સોરઠી બહારવટીયા - 2/૧૮.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮.

[૧]કોડીનાર મારીને જાય ઓખાનો વાઘેર કોડીનાર મારીને જાય! ગોમતીનો રાજા કોડીનાર મારીને જાય!

આમથણે નાકેથી ધણ વાળીને ઉગમણે નાકે લઈ જાય– ઓખાનો૦

નીસરણીયું માંડીને ગામમાં ઉતર્યાં ને બંદીવાનની બેડીયું ભંગાય–ઓખાનો૦ કીનકેઈડ સાહેબે બહારવટીયાનાં આવાં કેટલાંક કાઠીઆવાડી રણગીતોને “Ballad” નામ આપી, અંગ્રેજી ભાષામા ઉતાર્યાં છે. પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીત કરતાં સરસ થાય છે. અને કેટલાક વાર તો જૂનાં સાથે મીંડવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું Ballad આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દિસે છે. એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી. કેટલીક કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે કોડીનારનો ધણી કોઈ ન થાય-ઓખાનો૦

દાયરો કરીને કસુંબા રે કાઢીયા ને સાકરૂંના ડુંગા વેંચાય–ઓખાનો૦ રંગડા વાઘેરને દેવાય–ઓખાનો૦

ખરે રે બપોરે બજારૂં લુંટીયું ને માયાના સાંઢીયા ભરાય-ઓખાનો૦

બ્રામણ સૈદુંને દાન તો દીધાં ને ગામમાં મીઠાયું વેંચાય–ઓખાનો૦

ગાયું કેરે ગોંદરે નીર્યાં કપાસીયા ને પાદરે ચોરાસી જમાય-ઓખાનો૦

દેસ પરદેસે કાગળો લખાણા ને વાતું તારી વડોદરે વંચાય–ઓખાનો૦

હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ તારા જસડા ગામોગામ ગવાય–ઓખાનો૦

[૧]

1 O! fair Kodinar, she stands on the cursed mahratta's lands, [In heavens there was neither moon nor star!]

They were waghirs strong and tall and they climbed the loop-holed wall; Then was heard the Banias' wail but their tears had no avail, When the king of Okha looted Kodinar. 2 Then a mighty feast he made for the twice-born and the Dhed, And the sweet-balls they were scattered free and far, Though each Brahmin ate and ate, yet he emptied not his plate, When the lord of Gomti looted Kodinar. 3 And they revelled late and longer, and they chanted many a song. (O his glory there is nothing that can mar And the Bhats for gifts did come and they thumped the kettle drum; When the prince of Dwarka looted Kodi-nar. 4 And he gave with open hand to each maiden in the land As the sat bedecked within the bridal car, Though the sports they scarce could tell, not a single waghir fell; When Jodha Manik looted Kodinar. “કોડીનાર ભાંગવા આવું છું. આવજો બચાવવા!” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગિરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો. આખી ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઉભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંદૂક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી. “વાહ જમાદાર!” વાધેરોએ એ વીરને નીચે ઉભાં ઉભાં પડકાર્યો; “શાબાસ ભાઈ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નીમક સાચું કર્યું. હવે બારો નીકળી જા, તારે માર્ગે પડ, તારૂં નામ કોઈ ન લીયે.” આવી શાબાસીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદૂર, પણ મનની મોટપનો છાંટો ય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરીવાર એને ચેતાવ્યો કે “જમાદાર! જબાન સમાલો! અને ઉતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.” પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ કાઢવા માંડ્યા. અને દગો કરીને એણે મૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. ભાણેજની લોથ નીચે પડતાં જ વાઘેરોએ જોધા સામે જોયું. જોધાએ આજ્ઞા દીધી : “હાણે કુત્તો આય, સિપાઈ નાંય. હાણે હીંકે હણો! (હવે એ કુતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો!) એ વેણ બોલાતાં જ મીયા માણેકની બંદુક છૂટી. એકજ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો. આદમને ખતમ કરીને જ્યાં દિવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચની એક મેડીમાંથી તોપનો માર થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોધો જોઈ રહ્યો : “આ કોણ જાગ્યો?” જાણભેદુએ કહ્યું “કોડીનારના નગર શેઠ કરસનદાસની એ મેડી, જોધાભા! અરબસ્તાન સુધી એનાં વ્હાણ હાલે છે.” “વાણીએ તોપો માંડી?” “જોધાભા! એ તો નાઘેર કાંઠાનો વાણીઓ : રજપૂત જેવો.” ધડ! ધડ! ગોળા આવવા લાગ્યા, તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરૂબંધ ઉપર મંડાણી. ભેરૂબંધ સમજી ગયો. કાઠીઆવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રજપૂત આંબલી પર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંધીને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો. ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણીઆએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નીસરણી માંડીને ઉઘાડી તલવારે આગળ થઈને ચડ્યો. દરવાનોને ઠાર કરી. દરવાજા ઉઘાડા ફટાક મેલી, પોતાના સરખે સરખા સો જણને અંદર દાખલ કર્યા. બંદુકોમાં આઠ આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી, બેબે ખોબે દારૂ ભરી માણસો જે ઘડીયે હલ્લા કરવાં ચાલ્યા તે ઘડીયે જોધો આંગળી ઉંચી કરીને ઉભો રહ્યો:- “સાંભળી લ્યો ભાઈ! વસ્તીની બોનું ડીકરીયુંને પોતપોતાની બોનું ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મેતા મુસદ્દીઓને હાથ કરજો! પછી વેપારીઓને પકડજો! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો!” ગામમાં પેસીને વાઘેરો છૂટા છવાયા ભડાકા કરવા લાગ્યા, તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટીયાને વિનવવા લાગી કે “એ બાપા! બંદૂકું બંધ કરો. મારૂં ગરીબનું ઘર ભાંગી પડશે.” “શું છે માડી?” જોધાએ પૂછ્યું. “મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરૂ આવવાનું ટાણું છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે." જોધાએ હાથ ઉંચો કરી ગોળીબાર થંભાવ્યા. કાયસ્થ દેશાઇનું ઘર હતું, બહારવટીયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો. “ભાઈ માધવરાય!” એ છોકરાની બ્હેને હાકલ કરી: “રોવે છે શીદ ભાઈ? તું જીવતો રહીશ તો તોડા ઘણા મળી રે'શે, રો મા, માધવરાય!” “માધવરાય” નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એક બીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં! માધુરાય તો અસાંજા ઠાકોર! [આપણે તો માધવરાયના કૂતરા છીએ. માધવરાય તો આપણા પ્રભુ કહેવાય.” એ બાળકને માધવપુરવાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગર લૂંટ્યે બહાર નીકળી ગયા. ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટીયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.” કહેવાય છે કે બહારવટીએ પાંચ હજાર રાળ (Rials નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી નાઘેરમાં ચલણ હતું.) એટલે કે રૂા. ૧૨૫૦૦ દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.” બહારવટીયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંય તળીએ તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટીયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઉકળી રહી છે. ઉપલે માળે જાય તો પાણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથી યે ઉપરને માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તલવારના ગંજ દીઠા, અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી. હસીને બહારવટીઆએ પુછ્યું “કાં શેઠ, શો વિચાર હતો?” નગરશેઠે જવાબ દીધો “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણા છે. મરવું મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છું કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને જો મને ગામની બાયું દીકરીયુંની બેઇજ્જતીની બીક હોત, તો –બડાઈ નથી મારતો ૫ણ-લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારૂં ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક!” “રંગ તુંને ભા! રંગ વાણીઆ! એમ બોલતો બહારવટીયો હેતભરપૂર હૈયે નગરશેઠને બથ ભરી ભેટી પડ્યો. પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટીયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા. “દીકરાઓ!” બહારવટીયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપુ છું.” ગોઠ જમીને બહારવટીયો નીકળી ગયો. [૨]શેઠનો દંડ ન લીધો. સરકારી કચેરીની અને દુકાનોની લુંટ ચલાવી. બીજે દીવસે બ્રાહ્મણોને ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસીઆ નીર્યા. ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા ચારણ બારોટોની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણે દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલે નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું. ન્યાય ચુકાવ્યા, રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગિરના કોઈ વધુ ઘટનાઓ વર્ણવી છે. કદાચ એ ધટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઉડી ગઈ હશે. “Outlaws of Kathiawarના પૃષ્ઠ ૩૮ પર એ લખે છે કે:- I have unearthed the following ballad which is written in a gay, jingling metre, and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards:

  • આ શેઠને પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દિ. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.

વંકા ગાળામાં બેસી કોડીનારની લુંટનો ભાગ પાડ્યો. જોધાએ પૂછ્યું “કુલ આપણે કેટલા જણ?” “એક સો ને બે.” “ઠીક ત્યારે, એક સો ને બે સરખા ભાગ પાડો ભા!” “ના ના જોધા ભા! એમ નહિ બને. તું અમારો રાજા છો. પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.” મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખે સરખા ભાગ પડ્યા. અકકેક માથા દીઠ ત્રણ સો ત્રણ સો કોરી વ્હેંચાણી. અને બારવટીયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરામાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો. તેજ વખતે બરાબર એક વટેમાગું ત્યાંથી નીકળ્યો. એણે શીખામણ દીધી કે “ભાઈ, આંહી કોઈ દાનસ્તું માણસ રાત રોકાતું નથી. એવી વ્હેમવાળી આ જગ્યા છે, પછી તો જેવી તમારી મરજી!” જોધાએ કહ્યું “અરે ભાઈ! ખડીયામાં ખાંપણ લઈને ફરનારાને તો સંધીય જગ્યા સોના જેવી.” પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સુઝ્યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ! મને મુરૂની તો ભે નથી. પણ દેવો ક્યાંઈક લપટશે એવો વ્હેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક—” એટલું વેણ અધુરૂં રહ્યું, ને જોધાનો જીવ ખોળીયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લુગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુ ભેળી થઈ ગઈ. જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ “જોધા આંબલી” નામે ઓળખાય છે. સાંસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઉભી છે.