ધીરેન્દ્ર મહેતાની કવિતા/સર્જક-પરિચય
સર્જક-પરિચય
| નામઃ | ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા |
| જન્મઃ | ૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ |
| વતનઃ | ભુજ-કચ્છ |
| શિક્ષણઃ | - એમ.એ. પીએચ.ડી. - પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ ભુજમાં |
| વ્યવસાયઃ | આકાશવાણી, ત્યારબાદ યુ.જી.સી. રિસર્ચ ફેલો; ત્યારબાદ પ્રથમ ગુજરાત કૉલેજ, અમદાવાદ અને પછી રા.ર. લાલન કૉલેજ - ભુજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા બાદ ઑક્ટોબર-૨૦૦૬માં નિવૃત્તિ. પછી કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા. |
| પ્રકાશનઃ | કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા, વિવેચન, સંપાદનના પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત |
| મુખ્ય પુરસ્કારઃ- | કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) - એવોર્ડ - ૨૦૧૦, (નવલકથા ‘છાવણી’ માટે) - રણજિતરામ સુવર્ણચંદ્રક - ૨૦૧૧, (સમગ્ર પ્રદાન માટે) |
| અન્યઃ | ‘છાવણી’ - મરાઠી અનુવાદ - ૨૦૧૩, હિન્દી અનુવાદ - ૨૦૧૬ અને રાજસ્થાની અનુવાદ ૨૦૨૧; તે ઉપરાંત કેટલાંક કાવ્યો અને વાર્તાઓ હિન્દી, અંગ્રેજી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત. |
| સંપર્કઃ | ‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ, ભુજ-કચ્છ - ૩૭૦ ૦૦૧, |