વાડીલાલ સાંકળચંદ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનોની પુસ્તિકા ‘પ્રસાદીયાં’ (૧૯૦૭), જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદોની પુસ્તિકા ‘કૉન્ફરન્સ જ્ઞાનમાળાઃ ૧’(૧૯૦૮) અને દાંતાના મહારાજા શ્રી હમીરસિંહજીસાહેબના રાજ્યાભિષેક પ્રસંગે રચેલાં પદો ‘આનંદવિલાસઃ ૧'ના કર્તા.