સુરેશ દલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દલાલ સુરેશ પુરુષોત્તમદાસ, ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’ (૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર. કૉલેજ ઑવ્ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ રાધી કે. જે. સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘર’ (૧૯૭૧), ‘અસ્તિત્વ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ (૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૧), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને પવનના અશ્વ’ (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધ પાત્ર ગીત એ એમનું મહત્ત્વનું પ્રદાન છે. આ સંગ્રહની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ધીંગામસ્તી’ (૧૯૬૩), ‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિંગાટોળી’ (૧૯૭૧), ‘છાકમછલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોનો સંગ્રહ છે. ‘પિનકુશન’ (૧૯૭૮) એમની વાતો સંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’ – ભા. ૧-૨ (૧૯૭૫), ‘સમી, સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા (૧૯૮૨), મેજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. વિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઇઝેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથ છે. સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’ (૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત પાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે. એમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂ’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમજ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.