સોરઠિયા દુહા/73

From Ekatra Wiki
Jump to navigation Jump to search


73

સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે;
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!

હે નાથિયા! સુખમાં તો સંસારનાં સહુ માનવી તારા હેતુ-મિત્ર થવા આવશે. પણ જે દિવસે તારે માથે આપદા ને દુઃખ આવશે તે દિવસે કોઈ તારી સામું પણ નહિ જુએ.