સહરાની ભવ્યતા/પન્નાલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પન્નાલાલ


કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વરપેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવાઠીક રહેશે.

“ઉમાશંકરનું એક કાવ્ય છે: ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાળા.’ આ કાવ્યમાં એમ છે કે એક અટૂલી છોકરી પોતાના લગ્નપ્રસંગેપોતે જ પોતાનું ઘર શણગારે છે ને પોતાના લગ્નનાં ગીત પણ પોતે જ ગાય છે એવી જ કંઈક પ્રવૃત્તિ મેં પણ મારી ષષ્ટિ માટે શરૂ શરૂમાંઆદરી હતી.” (આભાર, વીણેલી નવલિકાઓ, 1973)

આવું નિવેદન પન્નાલાલ જ કરી શકે. એવા ઘણા સજ્જનો હશે જેમણે પોતાની ષષ્ટિપૂર્તિનાં ચક્રો ગતિમાન કરીને અજાણ્યા થઈ જવાનીહોંશિયારી કરી હશે. પન્નાલાલની હોંશિયારી એ કે જે જોઈતું હોય એ કહી દે. એમને થયું કે આપણે પણ થોડીક ચોપડીઓની વધુ નકલોછાપીને સસ્તા દરે વેચીએ. લોકો વાંચે ને એમાંથી બે પૈસા મળે તો પ્રકાશનનું કામ ચાલે. કદાચ શ્રી મહેન્દ્ર મેઘાણીની આપણો સાહિત્યવારસોની યોજનાએ એમને પ્રેર્યા હશે. સારું થયું. એમને સફળતા મળી, એમને શુભેચ્છા.

વડાલી ગામે જ્ઞાતિજનોનો મેળાવડો હતો. ત્યાં પન્નાલાલ, અરવિંદ અને હું ગયેલા. ‘આપણા લોકને ષષ્ટિ એટલે શું એનો ખ્યાલ નહીં હોય’ એમ કહીને એમણે વ્યાખ્યાનનો આરંભ કર્યો હતો. બધાને રસ પડ્યો હતો. મેં જોયું છે કે વક્તા તરીકે પન્નાલાલ ક્યાંય કદી પાછા પડતાનથી. એ સુધારાની વાત કરતા નથી, અનુભવથી બોલે છે, હસાવે છે. શ્રોતાઓ શહેરના હોય કે ગામડા ગામના પણ સહુ રસથી બલ્કેવિશ્વાસથી સાંભળે. કોઈને ન સાંભળતા પન્નાલાલની નિખાલસતા સહુને ગમે. નિખાલસતા કુદરતી છે, એમના મોંનો એક નૈસર્ગિક ભાવ છે, ઉપરાંત અભિનય અને કોઠાસૂઝથી અસરકારક બનેલી છે એની કોઈને ખબર પડતી નથી તેથી લાભશંકર આદિ નવલેખકો પણપન્નાલાલના વ્યક્તિત્વ અને લેખનના કાયમી પ્રશંસક છે.

સાહિત્ય પરિષદના 30મા સંમેલનના સર્જન વિભાગના પ્રમુખ તરીકે એમણે વ્યાખ્યાનને અંતે સહેજ જુદા સંદર્ભમાં કહ્યું કે પન્નાલાલ એટલેઘંટ માણસ અને વળી હવે તો અષ્ઠઘંટ પણ ખરો! પોતાના આ લક્ષણને ઠસાવવા એ ઘણી વાર બાળપણનો એક કિસ્સો કહે છે. ગાડામાંભારે ભીડ હતી ને બેસવાનું જરાય ઠેકાણું ન હતું. પોતે ઊલટી આવવાનો દેખાવ યોજીને કેવી આરામની જગા મેળવી હતી! આવી થોડીગમ્મતની વાતો પરથી પન્નાલાલ વિશે અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરવા જેવી નથી. એ જ રીતે એમની કાયાની આજની આકૃતિ પરથીએમની કિશોર અવસ્થાના ‘રંગરંગી વ્યક્તિત્વ’નો ખ્યાલ આવી શકે તેમ નથી. ઉમાશંકરે ‘અલપ–ઝલપ’ની પ્રસ્તાવનામાં લખ્યું છે:

‘શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો — બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તોલોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો — કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજું છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષક વસ્તુ તે હતી એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એએક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચારતા.’

પન્નાલાલના ચકોરપણાની, સહજ મુત્સદ્દીગીરીની પણ એમના આ પંચવર્ષીય સહાધ્યાયીએ યાદ આપી છે: ‘પોતે પહેલો નંબર રાખી શકેએટલા અભ્યાસીની શક્તિ નથી તો શા માટે બીજી રીતે પહેલો નંબર મેળવીને ઇર્ષા જગવવી? એના કરતાં બીજા કોઈને પહેલો ગોઠવીનેપોતે બીજા નંબરનું આસન સાચવી રાજા નહીં પણ રાજ્યપદે સ્થાપનાર (કિંગમેકર) તરીકેની પ્રતિષ્ઠા શા માટે ન મેળવવી? આવી એમનીપહોંચ હતી, સમજદારીની એમની કક્ષા જ જુદી હતી.’ ભણે સાથે પણ ઉમ્મરમાં ઉમાશંકર ઘણા નાના. પન્નાલાલે આઠ–દસ વર્ષ પાછળથીલખવું શરૂ કર્યું, પંચોતેરમી વર્ષગાંઠ પણ બે વર્ષ પછી ઊજવી તેથી છાપ એવી પડે કે ઉમ્મરમાં એ નાના હશે તેથી ઉમાશંકરે ખાસચોખવટ કરવી પડી છે કે ‘નાનપણમાં હું એમનાથી નાનો હતો.’

સંગીત, પ્રેમની અનુભૂતિ, જીવનની અનુભવશાળાનું કપરું બલ્કે નિષ્ઠુર શિક્ષણ એમના સર્જક વ્યક્તિત્વને ઘડે છે. એ ગાંધીવાદની ભલેઆડેધડ ઠેકડી ઉડાડે પણ અરવિંદ દર્શનમાં માને છે તેથી આદર્શોના વિરોધી છે એમ તો ન જ કહેવાય, પણ એ જાહેરમાં કહેવાના કેભાવના અસત્ છે. ‘કંકુ’ વાર્તામાં રા. વિ. પાઠકને કંકુ અને શેઠના દૈહિક મિલનમાં ચારિત્ર્યની શિથિલતા દેખાઈ, તેથી છાપી નહીં. પણપન્નાલાલે વાર્તામાં સહેજે ફેરફાર ન કર્યો. મન–શરીરના વાસ્તવની એમની પ્રતીતિ સાચી પડી અને ‘કંકુ’ પર ઊતરેલું ચલચિત્ર પુરસ્કૃતથયું. પન્નાલાલ ભારપૂર્વક કહેશે કે હું સાચો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર મળતાં પ્રતિભાવ આપ્યો: ‘હું ઉઘાડો પડી ગયો છું.’ આનેવ્યાજસ્તુતિ માનીએ તો પણ ‘જિંદગી સંજીવની’ નામે સાત ભાગમાં લખેલી આત્મકથનાત્મક નવલકથામાં એમનો કથાનાયક જાણે કે કશોદાવો કરવા નહીં, એકરાર કરવા જ નીકળ્યો છે! અને એમાંથી જ લાગણીનો પિંડ બંધાતો જાય છે. પોતે કથાના પાટે પાટે મનમાં ઊંડાઊતરવા મથ્યા છે. ‘મળેલા જીવ’માં કોઈ પણ પ્રકારની સભાનતા વગર ‘વાસંતી જીવનનો અર્ક’ આપી શક્યા એના મૂળમાં મનને તાગવાનોપ્રયત્ન રહેલો છે. પ્રેમનું નિરૂપણ ભલે રંગદર્શી હોય, કુંવારી ભાષામાં પ્રગટેલા ભાવાંકુરો વિરલ છે.

વતન માંડલી હવે રાજસ્થાનમાં ગણાય છે. પનાભાઈ ભણ્યા મેઘરજની શાળામાં, ઇડરના રાજકુમારે ગીત સાંભળી હુકમ છોડ્યો: ‘ટાબરાનેઇડર બોર્ડિંગમાં ભેજ્યો જાય!’ ત્યાં આઠ ચોપડી ભણ્યા. પછી ગામમાં દુકાન કરી. ન ચાલી. ડુંગરપુર નજીક બોરીની ડિસ્ટિલરીમાં માસિકસાતના પગારે નોકરી કરી, પછી બારના પગારે વેયર હાઉસમાં મૅનેજર થયા. ‘સાગવાડામાં કદી ગાવું નહીં’ — એક વડીલે સલાહઆપેલી. ગામ રોમેન્ટિક ગણાતું તે પન્નાલાલ ત્યારે સુંદર યુવાન હતા. કપડાં પણ સારાં કરાવે.

વચ્ચે છ–આઠ માસ ગામ રહી, ખેતી કરી, ડુંગરપુરમાં વૉટર વર્કસમાં કામે જોડાયા. પાઈપ કાઢ્યા, આંટા પાડ્યા. પછી અમદાવાદ નોકરીલીધી. ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ફરતી પાળીએ ઑઈલમેનનું કામ કરવાનું. ઘેર આવી શેઠના કુટુંબના પુરુષવર્ગનાં કપડાં ધોવાનાં, ઝાડુંકાઢવાનું. શેઠાણી ન હોય ત્યારે રસોઈ પણ ખરી. દિવસના સોળ–સત્તર કલાક કામ. એ દરમિયાન ગીત ગણગણવાની આદત ટકી રહીહતી. રોટલો ગળે પડેલો હતો તેથી અસહકારની લડતને જલકમલવત્ જોઈ રહેલા.

ત્યાં 1936ના નવેમ્બરની પહેલી તારીખ આવે છે. ગાંધીજીના પ્રમુખપદે મળેલી સાહિત્ય પરિષદમાં મુંબઈથી આવેલા ઉમાશંકર પ્રેમાભાઈહૉલ પાસેની એટ હૉટલમાં ચા પીતાં પીતાં કહે: ‘પન્નાલાલ, લખો તમે.’ ખરાખોટાની કેમ ખબર પડે? તો ‘આ રહ્યા સુન્દરમ્અમદાવાદમાં.’ પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં ગાંધીજીએ શ્રમજીવી પણ માણી શકે એવા સર્જન પર ભાર મૂકેલો. અમદાવાદમાં કેવીસમાન્તર ઘટનાઓ બને છે! પચીસ સો વર્ષની ભદ્ર–સંસ્કૃતિની સાહિત્યસાધના પછી ભારતમાં પન્નાલાલ જેવો એક શ્રમિક શબ્દસેવી બનેછે!

સુન્દરમે પાઠકસાહેબનો ભેટો કરાવી આપ્યો. ‘ફૂલછાબ’ અને ‘પ્રસ્થાન’માં વાર્તાઓનું પ્રકાશન. મેઘાણીએ મોકળે મને આવકાર્યા.

પાછા વતન ભણી. ‘કમ ખાઈશું ને ખુશ રહીશું.’ ત્યાં મુંબઈથી ‘મળેલા જીવ’ નિમિત્તે ‘ફિલ્મ સ્ટોરી રાઇટર’ થવાનું આમંત્રણ મળે છે. જાયછે. આજના જગતના ‘સ્વર્ગ’માં ચાર વર્ષ વીતે છે. ત્યાંથી એકવાર ગામ ગયેલા. ડુંગરપુર રાજ્યના દારૂ પીધેલા આઠદસ સિપાઈઓએપન્નાલાલને ગાંધીવાદી માની લઈને બૂટથી મૂઢ માર મારેલો. સારવાર મળતાં બચી ગયેલા. પણ પછી ક્ષય થયો. એનાં મૂળિયાં નંખાઈ ગયાં. પહેલાં બે બાળક મરણ પામેલાં. એ કારણે પણ શૂન્યતા વ્યાપેલી. દેવું થયેલું. એ બધામાંથી બહાર આવવા ‘ના છૂટકે’ લખવા બેઠા. એ કથાઅધૂરી મૂકી, અગાઉ બે વાર લખાયેલી ‘માનવીની ભવાઈ’ ત્રીજી વાર હાથ પર લીધી. પ્રકાશકને સોંપી. 1947નું વર્ષ. ગામમાં નવા મકાનનુંવાસ્તુ અને ક્ષયનો જીવલેણ હુમલો. હાડપિંજર જેવી હાલતમાં મુંબઈ ગુલાબદાસને ત્યાં પહોંચેલા. પ્રકાશક આર. આર.ના ભુરાભાઈપહેલી નકલ આપી જાય છે. પન્નાલાલ એ નકલ જોઈ રહે છે. ‘કૂવાવાળા ખેતરનો માળો સાંભરે છે, ઘર યાદ આવી જાય છે ને એક આછુંધ્રૂસકું નંખાઈ જાય છે…’

પંચગનીમાં નવેક માસ સારવાર. 1949ના નવેમ્બરમાં પાંડીચેરી. શ્રી અરવિંદ અને માતાજીનાં દર્શન. પાછા વતન. બે વર્ષ પછી રોગફરીથી માથું ઊંચકે છે. સૌરાષ્ટ્રની જીંથરીની મહેતા હૉસ્પિટલમાં:

‘બરાબર બેસતા વર્ષના સુપ્રભાતે હું તથા મને મૂકવા આવેલા ઉમાશંકર બેઉ જણ દવાખાનામાં પહોંચ્યા હતા ને નવા વર્ષના સૂર્યનાં દર્શનઅમે બેઉએ દવાખાનાના પ્રાંગણમાંથી કર્યાં હતાં.’

વરસ દહાડે સાજા થતાં છસાત વર્ષથી થંભી ગયેલી લખવાની ક્રિયા શરૂ કરે છે. 1958થી બાળકોના શિક્ષણ નિમિત્તે અમદાવાદ રહેવાઆવે છે. લેખન ફરજિયાત બને છે. આજીવિકા માટે નિષ્ઠાથી લખે છે. પછી તો પ્રકાશન સંસ્થા પણ શરૂ કરે છે. લેખન–પ્રકાશનની આસંસ્થા નેપથ્યે કેવો કરુણ ભવ્ય ભૂતકાળ પડેલો છે! મિત્રોની મદદ સહેજે ઓછી ન હતી છતાં રાવજી જે જીવન જીરવી ન શક્યો એપન્નાલાલ જીવ્યા છે; જતનથી. મૂંગા પુરુષાર્થનું દૃષ્ટાંત બની શક્યા છે.

એ કહેતા કે મારી કલમને પ્રેમપદાર્થ વધારે ફાવે છે ને ભાવે પણ છે. એ માનતા છે કે વિવેચકોની સમજ અને જ્ઞાન સારા પ્રમાણમાં મર્યાદિતહોય છે. સાહિત્ય પદાર્થ પામવા માટે પથ્થર લઈને બદામ ભાંગવા બેસવું પડે એને બદલે સીધેસીધો આનંદ શો ખોટો? જૂના પ્રવાહને માત્રકથા કહીને ઉતારી પાડનાર સામે એમને વાંધો હતો: ‘કથા તો માત્ર પાટા છે ને એની દ્વારા ગતિ કરતાં પાત્રો જ મુખ્ય બાબત છે.’ માનવીની ભવાઈમાં દુકાળની પરિસ્થિતિમાં કાળુ જુએ છે કે માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. ભૂખની આત્યંતિકતાએ એ માનવીય ગૌરવકેવી સહજ રીતે સૂચવી રહે છે: ભૂખથી પણ ભૂંડી છે ભીખ.

આઠમા દાયકામાં એમણે મુખ્યત્વે પૌરાણિક નવલકથાઓ લખી છે. શિવ–પાર્વતીને તો એ ભારત સમગ્રમાં અપૂર્વ અને અનન્ય કહે છે. એમની આ જાહેરાતનો વિરોધ કરવાની હિંમત ચાલતી નથી કેમ કે એમની એક રાજકીય આગાહી ઘણા સાહિત્યકારોની ઇચ્છા વિરુદ્ધસાચી પડી છે. પૌરાણિક કથાઓમાં યુગને અનુરૂપ અર્થઘટન કરવાને બદલે એ અસલને નિરૂપવામાં માનતા. મૂળના કથાનકો પરથી ભાવનાખંખેરી નાખવા માગતા. એમને ચમત્કારોનો લેશમાત્ર બાધ નહોતો, કેમ કે, ‘એ યૌગિક શક્તિઓ હોય છે, આધ્યાત્મિક વાસ્તવિકતાઓહોય છે.’ શ્રી અરવિંદનો યોગ એમને માટે પલાયન નથી. આપણું જીવન બે મૃત્યુઓ વચ્ચેના સમયગાળા જેવું છે. એને યોગ દ્વારા ઇચ્છામુજબ લંવાબી શકાય એવી શ્રદ્ધાથી પન્નાલાલ આપણને સહુને અહંકેન્દ્રિત પુરુષાર્થવાદી કહીને પોતાને સમર્પણવાદી તરીકે ઓળખાવતા.