કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ચાતક પીએ એઠું પાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. ચાતક પીએ એઠું પાણી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એઠું પાણી!

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરેથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી :
હે સંતો, તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એઠું પાણી!

માનસર છોડીને આવ્યો શું હંસલો
માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એઠું પાણી!

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય ન્હોતી મનમોલમાં એ થઈ
માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી
કે ચાતક પીએ એઠું પાણી!

(રામરસ, પૃ. ૫૯)