સોરઠિયા દુહા/61

From Ekatra Wiki
Jump to navigation Jump to search


61

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ;
(ઈ) મંદિર નૈ મસાણ, સાચું સોરઠિયો ભણે.

ઘેર આવેલા પરોણાનો જે પૂરા પ્રેમથી આદરસત્કાર ન કરતાં હોય તેમનાં ઘર જીવતાં માણસનાં ઘર નહિ પણ સૂના સ્મશાન સમાન છે, એવું સોરઠિયો કહે છે.