હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
(One intermediate revision by the same user not shown)
Line 10: Line 10:
તેમના ત્રણ ગઝલસંગ્રહો ‘અણસાર’, ‘અણસાર કેવળ’ અને ‘માત્ર ઝાંખી’માં અનુક્રમે ૪૦, ૬૦ અને ૭૪ ગઝલો સમાવિષ્ટ છે. વધુ એક સંગ્રહ થઈ શકે તેટલી ગઝલો અગ્રંથસ્થ છે. તેમની પ્રત્યેક ગઝલમાં પાંચ શેર હોય છે, ન વધુ, ન ઓછો. ગઝલ સ્વરૂપ માટે લઘુતમ પાંચ શેર જોઈએ એમ સ્વીકારાયું છે, આ કવિને તે સંખ્યા અતિક્રમવાની આવશ્યકતા જણાઈ નથી. તેમણે એકેય ગઝલને શીર્ષક આપ્યું નથી.
તેમના ત્રણ ગઝલસંગ્રહો ‘અણસાર’, ‘અણસાર કેવળ’ અને ‘માત્ર ઝાંખી’માં અનુક્રમે ૪૦, ૬૦ અને ૭૪ ગઝલો સમાવિષ્ટ છે. વધુ એક સંગ્રહ થઈ શકે તેટલી ગઝલો અગ્રંથસ્થ છે. તેમની પ્રત્યેક ગઝલમાં પાંચ શેર હોય છે, ન વધુ, ન ઓછો. ગઝલ સ્વરૂપ માટે લઘુતમ પાંચ શેર જોઈએ એમ સ્વીકારાયું છે, આ કવિને તે સંખ્યા અતિક્રમવાની આવશ્યકતા જણાઈ નથી. તેમણે એકેય ગઝલને શીર્ષક આપ્યું નથી.


આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશ્રુંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે, જેને વિવેચકોએ ગઝલસ્વરૂપની મર્યાદા ગણી છે. એક આત્યંતિક ઉદાહરણ લઈએ. જો ગઝલમાં પાંચ શેર હોય, પહેલામાં શૃંગાર, બીજામાં ભયાનક, ત્રીજામાં બિભત્સ, ચોથામાં હાસ્ય અને પાંચમામાં કરુણ રસ નિષ્પન્ન થતો હોય, તો કાવ્યનો પિંડ કેમ બંધાય? હેમંત ધોરડાએ ('કવિએ') આવી વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની,એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેમાં પાંચેય શેરના ભાવ- વિભાવ એકમેકની પુષ્ટિ કરતા હોય. આ કવિ શક્ય તેટલી નાની રદીફ સાથે ગઝલ કહેવી પસંદ કરે છે, અવનવી રદીફનો કે ચિત્રવિચિત્ર કાફિયાનો મોહ રાખતા નથી. તેઓ નથી ઇચ્છતા કે શેર કાફિયાનુસારી થઈ જાય કે રદીફ નિભાવવા ભળતી જ દિશામાં ફંટાઈ જાય. સમાન અંત્ય સ્વર ધરાવતા કાફિયા ‘સ્વરાંત કાફિયા’ કહેવાય છે. જેમ કે ‘દિશા, ખુદા, દશા,જગા’ આકારાંત કાફિયા છે અને ‘લખી, સુધી, જઈ, કહી’ ઈકારાંત કાફિયા છે. સ્વરાંત કાફિયા સ્વીકારનાર શાયરને મોકળું મેદાન મળી જાય; અનેકાનેક કાફિયા ઉપલબ્ધ હોવાથી કૃત્રિમ કહેણી નિવારી શકાય. આ કવિએ સ્વરાંત કાફિયા સાથે ઘણી ગઝલો કહી છે. ઉદાહરણઃ
આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશૃંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે, જેને વિવેચકોએ ગઝલસ્વરૂપની મર્યાદા ગણી છે. એક આત્યંતિક ઉદાહરણ લઈએ. જો ગઝલમાં પાંચ શેર હોય, પહેલામાં શૃંગાર, બીજામાં ભયાનક, ત્રીજામાં બિભત્સ, ચોથામાં હાસ્ય અને પાંચમામાં કરુણ રસ નિષ્પન્ન થતો હોય, તો કાવ્યનો પિંડ કેમ બંધાય? હેમંત ધોરડાએ ('કવિએ') આવી વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની,એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેમાં પાંચેય શેરના ભાવ- વિભાવ એકમેકની પુષ્ટિ કરતા હોય. આ કવિ શક્ય તેટલી નાની રદીફ સાથે ગઝલ કહેવી પસંદ કરે છે, અવનવી રદીફનો કે ચિત્રવિચિત્ર કાફિયાનો મોહ રાખતા નથી. તેઓ નથી ઇચ્છતા કે શેર કાફિયાનુસારી થઈ જાય કે રદીફ નિભાવવા ભળતી જ દિશામાં ફંટાઈ જાય. સમાન અંત્ય સ્વર ધરાવતા કાફિયા ‘સ્વરાંત કાફિયા’ કહેવાય છે. જેમ કે ‘દિશા, ખુદા, દશા,જગા’ આકારાંત કાફિયા છે અને ‘લખી, સુધી, જઈ, કહી’ ઈકારાંત કાફિયા છે. સ્વરાંત કાફિયા સ્વીકારનાર શાયરને મોકળું મેદાન મળી જાય; અનેકાનેક કાફિયા ઉપલબ્ધ હોવાથી કૃત્રિમ કહેણી નિવારી શકાય. આ કવિએ સ્વરાંત કાફિયા સાથે ઘણી ગઝલો કહી છે. ઉદાહરણઃ
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 39: Line 39:


{{Poem2Open}}
{{Poem2Open}}
આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં:
આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં:
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 178: Line 178:
આ કવિ આત્મમંડનથી દૂર રહ્યા છે. આવા શાયરને ઉર્દૂમાં ગોશાનશીન કહે છે. આ કવિની અમુક ગઝલો તો ગુજરાતીની સર્વકાલીન ઉત્તમ ગઝલોમાં સ્થાન પામે તેવી છે.  
આ કવિ આત્મમંડનથી દૂર રહ્યા છે. આવા શાયરને ઉર્દૂમાં ગોશાનશીન કહે છે. આ કવિની અમુક ગઝલો તો ગુજરાતીની સર્વકાલીન ઉત્તમ ગઝલોમાં સ્થાન પામે તેવી છે.  


‘પુરવીદાણા’ (શબ્દાર્થ: મોટી એલચી) આ કવિનો રુબાઈસંગ્રહ છે. રુબાઈ અને મુક્તક વચ્ચે છંદનો તફાવત છે. રુબાઈના ચોવીસ છંદ નિશ્ચિત થયેલા છે, જ્યારે મુક્તક તો ગઝલ માટે પ્રયોજાતા કોઈ પણ છંદમાં લખી શકાય. રુબાઈની ચાર પંક્તિમાં ચાર અલગ અલગ છંદ હોઈ શકે. મુક્તકમાં આવું ન થાય. પરંપરાનુસાર રુબાઈની પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં કાફિયા-રદીફ હોવા જોઈએ, જ્યારે મુક્તકની બીજી અને ચોથી પંક્તિમાં. (આ કવિએ ‘તાણાવાણા-૨’ પુસ્તકમાં રુબાઈનું રસપ્રદ વિશ્લેષણ કર્યું છે.) મરીઝ, આદિલ મન્સૂરી, જવાહર બક્ષી જેવા ગણ્યાગાંઠ્યા શાયરોએ જ રુબાઈ લખી છે. શૂન્ય પાલનપુરીએ ઉમર ખય્યામની રુબાઈઓનો અનુવાદ તો કર્યો છે, પણ રુબાઈના છંદોમાં નહિ. ચિનુ મોદીના રુબાઈ-મુક્તક સંગ્રહમાં એક પણ રુબાઈ નથી! રતિલાલ અનિલ લખે છે કે તેમણે રુબાઈના છંદો સમજવા ઘણી ગડમથલ કરી પણ તે અભેદ્ય લાગ્યા. રુબાઈના અધિકાંશ છંદો ક્લિષ્ટ હોવાથી તેમાં ઝાઝું  
‘પુરવીદાણા’ (શબ્દાર્થ: મોટી એલચી) આ કવિનો રુબાઈસંગ્રહ છે. રુબાઈ અને મુક્તક વચ્ચે છંદનો તફાવત છે. રુબાઈના ચોવીસ છંદ નિશ્ચિત થયેલા છે, જ્યારે મુક્તક તો ગઝલ માટે પ્રયોજાતા કોઈ પણ છંદમાં લખી શકાય. રુબાઈની ચાર પંક્તિમાં ચાર અલગ અલગ છંદ હોઈ શકે. મુક્તકમાં આવું ન થાય. પરંપરાનુસાર રુબાઈની પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં કાફિયા-રદીફ હોવા જોઈએ, જ્યારે મુક્તકની બીજી અને ચોથી પંક્તિમાં. (આ કવિએ ‘તાણાવાણા-૨’ પુસ્તકમાં રુબાઈનું રસપ્રદ વિશ્લેષણ કર્યું છે.) મરીઝ, આદિલ મન્સૂરી, જવાહર બક્ષી જેવા ગણ્યાગાંઠ્યા શાયરોએ જ રુબાઈ લખી છે. શૂન્ય પાલનપુરીએ ઉમર ખય્યામની રુબાઈઓનો અનુવાદ તો કર્યો છે, પણ રુબાઈના છંદોમાં નહિ. ચિનુ મોદીના રુબાઈ-મુક્તક સંગ્રહમાં એક પણ રુબાઈ નથી! રતિલાલ અનિલ લખે છે કે તેમણે રુબાઈના છંદો સમજવા ઘણી ગડમથલ કરી પણ તે અભેદ્ય લાગ્યા. રુબાઈના અધિકાંશ છંદો ક્લિષ્ટ હોવાથી તેમાં ઝાઝું સર્જન ન થાય તે સ્વાભાવિક છે. ‘પુરવીદાણા’માં મુખ્યત્વે પ્રણયરંગી રચનાઓ છે, જે કાવ્યસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરે છે એવું નહિ કહી શકાય.  
 
સર્જન ન થાય તે સ્વાભાવિક છે. ‘પુરવીદાણા’માં મુખ્યત્વે પ્રણયરંગી રચનાઓ છે, જે કાવ્યસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરે છે એવું નહિ કહી શકાય.  


આ કવિની મુખ્ય ઓળખ ગઝલકાર તરીકેની છે. પરંતુ તેમનાં ગઝલેતર કાવ્યો પણ ધ્યાનાર્હ છે. તેમણે અછાંદસ કાવ્યો રચ્યાં છે, ક્યાંક વળી વનવેલી અને કટાવ જેવા લવચીક છંદ સ્વીકાર્યા છે. ‘મોરાની’ ચંપુકાવ્ય છે, જેના અમુક ખંડ ગદ્યમાં ને અમુક પદ્યમાં રચાયા છે. મસાઈ જાતિનો કિશોર, સિંહનો શિકાર કરે પછી જ યોધ્ધા તરીકે સ્વીકારાય એવા અસામાન્ય વિષયને લઈને કવિએ કાવ્ય સરજ્યું છે. મસાઈ કિશોર તર્કનો આશરો લઈને મા-બાપ સામે દલીલ કરે તે ખંડ ગદ્યમાં અને સિંહબાળ સાથેની ધિંગામસ્તી ભાવુક થઈને સંભારે તે ખંડ વનવેલી છંદમાં તેમણે રચ્યા છે. ‘સ્મરણાં’ કાવ્યમાં કવિ ખિસકોલીનું નામ લીધા વગર તેને દ્રષ્ટિગોચર કરી બતાડે છે: ‘દોડેદોડી અટકેઅટકી/ દોડી દોડી આવે/આવે ચટાપટાળાં સ્મરણાં/હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/… બોર ધરીને બે પગ વચ્ચે/ટોચે/ ચાવે પાન પડેલાં…’
આ કવિની મુખ્ય ઓળખ ગઝલકાર તરીકેની છે. પરંતુ તેમનાં ગઝલેતર કાવ્યો પણ ધ્યાનાર્હ છે. તેમણે અછાંદસ કાવ્યો રચ્યાં છે, ક્યાંક વળી વનવેલી અને કટાવ જેવા લવચીક છંદ સ્વીકાર્યા છે. ‘મોરાની’ ચંપુકાવ્ય છે, જેના અમુક ખંડ ગદ્યમાં ને અમુક પદ્યમાં રચાયા છે. મસાઈ જાતિનો કિશોર, સિંહનો શિકાર કરે પછી જ યોધ્ધા તરીકે સ્વીકારાય એવા અસામાન્ય વિષયને લઈને કવિએ કાવ્ય સરજ્યું છે. મસાઈ કિશોર તર્કનો આશરો લઈને મા-બાપ સામે દલીલ કરે તે ખંડ ગદ્યમાં અને સિંહબાળ સાથેની ધિંગામસ્તી ભાવુક થઈને સંભારે તે ખંડ વનવેલી છંદમાં તેમણે રચ્યા છે. ‘સ્મરણાં’ કાવ્યમાં કવિ ખિસકોલીનું નામ લીધા વગર તેને દ્રષ્ટિગોચર કરી બતાડે છે: ‘દોડેદોડી અટકેઅટકી/ દોડી દોડી આવે/આવે ચટાપટાળાં સ્મરણાં/હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/… બોર ધરીને બે પગ વચ્ચે/ટોચે/ ચાવે પાન પડેલાં…’