સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/લોકડિયાંને ચરણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જનસમૂહને રીઝવીને તાળીઓ ઉઘરાવનાર, સરકારી પ્રતિષ્ઠાઓની માન્યતા પામનાર, લોકોમાં પોતાની ‘ઇમેજ’ ઊભી કરવા મથ્યા કરનાર, આ કે તે સ્થાન મેળવવા માટે પડાપડી કરનાર, સાહિત્યકારને વિશે કોઈ કશું કહે છે તો મારું મન સાશંક બની જાય છે. એ સરસ્વતીને ચરણે બેઠો નથી, લોકડિયાંને ચરણે બેઠો હોય એવું લાગે છે. લોકો રખેને પોતાનાથી વિમુખ થઈ જાય એવો ભય એને સદા સતાવ્યા કરે છે; લોકો સાહિત્યથી વિમુખ થાય એની એને ઝાઝી ચિન્તા નથી. લોકો સહેલાઈથી જેની સાથે તાળો મેળવીને સંમતિસૂચક માથું હલાવે એવા જ અનુભવની એ વાતો કરે છે. [‘પશ્યન્તી’ પુસ્તક]