મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૬)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૬)

નરસિંહ મહેતા

વાંસલડીએ વીંધાણી વનિતા, વૃંદાવનમાં ચાલી રે,
શામળિયાને મળવા કારણ, જેમતેમ ભૂષણ ઘાલી રે.
વાંસલડીએ૦
મધ્ય રયણી મનમાં નવા આણી, જુવતી જોબનમાતી રે;
ચિત્ત લાગ્યું ચતુર્ભુજ-ચરણે, જીવણ જોવા જાતી રે.
વાંસલડીઅ૦ે
પ્રેમદા પ્રથમ પ્રણામ કરીને લાગી હરિને પાય રે;
નરસૈંયાસા સ્વામીને દીઠડે હૈયે હરખ નવ માય રે.
વાંસલડીએ૦