સુંદરમ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત', ‘ત્રિશૂળ', ‘મરીચિ’, ‘સુન્દરમ્' (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક, જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જયોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા'ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસને પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉક્ટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્ધ, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી પુરીની નગરરચનામાં કાર્યરત. એક છેડે ગાંધીભાવનાના પશે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદ વિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાને નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે છે ને માર્મિક દૃષ્ટિબિદથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધી યુગના સર્જકોમાં પ્રથમ પંકિતમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો' (૧૯૩૩) સુન્દરમ્ ને પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીરૌનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાને આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક કયાંક સૌન્દર્યપ્રતિષ્ઠા ની ચમત્કૃતિ આહલાદક છે. કાવ્યમંગલા' (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચાર સરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેને સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિક વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા' (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વધી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ‘૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. યાત્રા' (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દૃષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. કાવ્યમંગલા'ના ‘ક્યહીં ધ્રુવપદ?'નો જવાબ ‘યાત્રા'માં ‘આ ધ્રવપદ' કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં'(૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાને અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગ શીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. સુન્દરમ્‌ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મકમાંગણી કરતી, પુરોગામી વાર્તાના કલા કસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો' (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી લૂટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ગોપી’, ‘પૂનમડી’, ‘આ નસીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ખેલકી અને નાગરિકા' (૧૯૩૯)માં ‘નાગરિક', ‘નારસિહ અને ખેલકી’ જેવી વાર્તાઓમાં વિવાદાસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણ સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખેલકી'માં તે પતિસમાગમ પર્યત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોને. આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી' (૧૯૪૦) ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુમાં સમાજના અભદ્રકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે'ની કર્ણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ખેલકી અને નાગરિકાની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. તારિણી' (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓને સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે, સુન્દરમ્‌નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતલ સમીક્ષા કર્યા પછી અર્વાચીન કવિતા' (૧૯૪૬) એમને પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્ત્વયુકત અને તલગામી ઇતિહાસપ્રવાહ ાપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના' (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાધ પદ્યનાં અવ લોકનો અને ઉત્તરાર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલેકની પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદૃષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમાં અને બીજા કાવ્યોથીમાંડી ‘હિંડોલ’ સુધીના તેમ જ ‘સેરઠી બહારવટિયા’ - ભા રથીમાંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરુ') સુધીને અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથે પૈકી ‘સાહિત્યચિંતન' (૧૯૭૮) અને ‘સમર્ચના (૧૯૭૮) સાહિત્યવિષયક છે. સાહિત્યચિંતન'માં વિવિધ તબક્કો લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખે છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલ છે. ‘સમર્થના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખે છે, જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાતથી માંડીને ગાંધીજી, કાલેલકરને એમાં સમાવેશ છે. ‘વાસની પૂણિમા' (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે, એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગુંથ્યા છે. છેલ્લું મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી, એક તે આયરિશ કવિ ડબ્લ્યુ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે. ‘પાવકના પથે' (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડે આસ્વાદ્ય બન્યા છે. ‘દક્ષિણાયન' (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજ સામગ્રીને ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્ત્વના છે. ચિદંબરા' (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખન તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે, તંત્રીને, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંક જીવનચરિત્ર છે. ગોવિંદસ્વામીની રચનાઓને કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા' (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. ‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક' (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ' (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો' (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો' (૧૯૫૧), ‘સાવિત્રી' (૧૯૫૬), ‘કાયાપલટ' (૧૯૬૧), પત્રાવલિ' (૧૯૬૪), ‘સુંદર કથાઓ(૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી' (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજા કાવ્યો' (૧૯૬૯), ‘ઐસી હૈ જિદગી' (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે.