સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/એક ઉદરમાંથી બીજામાં—

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          અનુવાદકનું કામ કોઈ છોડને એક ભૂમિમાંથી ઉપાડીને બીજી ભૂમિમાં રોપવા જેવું છે. શબ્દનો નાદ, ધ્વનિસંલગ્ન, અર્થ, વાક્યનો લય, શબ્દોની વિશિષ્ટ ગોઠવણી-એ બધાંના સહયોગથી જે ભાવપિંડ બંધાય છે, તેને એક ભાષામાંથી બીજી ભાષામાં અકબંધ લઈ જવો, એ ગર્ભને એક ઉદરમાંથી બીજા ઉદરમાં લઈ જવા જેવું વિકટ કામ છે.