હનુમાનલવકુશમિલન/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી

હનુમાનલવકુશમિલન
ભૂપેશ અધ્વર્યુ


 

સંપાદકો
રમણ સોની * જયદેવ શુક્લ * ધીરેશ અધ્વર્યુ


ગુજરાતી સાહિત્ય પરિષદ
તરફથી સપ્રેમ



Gujarati Sahitya Parishad logo.jpg
શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ ૯

HANUMANLAVKUSHMILAN a collection of short stories by BHUPESH ADHWARYU edited by Raman Soni Jaydev Shukla Dhiresh Adhwaryu December 1982

કૉપીરાઈટ
ધીરેશ અધ્વર્યુ

પ્રચ્છદપટ
ગુલામ મોહંમદ શેખ

અક્ષરાંકન
જયદેવ શુક્લ

ભૂપેશની તસવીર
મૂકેશ વૈદ્ય

પ્રચ્છદપટમુદ્રણ
દીપક પ્રિન્ટરી
અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રકાશક
રઘુવીર ચૌધરી
ગુજરાતી સાહિત્ય પરિષદ
આશ્રમ માર્ગ
અમદાવાદ ૩૮૦ ૦૦૯

મુદ્રક
અશોક જાની
અન્નપૂર્ણા પ્રિન્ટિંગ પ્રેસ
૫, ગજ્જર ઍસ્ટેટ
સૈજપુર બોઘા ૩૮૨ ૩૪૫

પ્રથમ આવૃત્તિ ડિસેમ્બર ૧૯૮૨
કિંમત રૂપિયા ૧૫
 

પ્રકાશકનું નિવેદન

શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટમાંથી લેખકની પ્રથમ કૃતિના પ્રકાશન માટે ગયા વર્ષે દસ હજાર રૂપિયા મળ્યા હતા. એ બદલ સાહિત્ય પરિષદ શ્રી શ્રેણિકભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની આભારી છે. યુવાન વયે આપણી વચ્ચેથી વિદાય થયેલા ભાઈશ્રી ભૂપેશ અધ્વર્યુ ઓછું પણ વિત્તવાળું લખનાર સર્જક-વિવેચક હતા. આ વાર્તાસંગ્રહ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે. આ પુસ્તકના સંપાદનમાં સર્વશ્રી રમણ સોની, જયદેવ શુક્લ અને ધીરેશ અધ્વર્યુએ માનદ સેવાઓ આપી છે એની નોંધ લેતાં આનંદ થાય છે.

રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ
મંત્રીઓ

૧૦-૧૨-’૮૨

સર્જકની કલ્પકશક્તિ વિશે ભૂપેશ અધ્વર્યુ

સર્જકની કલ્પકશક્તિ એ પણ સર્જકના વ્યક્તિત્વની બહારની વસ્તુ તો નથી જ. અને એ રીતે જોતાં તો કૃતિની સમગ્ર ચૈતન્યસૃષ્ટિ સર્જકવ્યક્તિત્વમાંથી જ પ્રગટે છે. તો ‘શૈલીમાં પ્રગટતું’ સર્જકવ્યક્તિત્વ ‘કૃતિમાં પ્રગટતા’ સર્જકવ્યક્તિત્વના પ્રબળ ભાગરૂપે શા માટે ન આવી શકે? સર્જન એ એક સભાન પ્રવૃત્તિ છે. વ્યક્તિત્વ માટે સીમાબદ્ધતા એ જો મર્યાદા હોય અને સર્જક પોતાની સર્જકતાની નિસ્સીમતા જ સિદ્ધ કરવા માંગતો હોય તો શબ્દસિદ્ધિ સિવાય પોતાનું અન્ય કશું જ વ્યક્તિત્વ ન હોય એવું નિગરણ એક આદર્શ સ્થિતિ બની રહે. શબ્દ અને કૃતિને જ પરસ્પર કાર્ય કરવા દેવા જેટલો એ તટસ્થ હશે અને એને ચૈતન્યથી છલકાવી દેવા જેટલો એ, એની કલ્પકશક્તિની પ્રખરતા સમેત, તદાત્મ હશે. એની આ પ્રખરતા એના વ્યક્તિત્વનો નહીં, પણ શબ્દસિદ્ધિનો જ એક ભાગ હશે. કૃતિએ કૃતિએ એ જે અવનવું સિદ્ધ કરશે એનું અનુસંધાન વીતી ચૂકેલા શબ્દસંદર્ભો સાથે હોય પણ ખરું, ન પણ હોય; પોતે માનતો હોય એથી વિરુદ્ધ પ્રકારના વિચારને પણ એ કૃતિમાં ઉપસાવે ને એમ વિચારને પણ સાધનલેખે જ વાપરે – જે કંઈ એ કરશે તે કૃતિના સ્વયંપર્યાપ્ત રૂપસંદર્ભમાં મહત્તમ થઈ શકે એમ હોય તે.

‘કૃતિનિષ્ઠ સર્જન’,
પરબ, માર્ચ ૧૯૭૪-માંથી
 

વાર્તાઓની રચનાતારીખ ને પ્રથમ પ્રકાશનની વિગતો

વડ માર્ચ ૭૮, ‘વિશ્વમાનવ.’ લીમડાનું સફેદ ઝાડ ૬૯ આસપાસ; પ્રથમવાર અહીં જ. છિનાળ મે-જૂન ૭૦, ‘વિશ્વમાનવ.’ બાય બા...ય ૩૧ ઑકટો, ૭૦, ‘ગુજરાતમિત્ર.’ હનુમાનલવકુશમિલન ૧૦-૨૦ –૧૧–૭૦; જુલાઈ ૭૧, ‘સંસ્કૃતિ.’ –એછોનથીછુંછેછીએછોનથીછુંછેછી– ૨૨–૧૦–૭૨; નવેમ્બર ૮૨, ‘ગુજરાત દીપોત્સવી(૨૦૩૮)’. પાત્રત્વ ૨૫-૧૦-૭૨; ઑકટોબર ૮૨, ‘કંકાવટી.’ આ, વગેરે વગેરે, ઉષા!’ ૧૩–૮–૭૩; ૬ ડિસે., ૮૨, ‘ગુજરાતમિત્ર.’ વાર્તા ૭૩ આસપાસ; જુલાઈ ૮૨, ‘કંકાવટી.’ અંત ૩૦–૮–૭૩; જાન્યુઆરી ૮૩, ‘કંકાવટી’, નવો કાયદો ૧૦–૧૨–૭૪; ઑકટોબર ૭૫, ‘સમર્પણ.’ એક ખંડ આ – ૫ – ૨૫ – ૯ – ૭૪; જુલાઈ - સપ્ટેમ્બર ૮૨, ‘સંસ્કૃતિ.’ આરોહણ ૧૨, ૧૩ – ૫ – ૭૯; સપ્ટેમ્બર ૭૯, ‘સમર્પણ.’ પેટ ૨૯ – ૧૦ – ૦૯; જૂન ૮૦, ‘એતદ્.’ બિલાડી ૨૮ – ૧૧ – ૭૯; પ્રથમ વાર અહીં જ. અલવિદા ૩, ૪ – ૧ – ૮૦; ડિસેમ્બર ૮૨, ‘પરબ.’