36,781
edits
(+1) |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૦. અનુઆધુનિકતા અને નારીવાદ|હિમાંશી શેલત}} | |||
હિમાંશી શેલત | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નારીવાદ અનુઆધુનિક યુગની એક મુખ્ય વિચારધારા છે. ૧૯૭૦ પછી સંઘર્ષના બીજા તબક્કામાં પ્રવેશેલા નારીવાદની વિશિષ્ટ અભિવ્યક્તિનો પ્રભાવ માત્ર સાહિત્યક્ષેત્રે જ નહિ, પરંતુ ચિત્રકલા, ફોટોગ્રાફી, નાટકો, ફિલ્મો વગેરે પર અનુભવાય છે. આ આંદોલન પશ્ચિમના દેશોમાં તો એક પ્રબળ પ્રચંડ ઝંઝાવાત બને છે. પોતાની વાત આગવી અને અસરકારક રીતે રજૂ કરવા સ્ત્રી - સર્જકો મથે છે. ઇતિહાસને, સંસ્કૃતિને, સામાજિક પરિવેશને, પૌરાણિક કથાઓને વિવિધ રીતે અવલોકે છે. એવા ભિન્ન સંદર્ભોને પ્રયોજી એની સાથે નારીવાદને વણી લે છે, અને આમ પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા વ્યક્ત થતા નારીવાદ અને અનુઆધુનિકતા વચ્ચે સંબંધ બંધાઈ જાય છે. અનુઆધુનિક સાહિત્યની કેટલીક લાક્ષણિક અભિવ્યક્તિનો નારીવાદી સાહિત્યમાં ઉપયોગ થાય છે, તો નારીવાદી કૃતિનાં કેટલાંક લક્ષણો અનુઆધુનિક સાહિત્યની ઓળખ આપવા માટે ખપ લાગે તેવાં છે. અનુઆધુનિક સર્જક આધુનિકતાવાદી સર્જક પેઠે ચુસ્ત પાંડિત્યપૂર્ણ પરંપરાનો શુષ્ક બૌદ્ધિક રહી નથી શકયો, સર્જન દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક ચેતના જાગૃત કરવાનું એનું લક્ષ્ય રહે છે, આ પક્ષે નારીવાદી અભિવ્યક્તિને તો સામાજિક સંદર્ભથી વેગળા રહેવાનું ફાવ્યું જ નથી. આમ અનુઆધુનિકતા અને નારીવાદ વચ્ચે મેળ વરતાય છે, છતાં એક હકીકત સ્પષ્ટ છે કે નારીવાદ એક ચોક્કસ વિચારધારા છે. અનુઆધુનિકતાનાં લક્ષણો વિશે કોઈ ધૂંધળું ચિત્ર હોઈ શકે, નારીવાદ સંદર્ભે એ શક્ય નથી. નારીવાદ એક વિદ્રોહી બળ છે, એના હેતુઓ સાફ છે અને એ સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધે છે. સાહિત્ય અંગે પણ નારીવાદનો રસ કેવળ શાસ્ત્રીય ચર્ચા પૂરતો મર્યાદિત નથી. અનુઆધુનિકતાવાદ નારીવાદની સાથે સતત સંવાદમાં રહી પ્રતિકાર કે વિદ્રોહની વ્યૂહરચનાઓ આપી શકે એવું ન પણ બને. સામે પક્ષે નારીવાદી સર્જકો અનુઆધુનિક પ્રયુક્તિઓ પ્રયોજે, એની બે ધ્યાનાર્હ લાક્ષણિકતા પેરડિ - પ્રતિરચના અને વિધ્વંસક નિરૂપણરીતિની તમામ શક્યતાઓનો લાભ ઉઠાવી શકે તે પણ, નારીવાદ માટે આ પ્રથમ ચરણ જ હોઈ શકે, એનો માર્ગ લાંબો છે અને સંઘર્ષ કપરો છે. | નારીવાદ અનુઆધુનિક યુગની એક મુખ્ય વિચારધારા છે. ૧૯૭૦ પછી સંઘર્ષના બીજા તબક્કામાં પ્રવેશેલા નારીવાદની વિશિષ્ટ અભિવ્યક્તિનો પ્રભાવ માત્ર સાહિત્યક્ષેત્રે જ નહિ, પરંતુ ચિત્રકલા, ફોટોગ્રાફી, નાટકો, ફિલ્મો વગેરે પર અનુભવાય છે. આ આંદોલન પશ્ચિમના દેશોમાં તો એક પ્રબળ પ્રચંડ ઝંઝાવાત બને છે. પોતાની વાત આગવી અને અસરકારક રીતે રજૂ કરવા સ્ત્રી - સર્જકો મથે છે. ઇતિહાસને, સંસ્કૃતિને, સામાજિક પરિવેશને, પૌરાણિક કથાઓને વિવિધ રીતે અવલોકે છે. એવા ભિન્ન સંદર્ભોને પ્રયોજી એની સાથે નારીવાદને વણી લે છે, અને આમ પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા વ્યક્ત થતા નારીવાદ અને અનુઆધુનિકતા વચ્ચે સંબંધ બંધાઈ જાય છે. અનુઆધુનિક સાહિત્યની કેટલીક લાક્ષણિક અભિવ્યક્તિનો નારીવાદી સાહિત્યમાં ઉપયોગ થાય છે, તો નારીવાદી કૃતિનાં કેટલાંક લક્ષણો અનુઆધુનિક સાહિત્યની ઓળખ આપવા માટે ખપ લાગે તેવાં છે. અનુઆધુનિક સર્જક આધુનિકતાવાદી સર્જક પેઠે ચુસ્ત પાંડિત્યપૂર્ણ પરંપરાનો શુષ્ક બૌદ્ધિક રહી નથી શકયો, સર્જન દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક ચેતના જાગૃત કરવાનું એનું લક્ષ્ય રહે છે, આ પક્ષે નારીવાદી અભિવ્યક્તિને તો સામાજિક સંદર્ભથી વેગળા રહેવાનું ફાવ્યું જ નથી. આમ અનુઆધુનિકતા અને નારીવાદ વચ્ચે મેળ વરતાય છે, છતાં એક હકીકત સ્પષ્ટ છે કે નારીવાદ એક ચોક્કસ વિચારધારા છે. અનુઆધુનિકતાનાં લક્ષણો વિશે કોઈ ધૂંધળું ચિત્ર હોઈ શકે, નારીવાદ સંદર્ભે એ શક્ય નથી. નારીવાદ એક વિદ્રોહી બળ છે, એના હેતુઓ સાફ છે અને એ સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધે છે. સાહિત્ય અંગે પણ નારીવાદનો રસ કેવળ શાસ્ત્રીય ચર્ચા પૂરતો મર્યાદિત નથી. અનુઆધુનિકતાવાદ નારીવાદની સાથે સતત સંવાદમાં રહી પ્રતિકાર કે વિદ્રોહની વ્યૂહરચનાઓ આપી શકે એવું ન પણ બને. સામે પક્ષે નારીવાદી સર્જકો અનુઆધુનિક પ્રયુક્તિઓ પ્રયોજે, એની બે ધ્યાનાર્હ લાક્ષણિકતા પેરડિ - પ્રતિરચના અને વિધ્વંસક નિરૂપણરીતિની તમામ શક્યતાઓનો લાભ ઉઠાવી શકે તે પણ, નારીવાદ માટે આ પ્રથમ ચરણ જ હોઈ શકે, એનો માર્ગ લાંબો છે અને સંઘર્ષ કપરો છે. | ||