સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“નહીં પરણું”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક ભંગી યુવાન રઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો કે તે પરણવાનો નહિ. અમે કારણ પૂછતા, તો કહેતો: “હું પરણું તો મારી ઘરવાળીને મારે માટી (માંસ) લાવીને આપવી પડે. પણ એ મૂએલા ઢોરની માટી ખાય એ મને ગમે નહીં, અને તેને તો એના વિના ચાલે નહીં. એટલા માટે હું નહીં પરણું.” આ પચાસ વરસ પરની વાત છે. આ રઘો હજી જીવે છે અને તે પરણ્યો નથી. આમ ભંગીમાંયે તપસ્વી છે. તો શું તેને ભંગી કહીને આપણે દૂર ઠેલીશું?