નિરંજનાબેન મુકલભાઈ કલાર્થી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કલાર્થી નિરંજનાબેન મુકલભાઈ: બુદ્ધ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ આદિ મહાપુરુષોના મહત્ત્વના જીવનપ્રસંગોને વણી લેતું ને ચારિત્ર્યનિર્માણના આશયથી લખાયેલું પુસ્તક ‘મહેરામણનાં મોતી' (૧૯૬૩), સંત ગુરુદયાળ મલ્લિકજીનું જીવનચરિત્ર ‘પ્રભુકૃપા-કિરણ' (૧૯૬૭) તેમ જ સંપાદન ‘સ્વામી વિવેકાનંદની વાતો' (૧૯૬૪)નાં કર્તા.