સોરઠિયા દુહા/112

From Ekatra Wiki
Jump to navigation Jump to search


112

સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો, વેંચી ન લિયે કોય.

હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ જાય છે.