સોરઠિયા દુહા/6

From Ekatra Wiki
Jump to navigation Jump to search


6

તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ,
કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.

શરીર જેનાં નિર્મળ છે, મન જેનાં ઊજળાં છે, પ્રેમની લાગણી જેઓ મનની અંદર રાખે છે, કોઈનું બૂરું ચિંતવતા નથી, તેવા પુરુષોને રંગ ચડાવજો.