સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/‘જ્ઞાનેશ્વરી’ અને ‘કેન્ટરબરી ટેઇલ્સ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. એક દાખલો આપું. ‘કેન્ટરબરી ટેઇલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મેં વાંચ્યા છે, બંનેનો અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઇલ્સ’માં નથી. અને વળી ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી; તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૫]