નરસિંહરામ જેઠાભાઈ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘નૃસિંહનીતિ’ તથા ‘વ્યાસગીતા’ એમની અન્ય પદ્યકૃતિઓ છે.