલ્પ સમયમાં હંમેશ માટે નષ્ટ થઈ જાય છે. એ વિશેષ ઉપયોગી લેખોને ચૂંટતાં ચાલી તેને ગ્રંથરૂપે દીર્ઘાયુષી અને જનસમાજના સદા માટે વફાદાર સાથી બનાવવા, એ પણ એક અગત્યનું સેવાકાર્ય છે. તેથી આજથી બારેક વર્ષ પર એક લેખસંગ્રહ ગુજરાતી લિપિમાં અને હિંદી ભાષામાં છપાયો હતો. એના નિવેદનમાં એવા સંગ્રહોની આવશ્યકતા અને હિતાવહતા વિશે કેટલુંક જણાવાયું હતું. તેમાંનો ઘણો ભાગ આ નીચે (સહેજ ફેરફાર સાથે) અપાય છે : તીસ કોટી જનસંખ્યા કો ધારણ કરનેવાલે યહ વિશાલ ભારતવર્ષ કો અપને હી પૈદા કિયે હુએ ઔર બઢાયે હુએ ભેદભાવ, સ્વાર્થવૃત્તિ ઔર દ્વેષાદિ દૈત્યોં કી દુષ્ટતા સે કૈસી કૈસી કાતિલ દુર્દશાયેં ઈ. સ. ૧૦૦૦ કે બાદ ભોગની પડી; ઔર ઉનકે મારે વહ અપની અસલી દશા કો તો ક્યા, પરંતુ તત્કાલીન દુર્દશા કો ભી ભૂલતા હુઆ કૈસી બેહોશી મેં ગિર પડા થા, યહ દુખપ્રદ બાત યહાં યાદ આ જાતી હૈ. કોઈ ભી પ્રજા કે ઉપર કિસી મહાપીડા કા આ પડના ખુદ ઉનકા હી કોઈ ભારી દોષ કે બિના નહીં બન સકતા. જહાંતક ઉનકે અપને અંગ મેં કોઈ મુખ્ય અવગુણરૂપી અંતઃશત્રુ ઉદિત હોકર બઢ જાતા નહીં, વહાંતક મકદૂર નહીં કિસી બાહ્યનિમિત્ત કી કિ વહ આકર ઉનકો સતા સકેં. સ્થૂલદૃષ્ટિ સે ભલે હી કહા જાવેં કી ભારત કો સતાને ઔર ગિરાને વાલી અમુક બાહર કી પ્રજા અથવા વ્યક્તિયાં થી; પરંતુ યથાર્થ દૃષ્ટિ સે દેખા જાય તો વહ સબ માત્ર બાહ્ય નિમિત્તરૂપ હી થી ઔર સચ્ચે તો વહ અંદર કે હી શત્રુ થે. અવગુણરૂપ અંતઃશત્રુઓં કે બઢ જાને સે હી દેશ કો સેંકડો વર્ષોં તક બાહ્ય શત્રુ કે અધીન હોકર મહાદુર્દશા ભોગની પડી થી. દેશ કે પુનરુદ્ધાર કે અભિલાષી કોઈ કોઈ સિતારે ભારત કે કાલે ભાગ્યાકાશ મેં ચમક ભી ચૂકે; પરંતુ જહાં તક ગ્યાનરૂપ સૂર્ય કા ઉદય તથા ઉનકી સદ્ગુણરૂપી કિરણોં કા અમલી પ્રકાશ દૂર થા, જહાં તક ઉન અંતઃશત્રુરૂપ નિશાચરોં કા કાબૂ દેશવ્યાપી હો રહા થા, વહાં તક ઉન સિતારોં કા પ્રકાશ સ્થાયી ઔર સુખસંપત્તિદાયક કૈસે હો સકતા થા? શતકોં કે શતકોં તક ઉન મહાશત્રુઓં કી ઘાતક પીડાયેં સહતા આયા થા તો ભી અપને ધર્મરૂપી પ્રાણ કો, યહ બૂઢા ભારત અપને હાડપિંજરવત્ શરીર મેં કાયમ રખ સકા થા. અપને પુરુષોત્તમોં ને પ્રદાન કિયે હુએ શુભ સંસ્કાર કો વહ અબ તક ભી થોડે બહુત યાદ રખ સકા થા. ગૌરાંગ, રામાનુજ, કબીર, નાનક, તુલસીદાસ, જ્ઞાનદેવ, તુકારામ, એકનાથ, નરસિંહ, મીરાં ઇત્યાદિ સેંકડો મહાત્માઓ કી પરંપરા ભારત કે જીર્ણ પ્રાણ મેં ચેતના સિંચન કરતી રહી થી. અબ યહી માર્ગ રહા થા કિ વહ મહાઅંતઃશત્રુ કા અમલ હટતા ચલેં ઔર ભારત મેં જ્ઞાનસૂર્ય બઢને કા પૂરા અવકાશ મિલ જાવે. અપની ઉન્નતિ કે લિયે ભારતવાસીયોં કી તો યહી ફર્ઝ હૈ કી સચ્ચે મિત્રરૂપી સદ્ગુણ — સમૂહ કો અચ્છી તરહ બઢાતે ચલે. વહ મિત્રોં કે નામ સંયમ, સેવાભાવ, સ્વાર્થત્યાગ, ધર્મનીતિ કી વિશુદ્ધિ, જ્ઞાનચારિત્રય કી ઉન્નતિ, આચારવિચારોં કા સુધાર ઇત્યાદિ અનેકાનેક હૈં. સબ સ્થૂલ સંપત્તિયોં કા મૂલ ઐસી અંતરસંપત્તિયાં હી હૈ. માસિકપત્રો મેં છપે હુએ અનેક ઉત્તમોત્તમ લેખ, જો કઈ એક પત્રોં કો પઢને કે સિવા કભી ભી નહીં અવગત હો સકતે હૈં, વહ ઈસ ગ્રંથ દ્વારા સંગ્રહિત હો કર પાઠકબંધુઓં કી સેવા મેં સાદર કિયે ગયે હૈં, સો ઉપરોક્ત હેતુ સે હી કિયે હૈં. દૈનિક, સાપ્તાહિક ઔર માસિકપત્રોં કા સંબંધ સામયિક લેખોં કે સાથ જ્યાદા હોને પર ભી કંઈ એક લેખ ઉસમેં ઐસે આતે હૈં કિ જો કિસી અચ્છે ગ્રંથ કી તરહ સંગ્રાહ્ય ઔર ઉપકારક માલૂમ હોતે હૈં. અંગ્રેજી પ્રકાશક ગણ અપની ભાષા કે ઐસે અચ્છે સુપાઠય લેખોં કે સંગ્રહ સમય સમય પર પ્રસિદ્ધ કિયા કરતે હૈં, ઔર વહાં કે પાઠકગણ ભી ઉન ગ્રંથો કા બડા આદર કરતે હૈં. દેશી ભાષાઓં કે સામયિક પત્રોં સે ભી ઐસે ઉત્તમ સંગ્રહ તૈયાર હો સકતે હૈં, ઔર પાઠકોં કે લિયે વહ રોચક વ ઉપયોગી હો સકતા હૈ. પરંતુ ભિન્ન ભિન્ન સામયિક પત્રોં કે સૈકડોં અંકોં મેં હજ્જારોં લેખ દેખતે-ઉલટાતે હુએ સો-દોસો લેખોં કા પઢને યોગ્ય નિકલ આના ઔર ઉસકો પઢને કે બાદ દસ-બીસ લેખ વિશેષતાયુક્ત મિલ જાના; ઔર ઈસી તરહ મિલે હુએ સૌ-દો સૌ લેખ એકત્ર કરને કે બાદ ઉન કો કંઈએક બાર પઢ પઢ કે ઉનમેં સે અધિક ઉપયુક્ત બીસ-તીસ લેખ ચુને જાના : ઐસા કામ જિસને કભી કિયા હોગા વહી જાન સકતા હૈ.

મનમાં એમ થયા કર્યું છે કે ગ્રંથમાળા દ્વારા અથવા જુદા માસિકરૂપે ઉત્તમ લેખોના આવા સંગ્રહો આપ્યા કર્યા હોય તો કેવું સારું! આ સેંકડો પડવાળી પત્રવલિમાં જે જે વાનીઓ સમાયેલી છે તેમાં કાંઈ પણ હિતાવહતા જણાય, તો તેનો સર્વ યશ તેને તૈયાર કરનારા વિદ્વાનોને જ આપવો જોઈએ. આ સેવકે તો તેમની તૈયાર કરેલી વિવિધ પ્રકારની હજારો વાનીઓમાંથી યથામતિ જે જે પીરસવા જેવી લાગી, તે માત્ર પીરસવાનું જ કામ બજાવ્યું છે. કઈ ચીજ જમવી ને કઈ ન જમવી, કઈ ચીજ સારી લાગવી ને કઈ ખરાબ લાગવી, એ તો પ્રત્યેક જમનારની પોતાની સ્થિતિ અને રુચિ ઉપર છે.


[‘શુભસંગ્રહ’ : ભાગ ૨માં ૧૯૨૭માં કરેલ નિવેદન]