આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો. સાહિત્ય અકાદમી એવોર્ડનો એમણે અસ્વીકાર કરેલો.
|