સોરઠિયા દુહા/131

From Ekatra Wiki
Jump to navigation Jump to search


131

જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં;
(તો તો) ખાંપણમાંય ખતા, (મુંને) મરણ સજાયું નહ મળે.

હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!