સુરેશ જોષીથી સુરેશ જોષી
Jump to navigation
Jump to search
કૃતિ-પરિચય
‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર