સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જશોદાનો દેવકીને સંદેશો
Jump to navigation
Jump to search
૩. જશોદાનો દેવકીને સંદેશો
ભાલણ
ઉદ્ધવ કહેજો, દેવકીને એક વાત રે :
ખોળે બેસારી મેં ધવરાવ્યો, હસતું વદન મેં દીઠું રે
કરે કરી નવનીત માગતો પ્રેમે કરતાં લાડ રે,
મુખ માંહે મુને દેખાડ્યું, તે ન દેખે બ્રહ્મા ઈશ રે,
આંખ આંજતી ને તિલક કરતી, વહાલો અધવચ જાતો નાસી રે;
ગિરિ ગોવર્ધન કર શું તોળ્યો, ગોકુલ રાખી ગાય રે;
રંગે રાતો, વાંસળી વાતો, રમતો અજીર મુઝાર રે,
ગોપી જે વારે ઓલંભે આવતી, જૂઠો જૂઠો રોતો રે,
ગૌધન ચારી ઘેર આવતો ત્યારે દેતી સાંઈ રે,
પુનરપિ દ્વાપર, ગોકુલ માંહે કહાનજી અવતરશે રે,
સ્વાધ્યાય
૧. ગોપીઓ કોને કોને કૃષ્ણ વિષે પૂછે છે? ભાળ કાઢવામાં નિષ્ફળ જતાં શું કરે છે?
૨. દેવકીને કૃષ્ણ શો ઉત્તર આપે છે?
૩. જશોદા દેવકીને શું કહેવરાવે છે? બંનેમાં કોનું ભાગ્ય મોટું?