હરીન્દ્ર દવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દવે હરીન્દ્ર જયંતીલાલ (૧૯-૯-૧૯૩૦) : કવિ, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કરછના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ'ના સંપાદક. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીને ઍવોર્ડ. ૧૯૮૨ છે. રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. પ્રણયમસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયુક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવ સંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતામાં રહેલું છે. ‘કુલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ કયાંય નથી મધુવનમાં કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતામાં લયહલક અને ભાવ માધુર્ય છે. ‘મૌન’ (૧૯૬૬)માં બધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુકતક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહ્યોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતાનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યા છે. એમની પહેલી નવલકથા ‘અગનપંખી’ (૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (૧૯૬૬) છે. વિદ્રભાગ્ય આ કૃતિમાં પ્રણય અને તજજન્ય વેદનાનાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો. છે અને એમાં એકાધિક પાત્રયુગ્મને મૂકીને લેખકે સંરચનાના . વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત’ નવલકથાનું કાઠું લઘુનવલનું છે. પ્રણય ને વેદનાસભર એકલતા ને જીવતાં-જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રોની જીવનચેતના પણ સરસ નિરૂપણ પામી છે. કૃતિનું રચનાવિધાન અને ભાષા કવિ હરીન્દ્રને નો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ (૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનાઓ આવે સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે. એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સ્ત્રી-પુરુષની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત થઈ છે. એમની કેટલીક નવલોમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે. આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામના પ્રદેશ’ (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ’ (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નોનાં ચાર આલેખન મળે છે; ‘લોહીને રંગ લાલ’ (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ’ (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા. લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યક્તિ આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે. . ‘યુગે યુગે’ (૧૯૬૯) એમનું દીદ નાટક છે. કવિ અને કવિતા (૧૯૭૧) કવિતાના આરવાદનું પુસ્તક છે. ‘ગાલિબ’ (૧૯૬૯), ‘દયારામ’ (૧૯૬૫), ‘મુશાયરાની કથા’ (૧૯૫૯), ‘સ્વામી નારાયણ સંપ્રદાય’ (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે. ‘કણ અને માનવ સંબંધો’ (૧૯૮૨)માં એમણે કૃષ્ણસંબંધે માનવીય ચિતન પેશ કર્યું છે. અહીં એમની દૃષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. ‘નીરવ-સંવાદ’ (૧૯૮૦)માં એમના ચિંતનલેખો છે. ‘વેરાનું સ્વપ્ન ઘુંટાતું સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘શબ્દ ભીતર સુધી’ (૧૯૮૭) નિબંધસંગ્રહ છે. ‘મધુવન’ (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે. ‘પિંજરનું પંખી', ‘ધરતીનાં છોરું, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ. આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે.