ભોગીલાલ રતનચંદ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ ભોગીલાલ રતનચંદ : તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભક્તિ, પૌરુષ તેમ જ ભક્તિતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા ‘કોહિનૂર ગઝલકાવ્ય’ (૧૯૨૧) અને આ જ સ્વરૂપની ભજન અને ‘કક્કો’ પ્રકારની રચનાઓની પુસ્તિકા ‘કાવ્યમંજરી’ના કર્તા.