ઇન્ટરવ્યૂઝ/અંતઃસૂઝનો આલેખ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''અંતઃ સૂઝનો આલેખ'''</big></center> <center><big>'''[શ્રી પન્નાલાલ પટેલની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશ...")
 
No edit summary
 
Line 7: Line 7:


{{Poem2Open}}
{{Poem2Open}}
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકરે તમારે માટે ઓલદોલ લખ્યું છે. કશીય રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં તમે એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા એમ તેઓ લખે છે. વળી ‘હું સમજું છું બધું’ – એવી ચમક પણ એમણે તમારી આંખોમાં છેક બાળપણથી જોઈ છે વળી એમણે તમારી પરગજુપણાની ઉદાર વૃત્તિનીયે ઉમળકાથી નોંધ કરી છે. પણ એમણે તમે છાત્રાલયમાંથી ચાલ્યા ગયા અને ભણતા ઊઠી ગયા તે પ્રસંગ સાથે પેલા રૂપિયાની વાત માર્મિક રીતે કહી છે. તમે પોસ્ટકાર્ડમાં નિશાળમાં નોંધણી સાથે જમા મૂકેલો એક રૂપિયો ટપાલ દ્વારા મોકલી આપવા ઉમાશંકરને લખેલું! સંસારને – જગતને તમે જે બરાબર ઓળખો છે તેની ચાવી મને તમારા આ રૂપિયો મગાવી લેવાના મૂળ સ્વભાવમાં પડેલી દેખાય છે. ઘણા ખરા લેખકો જ્યાં સ્વપ્નીલ અને જીવનનું આત્મલક્ષી આલેખન કરી અટકી જાય તેમ તમે અટકી જતા નથી એટલે કે વ્યાસજીની જેમ દુરિતને – અનિષ્ટને પૂરેપૂરા સમજો છો અને નરી તટસ્થતાથી આલેખો છો તેનું રહસ્ય મને તમારા સ્વભાવના મૂળમાં જે ‘પક્કાપણું’ છે તેમાં વર્તાય છે. ‘વળામણાં’, ‘જીવો દાંડ’, ‘માનવીની ભવાઈ’ વગેરે અનેક કથાનકોમાં તમને મનોર મુખીઓ કે પેથા પટેલો કે માલી ડોશીઓ જડી જાય છે તેનું કારણ તમારી જીવન પામવાની અને કળાના આલેખન વેળાનું તમારામાં રહેલું અનાસક્તિનું તત્ત્વ છે. એક બાજુથી તમે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી, છતાં વાલ્મીકીની જેમ તળ ફોડીને સર્જકના રૂપમાં તમારું પ્રગટ થવું ને બીજી બાજુ વ્યાસજીની જેમ સકલતાને આંબવા જગત અને પદાર્થોને તેના પૂર્ણ સત્યમાં પામવાની મથામણ કરતા પ્રગટ થવું – આમ આત્મલક્ષિતા અને પરલક્ષિતાથી પ્રગટ થતા તમને જોઉં છું.
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકરે તમારે માટે ઓલદોલ લખ્યું છે. કશીય રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં તમે એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા એમ તેઓ લખે છે. વળી ‘હું સમજું છું બધું’ – એવી ચમક પણ એમણે તમારી આંખોમાં છેક બાળપણથી જોઈ છે વળી એમણે તમારી પરગજુપણાની ઉદાર વૃત્તિનીયે ઉમળકાથી નોંધ કરી છે. પણ એમણે તમે છાત્રાલયમાંથી ચાલ્યા ગયા અને ભણતા ઊઠી ગયા તે પ્રસંગ સાથે પેલા રૂપિયાની વાત માર્મિક રીતે કહી છે. તમે પોસ્ટકાર્ડમાં નિશાળમાં નોંધણી સાથે જમા મૂકેલો એક રૂપિયો ટપાલ દ્વારા મોકલી આપવા ઉમાશંકરને લખેલું! સંસારને – જગતને તમે જે બરાબર ઓળખો છે તેની ચાવી મને તમારા આ રૂપિયો મગાવી લેવાના મૂળ સ્વભાવમાં પડેલી દેખાય છે. ઘણા ખરા લેખકો જ્યાં સ્વપ્નીલ અને જીવનનું આત્મલક્ષી આલેખન કરી અટકી જાય તેમ તમે અટકી જતા નથી એટલે કે વ્યાસજીની જેમ દુરિતને – અનિષ્ટને પૂરેપૂરા સમજો છો અને નરી તટસ્થતાથી આલેખો છો તેનું રહસ્ય મને તમારા સ્વભાવના મૂળમાં જે ‘પક્કાપણું’ છે તેમાં વર્તાય છે. ‘વળામણાં’, ‘જીવો દાંડ’, ‘માનવીની ભવાઈ’ વગેરે અનેક કથાનકોમાં તમને મનોર મુખીઓ કે પેથા પટેલો કે માલી ડોશીઓ જડી જાય છે તેનું કારણ તમારી જીવન પામવાની અને કળાના આલેખન વેળાનું તમારામાં રહેલું અનાસક્તિનું તત્ત્વ છે. એક બાજુથી તમે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી, છતાં વાલ્મીકીની જેમ તળ ફોડીને સર્જકના રૂપમાં તમારું પ્રગટ થવું ને બીજી બાજુ વ્યાસજીની જેમ સકલતાને આંબવા જગત અને પદાર્થોને તેના પૂર્ણ સત્યમાં પામવાની મથામણ કરતા પ્રગટ થવું – આમ આત્મલક્ષિતા અને પરલક્ષિતાથી પ્રગટ થતા તમને જોઉં છું.'''


બાલપણથી તમારી આંખમાં ‘હું આ બધું સમજું છું’—ની ચમકે અને ‘પક્કાપણા’ એ તમને સહાય કરી છે એમ તમે માનો છો? તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારા સર્જનો પર થઈ છે કે નહિ? કેટલે અંશે થઈ હશે? ઘણી વખત એવું બને છે કે ચિત્તના અર્ધજાગ્રત સ્તરના ધક્કાને લીધે અનાયાસ જ લેખકનાં મંતવ્યો અને પ્રિય ભાવનાઓ પ્રગટ થઈ જતાં હોય છે. શરદબાબુ જેવા સમર્થ નવલકથાકારે પણ જાણે પોતાના જીવનના એકરારો હોય તેમ નિરુપમાદેવી સાથેના એમના અંગત સંબંધોની મુદ્રાઓ તેમનાં તમામ નારીપાત્રોના સંબંધમાં ઊપસાવી છે. અનેક લેખકો વિશે આમ બન્યું છે.
'''બાલપણથી તમારી આંખમાં ‘હું આ બધું સમજું છું’—ની ચમકે અને ‘પક્કાપણા’ એ તમને સહાય કરી છે એમ તમે માનો છો? તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારા સર્જનો પર થઈ છે કે નહિ? કેટલે અંશે થઈ હશે? ઘણી વખત એવું બને છે કે ચિત્તના અર્ધજાગ્રત સ્તરના ધક્કાને લીધે અનાયાસ જ લેખકનાં મંતવ્યો અને પ્રિય ભાવનાઓ પ્રગટ થઈ જતાં હોય છે. શરદબાબુ જેવા સમર્થ નવલકથાકારે પણ જાણે પોતાના જીવનના એકરારો હોય તેમ નિરુપમાદેવી સાથેના એમના અંગત સંબંધોની મુદ્રાઓ તેમનાં તમામ નારીપાત્રોના સંબંધમાં ઊપસાવી છે. અનેક લેખકો વિશે આમ બન્યું છે.'''


All the thing I have written are but fragments of a long confession–
'''All the thing I have written are but fragments of a long confession–'''


તમારાં પાત્રો સાથે તમને ક્યાંય અંગત સંબંધો હોવાનો એકરાર કરવા જેવું લાગે છે?'''
'''તમારાં પાત્રો સાથે તમને ક્યાંય અંગત સંબંધો હોવાનો એકરાર કરવા જેવું લાગે છે?'''


ઉત્તર : જેટલી સરળતાથી માણસ બીજાને ‘ઓળખી’ લે(?) એટલી સહજતાથી પોતાને પામી શકતો નથી એ એક હકીકત છે. આ હિસાબે તમારા પ્રશ્નોના મારા જવાબો કેટલી હદે સાચા હશે એ કહી શકાય નહિ. પણ એટલું ખરું કે જવાબ આપવાનો પ્રયત્ન હું નિષ્ઠાપૂર્વક કરીશ.
ઉત્તર : જેટલી સરળતાથી માણસ બીજાને ‘ઓળખી’ લે(?) એટલી સહજતાથી પોતાને પામી શકતો નથી એ એક હકીકત છે. આ હિસાબે તમારા પ્રશ્નોના મારા જવાબો કેટલી હદે સાચા હશે એ કહી શકાય નહિ. પણ એટલું ખરું કે જવાબ આપવાનો પ્રયત્ન હું નિષ્ઠાપૂર્વક કરીશ.
Line 35: Line 35:
ટૂંકમાં મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે. હાસ્તો, સર્જક જ પોતે પોતાનાં નાનાં-મોટાં પાત્રોમાં તેમ જ ઊલટાં-સૂલટાં મંતવ્યોમાં રામબાણ હોય છે. એનો અર્થ એ થયો કે મારામાં આવેલા સહજ એવા માનવતત્ત્વને માનવી માત્ર સહજ રીતે પ્રિય – પોતાનું જ હોય છે.
ટૂંકમાં મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે. હાસ્તો, સર્જક જ પોતે પોતાનાં નાનાં-મોટાં પાત્રોમાં તેમ જ ઊલટાં-સૂલટાં મંતવ્યોમાં રામબાણ હોય છે. એનો અર્થ એ થયો કે મારામાં આવેલા સહજ એવા માનવતત્ત્વને માનવી માત્ર સહજ રીતે પ્રિય – પોતાનું જ હોય છે.


'''પ્રશ્ન : પ્રેમ અને દામ્પત્ય વિશે તમે અનેક સત્ત્વશીલ રચનાઓ કરી છે. ફિલસૂફી અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેની ઊંડી તપાસ થઈ શકે એવી ધારણા-શક્તિ ને તાકાત છે તમારી આવી રચનાઓમાં. તમને ઝીણવટથી વાંચતાં મને તમારી સ્ત્રીઓ અદ્ભુત લાગી છે—ખાસ કરીને વાર્તાઓની અનેક પ્રકારની સ્ત્રીઓ તો વિસ્મયનું એક વિશાળ વિશ્વ ખડું કરી દે છે. અનેક રૂપોમાં તમે એને પ્રગટ કરી છે. એક એક સ્ત્રીની image (કલ્પન) ઘડાતી આવે, પછી ભૂંસાતી જાય, આ બધી રચાતી-ભૂંસાતી સ્ત્રીઓમાંથી કોઈ એક જ સ્ત્રી, કોઈ શાશ્વતી નારી તમે કલ્પી છે? અનેક નારીપાત્રોનાં–અનેક સત્યોના કેન્દ્રમાં શો અનુભવ રહેલો છે? ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો?
'''પ્રશ્ન : પ્રેમ અને દામ્પત્ય વિશે તમે અનેક સત્ત્વશીલ રચનાઓ કરી છે. ફિલસૂફી અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેની ઊંડી તપાસ થઈ શકે એવી ધારણા-શક્તિ ને તાકાત છે તમારી આવી રચનાઓમાં. તમને ઝીણવટથી વાંચતાં મને તમારી સ્ત્રીઓ અદ્ભુત લાગી છે—ખાસ કરીને વાર્તાઓની અનેક પ્રકારની સ્ત્રીઓ તો વિસ્મયનું એક વિશાળ વિશ્વ ખડું કરી દે છે. અનેક રૂપોમાં તમે એને પ્રગટ કરી છે. એક એક સ્ત્રીની image (કલ્પન) ઘડાતી આવે, પછી ભૂંસાતી જાય, આ બધી રચાતી-ભૂંસાતી સ્ત્રીઓમાંથી કોઈ એક જ સ્ત્રી, કોઈ શાશ્વતી નારી તમે કલ્પી છે? અનેક નારીપાત્રોનાં–અનેક સત્યોના કેન્દ્રમાં શો અનુભવ રહેલો છે? ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો?'''


વળી તમારાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારોનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?'''
'''વળી તમારાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારોનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?'''


ઉત્તર : તમારા આ પ્રશ્નનો ચોખ્ખો જવાબ આપવો એ મુશ્કેલ કામ લાગે છે. એક તરફ મારું જીવન હાડમારીઓથી ભરેલું છે. તો બીજી તરફ મારું આંતરજીવન સંગીત સરખું આહ્લાદક છે. સામાજિક સંદર્ભમાં જોઈએ તોપણ લેખક થયો ત્યાં સુધીનું મારું જીવન–બચપણનાં સાતેક વર્ષ બાદ કરતાં – શહેરોમાં જ વીતેલું છે. શહેરમાં પણ નોકરી કરતાં અડધું શ્રમજીવીઓની દુનિયામાં ને અડધું સુખી એવા મધ્યમ વર્ગનાં માનવીઓમાં - અલબત્ત લેખક થયો ત્યાં સુધીની આ વાત હું કરું છું.
ઉત્તર : તમારા આ પ્રશ્નનો ચોખ્ખો જવાબ આપવો એ મુશ્કેલ કામ લાગે છે. એક તરફ મારું જીવન હાડમારીઓથી ભરેલું છે. તો બીજી તરફ મારું આંતરજીવન સંગીત સરખું આહ્લાદક છે. સામાજિક સંદર્ભમાં જોઈએ તોપણ લેખક થયો ત્યાં સુધીનું મારું જીવન–બચપણનાં સાતેક વર્ષ બાદ કરતાં – શહેરોમાં જ વીતેલું છે. શહેરમાં પણ નોકરી કરતાં અડધું શ્રમજીવીઓની દુનિયામાં ને અડધું સુખી એવા મધ્યમ વર્ગનાં માનવીઓમાં - અલબત્ત લેખક થયો ત્યાં સુધીની આ વાત હું કરું છું.
Line 125: Line 125:
ને છતાંય આપણને એ બધું જાણવાની ને સમજવાની ઇચ્છા થાય છે એ પણ કેવું આહલાદક છે!
ને છતાંય આપણને એ બધું જાણવાની ને સમજવાની ઇચ્છા થાય છે એ પણ કેવું આહલાદક છે!


'''પ્રશ્ન : એકવાર સ્વ. ચુનીલાલ મડિયાએ મને તમારા ‘ભાંગ્યાના ભેરુ’ની રૂપનિર્મિતિ વિશે ‘રુચિ’માં લખવા કહ્યું ને (સપ્ટેમ્બર : 1966ના ‘રુચિ’ના અંકમાં) મેં લખ્યુંય ખરું. એ લેખમાં મેં કલાકૃતિએ આકાર (રૂપ) તો પ્રગટ કરવો જ જોઈએ એમ કહીને ચર્ચા કરેલી તે અહીં ઉતારું છું :
'''પ્રશ્ન : એકવાર સ્વ. ચુનીલાલ મડિયાએ મને તમારા ‘ભાંગ્યાના ભેરુ’ની રૂપનિર્મિતિ વિશે ‘રુચિ’માં લખવા કહ્યું ને (સપ્ટેમ્બર : 1966ના ‘રુચિ’ના અંકમાં) મેં લખ્યુંય ખરું. એ લેખમાં મેં કલાકૃતિએ આકાર (રૂપ) તો પ્રગટ કરવો જ જોઈએ એમ કહીને ચર્ચા કરેલી તે અહીં ઉતારું છું :'''


F. L. Lucas કહે છે, “style is a most terrible subject to discourse upon” અને એટલે તો ઈ. એમ. ફોર્સ્ટર આ આકાર કે શૈલીની ભંગિમા વિશે માનવાનું જ માંડી વાળે છે. તે નિત્શેને ટાંકીને કહે છે : ‘All that is prearranged is false’ એડવિન મુર ફોર્સ્ટરનો ઉલ્લેખ કરીને કહે છે : He is Content so long as a novelist, ‘bounces’ us into a belief in nis characters and gives us life.’ એટલે ફોર્સ્ટરને તો આકારની લાંબી કડાફટ કરતાં જિંદગીનો ધબકારો જ વહાલો લાગે છે પણ આ ધબકારાનો લય જ એવો નમનીય આકાર ધરી લે છે કે જીવનની ભાતમાંથી રૂપનિર્મિત આપોઆપ થઈ જાય છે—ફોર્સ્ટર માને કે ન માને તો પણ તમે કલાકૃતિના સર્જન વખતે આ આકાર વિશે–સભાનતાથી સતત વિચારતા રહો છો? કે પછી—'''
'''F. L. Lucas કહે છે, “style is a most terrible subject to discourse upon” અને એટલે તો ઈ. એમ. ફોર્સ્ટર આ આકાર કે શૈલીની ભંગિમા વિશે માનવાનું જ માંડી વાળે છે. તે નિત્શેને ટાંકીને કહે છે : ‘All that is prearranged is false’ એડવિન મુર ફોર્સ્ટરનો ઉલ્લેખ કરીને કહે છે : He is Content so long as a novelist, ‘bounces’ us into a belief in nis characters and gives us life.’ એટલે ફોર્સ્ટરને તો આકારની લાંબી કડાફટ કરતાં જિંદગીનો ધબકારો જ વહાલો લાગે છે પણ આ ધબકારાનો લય જ એવો નમનીય આકાર ધરી લે છે કે જીવનની ભાતમાંથી રૂપનિર્મિત આપોઆપ થઈ જાય છે—ફોર્સ્ટર માને કે ન માને તો પણ તમે કલાકૃતિના સર્જન વખતે આ આકાર વિશે–સભાનતાથી સતત વિચારતા રહો છો? કે પછી—'''


ઉત્તર : ખરું પૂછો તો આકારનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી. એ વિશે હું કશું વિચારતો પણ નથી. સમજું તો વિચારું ને?
ઉત્તર : ખરું પૂછો તો આકારનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી. એ વિશે હું કશું વિચારતો પણ નથી. સમજું તો વિચારું ને?
Line 135: Line 135:
સર્જનની આ બધી પ્રક્રિયાઓ જ એવી હોય છે કે મેં જેમ આગળ કહ્યું છે તેમ એ બધું કાર્યકારણના ચોકઠામાં બેસાડવાનું મુશ્કેલ કામ છે. બેસાડીએ તો પણ આપણાં માત્ર મનમનામણાં જ!
સર્જનની આ બધી પ્રક્રિયાઓ જ એવી હોય છે કે મેં જેમ આગળ કહ્યું છે તેમ એ બધું કાર્યકારણના ચોકઠામાં બેસાડવાનું મુશ્કેલ કામ છે. બેસાડીએ તો પણ આપણાં માત્ર મનમનામણાં જ!


'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, આપણા જાનપદી પ્રમુખ કથાકારો મેઘાણી અને તમે કહેવું હોય તો કહેવાય કે આલંકારિક રીતે મેઘાણીની શૈલી ગીર પ્રદેશની આહિરાણી જેવી કમનીય અને ધીંગી મદભરી છે. તમારી શૈલી ઘેરવાળી ઘાઘરી ને તસતસતું કાપડું પહેરી લચકતી ચાલે લચકાતી રાજુ પટલાણી જેવી છે. તમે બન્નેએ આપણી પ્રજાના પ્રાણને ભાષાની બળકટતાથી પ્રગટ કર્યો છે. ને એમાંયે ‘માનવીની ભવાઈ’ની તેના દરેક પરિમાણોમાં પ્રગટ થતી ભાષા તો ગુજરાતી ભાષાની અનન્ય અને અપૂર્વ સિદ્ધિ છે :
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, આપણા જાનપદી પ્રમુખ કથાકારો મેઘાણી અને તમે કહેવું હોય તો કહેવાય કે આલંકારિક રીતે મેઘાણીની શૈલી ગીર પ્રદેશની આહિરાણી જેવી કમનીય અને ધીંગી મદભરી છે. તમારી શૈલી ઘેરવાળી ઘાઘરી ને તસતસતું કાપડું પહેરી લચકતી ચાલે લચકાતી રાજુ પટલાણી જેવી છે. તમે બન્નેએ આપણી પ્રજાના પ્રાણને ભાષાની બળકટતાથી પ્રગટ કર્યો છે. ને એમાંયે ‘માનવીની ભવાઈ’ની તેના દરેક પરિમાણોમાં પ્રગટ થતી ભાષા તો ગુજરાતી ભાષાની અનન્ય અને અપૂર્વ સિદ્ધિ છે :'''


“અષાઢી ત્રીજની રાત્રે આકાશ ચગડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું. કૂકડો બોલતાં ધરતી-આભ એકતાર થઈ ગયાં.” (કેટલું ગતિલાસ્યવાળું અને છતાં કેવું ચિત્રાત્મક!)
'''“અષાઢી ત્રીજની રાત્રે આકાશ ચગડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું. કૂકડો બોલતાં ધરતી-આભ એકતાર થઈ ગયાં.” (કેટલું ગતિલાસ્યવાળું અને છતાં કેવું ચિત્રાત્મક!)'''


“તો રામાએ તો કહ્યું પણ ખરું! આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી!” (ઓષ્ઠ્ય અને મહાપ્રાણ વર્ણો પાસેથી પ્રલંબિત લય દ્વારા લંગડાતા-ખોડંગાતા કાળને જ ખડો કરી દીધો છે!)
'''“તો રામાએ તો કહ્યું પણ ખરું! આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી!” (ઓષ્ઠ્ય અને મહાપ્રાણ વર્ણો પાસેથી પ્રલંબિત લય દ્વારા લંગડાતા-ખોડંગાતા કાળને જ ખડો કરી દીધો છે!)'''


‘પરથમીનો પોઠી’નું ગદ્ય, માલી ડોશીની ગાળોનું ગદ્ય, દુષ્કાળના થરથરાવી મૂકે તેવા ભેંકારનું કે ઊઠતી કિલકારીઓનું ગદ્ય, ઘણાનું, વેદનાનું, જીવનની વસંતનું એમ અનેક સ્તરે પ્રાણવાન ગદ્ય પ્રગટ થતું જાય છે ત્યાં તમે સોળે કળાએ ખીલી ઊઠો છો, પણ માંડલી-નિવાસી પન્નાલાલ પટેલ પર અમદાવાદી ચિમની-ધુમાડિયાની અસર વર્તાય છે ત્યારે પાત્રોનાં વર્તનમાં દ્વિધા જણાય છે ને પરિણામે શૈલી ક્યાંક ક્યાંક કૃત્રિમ બની જાય છે. ઈશાનિયા પ્રદેશનો ઘરોબો ઘૂંટવાને લીધે જ આમ થયું હશે એમ આપને નથી લાગતું? નહિતર પન્નાલાલ આવાં વાક્યો લખે? : “પ્રસન્ન-વદના રાજુથી અનાયાસે જ પાદપૂર્તિ રચાઈ ગઈ” કે “ને જ્યાં બોલકાપણાનું અવળું આળ ચડાવી રહેલી બોલકી રાજુને બોલતી બંધ કરવાનો કાળુને...” કે “હાસ્તો! માનવજીવનને ધારણ કરી રહેલું એ બીજ ધરતીનું ઉરપાન કરતું ઊગતું થાય ને!” કે “ભૂખની પેલી કાતિલ કટાર તથા ભયંકર આર્તનાદ અને વેદનાઓથી ભરેલો એ મોતીનો વરસાદ જોઈને પોતાનામાં પડેલા પેલા જીવનતત્ત્વને સાકાર કરી માનવજાત સામે જાણે સમર્પિત થઈ રહ્યા હતા.” કે “એ ઉપર સહાનુભૂતિપૂર્વક વિવેચન કરતાં અંતમાં…”
'''‘પરથમીનો પોઠી’નું ગદ્ય, માલી ડોશીની ગાળોનું ગદ્ય, દુષ્કાળના થરથરાવી મૂકે તેવા ભેંકારનું કે ઊઠતી કિલકારીઓનું ગદ્ય, ઘણાનું, વેદનાનું, જીવનની વસંતનું એમ અનેક સ્તરે પ્રાણવાન ગદ્ય પ્રગટ થતું જાય છે ત્યાં તમે સોળે કળાએ ખીલી ઊઠો છો, પણ માંડલી-નિવાસી પન્નાલાલ પટેલ પર અમદાવાદી ચિમની-ધુમાડિયાની અસર વર્તાય છે ત્યારે પાત્રોનાં વર્તનમાં દ્વિધા જણાય છે ને પરિણામે શૈલી ક્યાંક ક્યાંક કૃત્રિમ બની જાય છે. ઈશાનિયા પ્રદેશનો ઘરોબો ઘૂંટવાને લીધે જ આમ થયું હશે એમ આપને નથી લાગતું? નહિતર પન્નાલાલ આવાં વાક્યો લખે? : “પ્રસન્ન-વદના રાજુથી અનાયાસે જ પાદપૂર્તિ રચાઈ ગઈ” કે “ને જ્યાં બોલકાપણાનું અવળું આળ ચડાવી રહેલી બોલકી રાજુને બોલતી બંધ કરવાનો કાળુને...” કે “હાસ્તો! માનવજીવનને ધારણ કરી રહેલું એ બીજ ધરતીનું ઉરપાન કરતું ઊગતું થાય ને!” કે “ભૂખની પેલી કાતિલ કટાર તથા ભયંકર આર્તનાદ અને વેદનાઓથી ભરેલો એ મોતીનો વરસાદ જોઈને પોતાનામાં પડેલા પેલા જીવનતત્ત્વને સાકાર કરી માનવજાત સામે જાણે સમર્પિત થઈ રહ્યા હતા.” કે “એ ઉપર સહાનુભૂતિપૂર્વક વિવેચન કરતાં અંતમાં…”'''
Percy Lubbock કહે છે : ‘To have lived with their creations is to have lived with them as well, with so many hours of familiar intercourse behind us we have learnt to know them.’


આ આખાયે પ્રશ્ન વિશે તમને શું લાગે છે?'''  
'''Percy Lubbock કહે છે : ‘To have lived with their creations is to have lived with them as well, with so many hours of familiar intercourse behind us we have learnt to know them.’'''
 
'''આ આખાયે પ્રશ્ન વિશે તમને શું લાગે છે?'''  


ઉત્તર : ‘માનવીની ભવાઈ’માં આવતાં કેટલાંક નિરૂપણો સામેની તમારી ફરિયાદ સાવ સાચી છે.
ઉત્તર : ‘માનવીની ભવાઈ’માં આવતાં કેટલાંક નિરૂપણો સામેની તમારી ફરિયાદ સાવ સાચી છે.
Line 150: Line 151:
પણ મૂળ વાત એ છે કે મને એનો ખ્યાલ જ નહિ કે ભાષા અને નિરૂપણની રીતે આપણે આપણું વાતાવરણની બહાર નીકળી ગયા છીએ….નહિ તો આવી વાક્યરચનાઓ સરળતાથી બદલી શકાઈ હોત. આ પ્રકારનાં નિરૂપણ જોતાં સહેજે એમ કહી શકાય કે લેખકનું ચિત્ત આ પળે મૂળપ્રવાહમાંથી ખસી ગયું છે. વળી કેટલીક વાર ડહાપણ કરવાની વૃત્તિ પણ કામ કરતી હોય છે. ‘સાહિત્યિક’ થવાનો મોહ પણ કદીક થઈ આવતો હશે! ગમે તેમ પણ આ પ્રકારનાં મારાં નિરૂપણો મારી કેટલીક બેદરકારીઓને લીધે રહી ગયાં છે, તો કેટલાંક વિશે મને ખ્યાલ પણ નથી હોતો કે આ અહીં બેસતું નથી. કેટલાંક શબ્દો તો એવા હશે કે મને એની ખબર પણ ન હોય કે આ શબ્દ શહેરી છે કે ગામડાનો છે! શંકા ઊઠે તો ફેરવું ને?
પણ મૂળ વાત એ છે કે મને એનો ખ્યાલ જ નહિ કે ભાષા અને નિરૂપણની રીતે આપણે આપણું વાતાવરણની બહાર નીકળી ગયા છીએ….નહિ તો આવી વાક્યરચનાઓ સરળતાથી બદલી શકાઈ હોત. આ પ્રકારનાં નિરૂપણ જોતાં સહેજે એમ કહી શકાય કે લેખકનું ચિત્ત આ પળે મૂળપ્રવાહમાંથી ખસી ગયું છે. વળી કેટલીક વાર ડહાપણ કરવાની વૃત્તિ પણ કામ કરતી હોય છે. ‘સાહિત્યિક’ થવાનો મોહ પણ કદીક થઈ આવતો હશે! ગમે તેમ પણ આ પ્રકારનાં મારાં નિરૂપણો મારી કેટલીક બેદરકારીઓને લીધે રહી ગયાં છે, તો કેટલાંક વિશે મને ખ્યાલ પણ નથી હોતો કે આ અહીં બેસતું નથી. કેટલાંક શબ્દો તો એવા હશે કે મને એની ખબર પણ ન હોય કે આ શબ્દ શહેરી છે કે ગામડાનો છે! શંકા ઊઠે તો ફેરવું ને?


'''પ્રશ્ન : ખરું જોતાં તો સર્જન-કર્મની જવાબદારી તો લેખકને તેની સંવેદનાની ઊંડી સૂઝમાંથી આવે છે. લેખક, ખાસ કરીને ગદ્યલેખક, લખતી વેળાએ શું અનુભવે છે તે અથવા તે real life વિશે શું અનુભવે છે તે જ સંવેદના હોય છે. લેખકે પોતાનાથી પર એવા બાહ્ય વાસ્તવને નિરૂપવાનો હોય છે. એક જુદા અર્થમાં આ બધું તેના જ જીવનના અનુસંધાન (Intension) જેવું હોય છે અથવા ડી એસ. સેવેજ કહે છે તેમ તેના જ સમાનશીલ પદાર્થરૂપ (analogue) હોય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લેખકની પહેલી નવલકથામાં તેની સંવેદના સચ્ચાઈપૂર્ણ હોય છે, કારણ કે એ જે અનુભવે છે તે જ તાજગીપૂર્વક સૌંદર્યમયતાથી એ આલેખે છે. આ પ્રકટીકરણ તેની આંતરિક અનિવાર્યતામાંથી થાય છે. વાર્તાકારે, એ જે જાણે છે તેના કરતાં એ અનુભવે છે તે વિષય પસંદ કર્યો હોય તો તેને વધુ યારી મળે છે.
'''પ્રશ્ન : ખરું જોતાં તો સર્જન-કર્મની જવાબદારી તો લેખકને તેની સંવેદનાની ઊંડી સૂઝમાંથી આવે છે. લેખક, ખાસ કરીને ગદ્યલેખક, લખતી વેળાએ શું અનુભવે છે તે અથવા તે real life વિશે શું અનુભવે છે તે જ સંવેદના હોય છે. લેખકે પોતાનાથી પર એવા બાહ્ય વાસ્તવને નિરૂપવાનો હોય છે. એક જુદા અર્થમાં આ બધું તેના જ જીવનના અનુસંધાન (Intension) જેવું હોય છે અથવા ડી એસ. સેવેજ કહે છે તેમ તેના જ સમાનશીલ પદાર્થરૂપ (analogue) હોય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લેખકની પહેલી નવલકથામાં તેની સંવેદના સચ્ચાઈપૂર્ણ હોય છે, કારણ કે એ જે અનુભવે છે તે જ તાજગીપૂર્વક સૌંદર્યમયતાથી એ આલેખે છે. આ પ્રકટીકરણ તેની આંતરિક અનિવાર્યતામાંથી થાય છે. વાર્તાકારે, એ જે જાણે છે તેના કરતાં એ અનુભવે છે તે વિષય પસંદ કર્યો હોય તો તેને વધુ યારી મળે છે.'''


તમને એમ નથી લાગતું કે ‘માનવીની ભવાઈ’માં જે કલાકૃતિ રચાય છે, તે પછી દસ વરસે લખાયેલા તેના બીજા ભાગ ‘ભાંગ્યાના ભેરુ’માં રચાતી નથી? ‘માનવીની ભવાઈ’ની કુંવારી ચેતના ક્યાં અને છપામાં ‘હફતેવાર’ છપાયેલી ‘ભાંગ્યાના ભેરુ’ની ચેતના ક્યાં? ‘ભાંગ્યાના ભેરુ’માં અને પછી ‘ઘમ્મર વલોણું’માં સમગ્રને આંબતો પેલો સઘનતાનો સ્પર્શ ઓછો થાય છે એમ આપને લાગે છે? ‘માનવીની ભવાઈ’માં પ્રગટેલા કલાવૈશ્વાનર પર ધીમે ધીમે રાખોડી વળવા માંડે છે એમ તમને લાગે છે? કલાકારને પછી ધીરે ધીરે ઉંમરનો થાક લાગતો હશે? કે...'''
'''તમને એમ નથી લાગતું કે ‘માનવીની ભવાઈ’માં જે કલાકૃતિ રચાય છે, તે પછી દસ વરસે લખાયેલા તેના બીજા ભાગ ‘ભાંગ્યાના ભેરુ’માં રચાતી નથી? ‘માનવીની ભવાઈ’ની કુંવારી ચેતના ક્યાં અને છપામાં ‘હફતેવાર’ છપાયેલી ‘ભાંગ્યાના ભેરુ’ની ચેતના ક્યાં? ‘ભાંગ્યાના ભેરુ’માં અને પછી ‘ઘમ્મર વલોણું’માં સમગ્રને આંબતો પેલો સઘનતાનો સ્પર્શ ઓછો થાય છે એમ આપને લાગે છે? ‘માનવીની ભવાઈ’માં પ્રગટેલા કલાવૈશ્વાનર પર ધીમે ધીમે રાખોડી વળવા માંડે છે એમ તમને લાગે છે? કલાકારને પછી ધીરે ધીરે ઉંમરનો થાક લાગતો હશે? કે...'''


ઉત્તર : મજાનો પ્રશ્ન છે.
ઉત્તર : મજાનો પ્રશ્ન છે.
Line 178: Line 179:
મને પોતાને શ્રદ્ધા છે કે મારી આ ગડમથલ આજે નહિ તો આવતી કાલે કોઈક ને કોઈક જોનાર–સમજનાર નીકળી આવશે! બાકી તો આપણામાં કહેવત છે કે માનો તો દેવ નહિ તો પથ્થર. આપણને તો સર્જન કર્યું એનો જ એક આનંદ છે.
મને પોતાને શ્રદ્ધા છે કે મારી આ ગડમથલ આજે નહિ તો આવતી કાલે કોઈક ને કોઈક જોનાર–સમજનાર નીકળી આવશે! બાકી તો આપણામાં કહેવત છે કે માનો તો દેવ નહિ તો પથ્થર. આપણને તો સર્જન કર્યું એનો જ એક આનંદ છે.


'''પ્રશ્ન : તમે સુંદરમને લખેલું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જકતત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?’ તમારા સર્જનમાં તો અંતે ઉદાત્તતા અને કરુણાનો પારાવાર છે જ! પણ આ તમારી આસ્થા ઈશ્વર સંબંધી છે. શ્રી સુંદરમે પણ પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે... તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય – એમ કહીને પ્રભુ પ્રત્યેની તમારી આસ્થાને સંકોરી છે. વળી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને લીધે તમારી એ શ્રદ્ધા વધુ દૃઢ પણ બની છે.
'''પ્રશ્ન : તમે સુંદરમને લખેલું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જકતત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?’ તમારા સર્જનમાં તો અંતે ઉદાત્તતા અને કરુણાનો પારાવાર છે જ! પણ આ તમારી આસ્થા ઈશ્વર સંબંધી છે. શ્રી સુંદરમે પણ પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે... તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય – એમ કહીને પ્રભુ પ્રત્યેની તમારી આસ્થાને સંકોરી છે. વળી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને લીધે તમારી એ શ્રદ્ધા વધુ દૃઢ પણ બની છે.'''


રિલ્કેએ કહ્યું હતું કે ‘મારો પ્રભુ જુદો છે.’ ડબલ્યુ. બી, યીટ્સે કહેલું કે ‘મારે ઈશુ પરંપરાથી જુદો છે.’ છાંદોગ્યોપનિષદ્માં કહ્યું છે કે મારા હૃદયમાં નિવસેલો તે જ હું છું. તે જ બ્રહ્મરૂપ એ છે અને આ જગતથી ચિરવિદાય લઈશ ત્યારે તેની સાથે જ અનુસંધાઈ જવાનો છું. ભક્તોએ અને સંતોએ તેની ભાવગદ્ગદ અનુભૂતિ કરી છે. કેવું છે તમારા ઈશ્વરનું રૂપ? તેની અનુભૂતિ વિશે તમને શું કહેવા જેવું લાગે છે?'''
'''રિલ્કેએ કહ્યું હતું કે ‘મારો પ્રભુ જુદો છે.’ ડબલ્યુ. બી, યીટ્સે કહેલું કે ‘મારે ઈશુ પરંપરાથી જુદો છે.’ છાંદોગ્યોપનિષદ્માં કહ્યું છે કે મારા હૃદયમાં નિવસેલો તે જ હું છું. તે જ બ્રહ્મરૂપ એ છે અને આ જગતથી ચિરવિદાય લઈશ ત્યારે તેની સાથે જ અનુસંધાઈ જવાનો છું. ભક્તોએ અને સંતોએ તેની ભાવગદ્ગદ અનુભૂતિ કરી છે. કેવું છે તમારા ઈશ્વરનું રૂપ? તેની અનુભૂતિ વિશે તમને શું કહેવા જેવું લાગે છે?'''


ઉત્તર : તમે અહીં મારી શ્રદ્ધા તેમ જ શ્રી માતાજી અને શ્રી અરવિન્દ પ્રત્યેની ભક્તિ વિશે પ્રશ્ન કર્યો એ આમ તે મને ખૂબ જ ખૂબ ગમ્યો છે. પણ–
ઉત્તર : તમે અહીં મારી શ્રદ્ધા તેમ જ શ્રી માતાજી અને શ્રી અરવિન્દ પ્રત્યેની ભક્તિ વિશે પ્રશ્ન કર્યો એ આમ તે મને ખૂબ જ ખૂબ ગમ્યો છે. પણ–
Line 217: Line 218:
યશવંતભાઈ, શ્રી માતાજીની આ સલાહ ઉપરથી જ તમને એમ નથી થતું કે શ્રી અરવિન્દનો પૂર્ણયોગ કેટલો બધો વહેવારુ ને વાસ્તવિકતાના પાયા ઉપર મંડાયલો હશે?
યશવંતભાઈ, શ્રી માતાજીની આ સલાહ ઉપરથી જ તમને એમ નથી થતું કે શ્રી અરવિન્દનો પૂર્ણયોગ કેટલો બધો વહેવારુ ને વાસ્તવિકતાના પાયા ઉપર મંડાયલો હશે?


'''પ્રશ્ન : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ પુસ્તકની પંદર વાર્તાઓની પસંદગી તમે પોતે જ કરી છે. સારી નવલિકા વિશેનો તમારે ખ્યાલ શો છે? તમારી વાર્તાઓ, તમારું સાહિત્યમાત્ર – જીવનપ્રેરિત છે; ગ્રામજીવનનાં સુખ – દુઃખો, એના જીવનપ્રશ્નો, ગ્રામીણ પરિવેશ, ઈશાનિયા પ્રદેશની લોકબોલી એનો કટુમધુર વાસ્તવ – તમારી અર્ધઝાઝેરી વાર્તાઓમાં પ્રગટ થાય છે. વળી તમે ગાંધીયુગના સંતાન છે. એટલે ગાંધીવાદ – સમાજવાદથી પરિપ્લાવિત અનુકંપાભરી તમારી જીવનદૃષ્ટિ પણ તેમાં પ્રગટ થાય છે. માનવતા – મનુષ્યની લાગણીઓનું જતન તમારી રચનાઓમાં છે. તમારી યુગચેતનામાં રહીનેય તમે એક વિશિષ્ટ પન્નાલાલીય સૃષ્ટિ ખડી કરી શક્યા છો એ ગુજરાતી નવલિકાનું સદ્ભાગ્ય છે.
'''પ્રશ્ન : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ પુસ્તકની પંદર વાર્તાઓની પસંદગી તમે પોતે જ કરી છે. સારી નવલિકા વિશેનો તમારે ખ્યાલ શો છે? તમારી વાર્તાઓ, તમારું સાહિત્યમાત્ર – જીવનપ્રેરિત છે; ગ્રામજીવનનાં સુખ – દુઃખો, એના જીવનપ્રશ્નો, ગ્રામીણ પરિવેશ, ઈશાનિયા પ્રદેશની લોકબોલી એનો કટુમધુર વાસ્તવ – તમારી અર્ધઝાઝેરી વાર્તાઓમાં પ્રગટ થાય છે. વળી તમે ગાંધીયુગના સંતાન છે. એટલે ગાંધીવાદ – સમાજવાદથી પરિપ્લાવિત અનુકંપાભરી તમારી જીવનદૃષ્ટિ પણ તેમાં પ્રગટ થાય છે. માનવતા – મનુષ્યની લાગણીઓનું જતન તમારી રચનાઓમાં છે. તમારી યુગચેતનામાં રહીનેય તમે એક વિશિષ્ટ પન્નાલાલીય સૃષ્ટિ ખડી કરી શક્યા છો એ ગુજરાતી નવલિકાનું સદ્ભાગ્ય છે.'''


તમારી પૂર્વની છેક મલયાનિલ - મુનશીથી માંડીને રચાયેલી વાર્તાઓ અને હવેની સુરેશ જોષી, મધુ રાય, અને કિશોર જાદવ વગેરેની વાર્તાઓ વિશેનો તમારો શો પ્રતિભાવ છે?'''
'''તમારી પૂર્વની છેક મલયાનિલ - મુનશીથી માંડીને રચાયેલી વાર્તાઓ અને હવેની સુરેશ જોષી, મધુ રાય, અને કિશોર જાદવ વગેરેની વાર્તાઓ વિશેનો તમારો શો પ્રતિભાવ છે?'''


ઉત્તર : નવલિકા વિશેનો મારો ખ્યાલ પૂછીને તમે મને અહીં તો વળી સાંડસામાં જ લીધો છે. આગળના મારા જવાબોમાંથી તમને થોડોક ઇશારો તો મળે છે, છતાંય ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે હું એક વિચિત્ર પ્રકારનો લેખક છું. તમે મને વાર્તા-નવલકથાની વ્યાખ્યા કે વિવેચન કરવાનું કહો તો જવાબમાં મારે લોચા વાળવાનો જ વખત આવે. એને બદલે હું તો તમને વાર્તા કે નવલકથા લખી દઉં ને કહું કે આને હું વાર્તા – નવલકથા કહું છું.
ઉત્તર : નવલિકા વિશેનો મારો ખ્યાલ પૂછીને તમે મને અહીં તો વળી સાંડસામાં જ લીધો છે. આગળના મારા જવાબોમાંથી તમને થોડોક ઇશારો તો મળે છે, છતાંય ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે હું એક વિચિત્ર પ્રકારનો લેખક છું. તમે મને વાર્તા-નવલકથાની વ્યાખ્યા કે વિવેચન કરવાનું કહો તો જવાબમાં મારે લોચા વાળવાનો જ વખત આવે. એને બદલે હું તો તમને વાર્તા કે નવલકથા લખી દઉં ને કહું કે આને હું વાર્તા – નવલકથા કહું છું.
Line 230: Line 231:


હવે આટલા વાચન ઉપર નવીનોને મૂલવવા બેસવું એ જોખમભર્યું કહેવાય, પણ મારા મન પર પડેલી છાપ એવી ખરી કે જે વાર્તા વાચકને સમજાય જ નહિ એ એના ચિત્તને કેવી રીતે સ્પર્શી શકે? વળી મન કે ચિત્તને સ્પર્શ્યા વગર વાચક પોતે કેવી રીતે વાર્તાનો રસ કે આનંદ માણી શકે? એટલી વાત તો નિર્વિવાદ છે કે આપણે બીજાને માટે લખીએ છીએ. એમ ન હોય તો લખીએ જ નહીં. ને લખીએ તો પણ છાપવાની કડાકૂટમાં તો પડીએ જ નહીં. તો પછી બીજાઓ સમજે એવું તો લખવું જ પડે ને? વચમાં પ્રતીકોનો પવન ચાલેલો. એ પછી ઘટનાલોપનો વાયરો વાયો. ને હવે — ખબર નથી, ત્રીજો કોઈ પવન ત્રીજી દિશામાં ચાલતો હોય તો! આવા વાયરા ચાલે એ પણ એટલું જ જરૂરનું છે. આમાંથી જ કંઈક ખરેખરનું નવું આવીને ઊભું રહેશે, એવી મને પોતાને પણ શ્રદ્ધા છે. મેં પણ વચ્ચે નવી વાર્તા લખવાનો પ્રયત્ન કરેલો. પણ છેવટ મને લાગ્યું કે ઉદ્દેશ વગર લખવું એ ખાલી ભ્રમ છે. એવા ભ્રમમાં પડવાની આપણે કશી જરૂર નથી. આમેય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક કંકુ લખી ત્યારથી, મને માનવીના જીવનમાં જ રસ છે ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષ હોય છે.
હવે આટલા વાચન ઉપર નવીનોને મૂલવવા બેસવું એ જોખમભર્યું કહેવાય, પણ મારા મન પર પડેલી છાપ એવી ખરી કે જે વાર્તા વાચકને સમજાય જ નહિ એ એના ચિત્તને કેવી રીતે સ્પર્શી શકે? વળી મન કે ચિત્તને સ્પર્શ્યા વગર વાચક પોતે કેવી રીતે વાર્તાનો રસ કે આનંદ માણી શકે? એટલી વાત તો નિર્વિવાદ છે કે આપણે બીજાને માટે લખીએ છીએ. એમ ન હોય તો લખીએ જ નહીં. ને લખીએ તો પણ છાપવાની કડાકૂટમાં તો પડીએ જ નહીં. તો પછી બીજાઓ સમજે એવું તો લખવું જ પડે ને? વચમાં પ્રતીકોનો પવન ચાલેલો. એ પછી ઘટનાલોપનો વાયરો વાયો. ને હવે — ખબર નથી, ત્રીજો કોઈ પવન ત્રીજી દિશામાં ચાલતો હોય તો! આવા વાયરા ચાલે એ પણ એટલું જ જરૂરનું છે. આમાંથી જ કંઈક ખરેખરનું નવું આવીને ઊભું રહેશે, એવી મને પોતાને પણ શ્રદ્ધા છે. મેં પણ વચ્ચે નવી વાર્તા લખવાનો પ્રયત્ન કરેલો. પણ છેવટ મને લાગ્યું કે ઉદ્દેશ વગર લખવું એ ખાલી ભ્રમ છે. એવા ભ્રમમાં પડવાની આપણે કશી જરૂર નથી. આમેય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક કંકુ લખી ત્યારથી, મને માનવીના જીવનમાં જ રસ છે ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષ હોય છે.
એક વાત હું અહીં ધૃષ્ટતા કરીનેય કહીશ કે માનવીના મનને હું ઠીકઠીક પકડી શક્યો છું. ખરું પૂછો તો મારી કેટલીક સફળતાના મૂળમાં આ મન જ પથરાઈ રહેલું છે.
 
એક વાત હું અહીં ધૃષ્ટતા કરીનેય કહીશ કે માનવીના મનને હું ઠીકઠીક પકડી શક્યો છું. ખરું પૂછો તો મારી કેટલીક સફળતાના મૂળમાં આ મન જ પથરાઈ રહેલું છે.


ગમે તેમ પણ મારા મનને એમ જ છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર જ છે, ને એટલે પછી કોઈ પણ પ્રકારની લપછપ કર્યા વગર આપણે આપણી રીતે આપણું કામ શક્ય એટલી શક્તિ રેડીને કર્યા કરીએ છીએ. શ્રદ્ધા સાથે. આપણું કામ આજે નહીં તો કાલે પણ બોલ્યા વગર રહેવાનું નથી.
ગમે તેમ પણ મારા મનને એમ જ છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર જ છે, ને એટલે પછી કોઈ પણ પ્રકારની લપછપ કર્યા વગર આપણે આપણી રીતે આપણું કામ શક્ય એટલી શક્તિ રેડીને કર્યા કરીએ છીએ. શ્રદ્ધા સાથે. આપણું કામ આજે નહીં તો કાલે પણ બોલ્યા વગર રહેવાનું નથી.
Line 236: Line 238:
એક યા બીજી દિશાએથી બોલતું પણ ક્યાં એ નથી સંભળાતું?
એક યા બીજી દિશાએથી બોલતું પણ ક્યાં એ નથી સંભળાતું?


'''પ્રશ્ન : તમારી ષષ્ટિપૂર્તિના આનંદપર્વે ઉમળકાથી મેં ‘એક નવો અધ્યાય’ લખ્યું હતું તેમાંથી આજે ફરી અવતારું છું :
'''પ્રશ્ન : તમારી ષષ્ટિપૂર્તિના આનંદપર્વે ઉમળકાથી મેં ‘એક નવો અધ્યાય’ લખ્યું હતું તેમાંથી આજે ફરી અવતારું છું :'''


‘પન્નાલાલ પટેલના આગમન સાથે ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એમના લોહી-માંસના સાચા માનવીઓ ગાંધી યુગના યથાર્થને નક્કરતા અને ઊંડાઈ આપે છે. એમનાં પાત્રોની વેદનાના મૂળ ઊંડા છે. જન્મની સાથે માણસ એના મૂળથી — અસલી વતનથી — છેટો પડી જાય છે અને પુનઃ ત્યાં પહોંચવા એ જે રીતે મથામણો અનુભવે છે – તે સંઘર્ષો કાળુ-રાજુના છે, સનાતન માનવીના છે. પન્નાલાલ પ્રણયને અભિસરિકાની જેમ ઉછેરે છે અને માતાની જેમ પોષે છે. ઉજ્જડ આભલે અમી વરસે છે ત્યારે જ એમની ચિરતૃષા તૃપ્ત થાય છે. માટીની મુઠ્ઠી ભરીને વસુંધરા પ્રતિ કેટલો અપાર અનુરાગ પ્રગટ કર્યો છે પન્નાલાલે! છપ્પનિયાની કથા કરતાં કરતાં એમણે એક સમયને જે અપૂર્વ રૂપ આપી દીધું છે તે એક મોટા સર્જકની પ્રતિભા-સંપન્નતાનું દ્યોતક છે.
'''‘પન્નાલાલ પટેલના આગમન સાથે ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એમના લોહી-માંસના સાચા માનવીઓ ગાંધી યુગના યથાર્થને નક્કરતા અને ઊંડાઈ આપે છે. એમનાં પાત્રોની વેદનાના મૂળ ઊંડા છે. જન્મની સાથે માણસ એના મૂળથી — અસલી વતનથી — છેટો પડી જાય છે અને પુનઃ ત્યાં પહોંચવા એ જે રીતે મથામણો અનુભવે છે – તે સંઘર્ષો કાળુ-રાજુના છે, સનાતન માનવીના છે. પન્નાલાલ પ્રણયને અભિસરિકાની જેમ ઉછેરે છે અને માતાની જેમ પોષે છે. ઉજ્જડ આભલે અમી વરસે છે ત્યારે જ એમની ચિરતૃષા તૃપ્ત થાય છે. માટીની મુઠ્ઠી ભરીને વસુંધરા પ્રતિ કેટલો અપાર અનુરાગ પ્રગટ કર્યો છે પન્નાલાલે! છપ્પનિયાની કથા કરતાં કરતાં એમણે એક સમયને જે અપૂર્વ રૂપ આપી દીધું છે તે એક મોટા સર્જકની પ્રતિભા-સંપન્નતાનું દ્યોતક છે.'''


ગુજરાતી ભાષાને પન્નાલાલે એક નવું જ રૂપ (Idiom) આપ્યું છે. માત્ર ગુજરાતી નહીં, પણ પૂરા અનુવાદો થશે ત્યારે હાર્ડીના વેસેક્સ પરગણાની જેમ પન્નાલાલનો ઈશાનિયો પ્રદેશ વિશ્વસાહિત્યમાં ચિરકાલીનતાને પામશે.
'''ગુજરાતી ભાષાને પન્નાલાલે એક નવું જ રૂપ (Idiom) આપ્યું છે. માત્ર ગુજરાતી નહીં, પણ પૂરા અનુવાદો થશે ત્યારે હાર્ડીના વેસેક્સ પરગણાની જેમ પન્નાલાલનો ઈશાનિયો પ્રદેશ વિશ્વસાહિત્યમાં ચિરકાલીનતાને પામશે.'''


  ...અને ત્યારે પન્નાલાલની ષષ્ટિપૂર્તિનો આનંદપર્વ સદાસર્વદા ઉજવાતો જ રહેશે —
'''...અને ત્યારે પન્નાલાલની ષષ્ટિપૂર્તિનો આનંદપર્વ સદાસર્વદા ઉજવાતો જ રહેશે —'''
મંહી પૂનમની ધરતી છે! ‘લ્યો ધરતીમાં
{{Poem2Close}}
{{Block center|'''<poem>મંહી પૂનમની ધરતી છે! ‘લ્યો ધરતીમાં
છાનેરો ધમકારો એનો સાહ્યબા!’
છાનેરો ધમકારો એનો સાહ્યબા!’
</poem>'''}}
{{Poem2Open}}


  આમ, તમને રિદ્ધિ અને સિદ્ધિ બંને મળ્યાં છે; શ્રી અને સરસ્વતીનો કૃપાપ્રસાદ તમે પામ્યા છે.
'''આમ, તમને રિદ્ધિ અને સિદ્ધિ બંને મળ્યાં છે; શ્રી અને સરસ્વતીનો કૃપાપ્રસાદ તમે પામ્યા છે.'''


ને હવે છેલ્લે –
'''ને હવે છેલ્લે –'''


સમગ્ર જીવન તમને કેવું લાગ્યું છે?
'''સમગ્ર જીવન તમને કેવું લાગ્યું છે?'''


પન્નાલાલભાઈ, વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તો શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?'''
'''પન્નાલાલભાઈ, વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તો શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?'''


ઉત્તર : ઠીક તમે મારી ષષ્ટિનું સ્મરણ કરાવ્યું. આગળ મેં મારા લેખકજીવનમાં ચમત્કારોની વાત કરી છે. એવો જ આ મારા માટે ઓર એક અદ્ભુત ચમત્કાર હતો. આમ જુઓ તો ભાઈ શ્રી દેવેન મલકાણ–મુંબઈ સિવાય આપણું સાહિત્યજગતમાં ખાસ કંઈ એવી જાણીતી વ્યક્તિ નથી. અરે મારા પણ ક્યાં એ એવા અંતરંગ મિત્ર હતા? આ પહેલાં એક જ વાર અમે મળ્યા હતા ને તે પણ જાણે ઊભા ઊભા – ઇન્ડિયન એક્સપ્રેસની ઑફિસમાં, મારા મિત્ર વજુભાઈ મહેતાની સાથે અને છતાંય બીજી વારની અછડતી એવી મુલાકાતમાં મલકાણને જ્યારે વાત વાતમાં ખબર પડી કે હું લોકોને સસ્તી કિંમતમાં પુસ્તકો આપીને એ રીતે મારી ષષ્ટી ઊજવવા માગું છું ને અમદાવાદના સાહિત્યકાર મિત્રો પણ આ વાતને જાહેર ટેકો આપવાના છે કે —
ઉત્તર : ઠીક તમે મારી ષષ્ટિનું સ્મરણ કરાવ્યું. આગળ મેં મારા લેખકજીવનમાં ચમત્કારોની વાત કરી છે. એવો જ આ મારા માટે ઓર એક અદ્ભુત ચમત્કાર હતો. આમ જુઓ તો ભાઈ શ્રી દેવેન મલકાણ–મુંબઈ સિવાય આપણું સાહિત્યજગતમાં ખાસ કંઈ એવી જાણીતી વ્યક્તિ નથી. અરે મારા પણ ક્યાં એ એવા અંતરંગ મિત્ર હતા? આ પહેલાં એક જ વાર અમે મળ્યા હતા ને તે પણ જાણે ઊભા ઊભા – ઇન્ડિયન એક્સપ્રેસની ઑફિસમાં, મારા મિત્ર વજુભાઈ મહેતાની સાથે અને છતાંય બીજી વારની અછડતી એવી મુલાકાતમાં મલકાણને જ્યારે વાત વાતમાં ખબર પડી કે હું લોકોને સસ્તી કિંમતમાં પુસ્તકો આપીને એ રીતે મારી ષષ્ટી ઊજવવા માગું છું ને અમદાવાદના સાહિત્યકાર મિત્રો પણ આ વાતને જાહેર ટેકો આપવાના છે કે —
Line 296: Line 301:
|next = સામુદ્રો હિ તરંગ
|next = સામુદ્રો હિ તરંગ
}}
}}
{{center|}}