ગૌરીશંકર ત્રિભોવન ઉપાધ્યાય

ઉપાધ્યાય ગૌરીશંકર ત્રિભોવન: પદ્યકૃતિઓ ‘નીલા, પ્રમીલા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૦૭), ‘દારા અને ઔરંગઝેબ નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘મૃગલોચની નાટકનાં ગાયનો' (૧૯૧૧), ‘સ્વામી રામાનંદ નાટકનાં ગાયનો' (બી.આ. ૧૯૧૧), ‘વીર કેસરી નાટકનાં ગાયનો' (ત્રી.આ. ૧૯૨૯), તેમ જ નવલકથા ‘અલ્લાઉદ્દીન ખૂનીનો રાજરંગ અથવા મંડલગઢની મોહિની’ના કર્તા.