સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભીમરાવ આંબેડકર/પગ પર કુહાડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પોતાનો અલગ કોમવાદી પક્ષ બનાવવો, એ લઘુમતીના હિતમાં નથી. કેમ કે જો લઘુમતી પોતાનો કોમવાદી પક્ષ બનાવશે, તો પછી બહુમતી પણ પોતાનો કોમવાદી પક્ષ બનાવશે — જે સ્વાભાવિક રીતે જ મોટો ને બળૂકો હશે. એ રીતે બહુમતીને પોતાનું કોમવાદી રાજ સ્થાપવાનું સહેલું થઈ પડશે. એટલે, પોતાની સલામતી માટે પણ લઘુમતી જો કોમવાદી પક્ષ બનાવે, તો એ પોતાના જ પગ ઉપર કુહાડો મારવા બરાબર થશે.