User:Shnehrashmi

From Ekatra Wiki
Jump to navigation Jump to search



This is User:Shnehrashmi. Hello world!

Quick access

Books need to be added

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

અમદાવાદ મિટિંગ

અમદાવાદ મિટિંગમાં મુખ્યત્વે બે મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા:
1. ટેકનિકલ 2. કન્ટેન્ટ


ટેકનિકલ મુદ્દાઓ
  • સામયિકની સામગ્રી Searchable હોવી જોઈએ (JSTOR પર છે એ રીતે). એટલે કે સામયિકમાં છપાયેલ લેખનું શીર્ષક, લેખક, લેખની સંપૂર્ણ ટેક્સ્ટ વગેરે Search Resultમાં આવવું જોઈએ. અપૂર્વ આશરે જણાવ્યું કે તેઓ આ બાબતે મદદ કરી શકે છે. (જે હમણાં શક્ય નથી. વાંચકોની સરળતા માટે સૂચિઓ મૂકવામાં આવી જ રહી છે.)
  • અપૂર્વ આશરે જણાવ્યુ કે જે કન્ટેન્ટ એક વાર Create થઈ ચૂક્યું છે એને ફરીથી Re-create ન કરવું જોઈએ બલ્કે એ કન્ટેન્ટને Convert કરવું જોઈએ. કન્ટેન્ટને Re-create કરવાથી એટલે કે ફરીથી ટાઈપ કરવાથી એમાં અસંખ્ય ભૂલો પેસી જાય છે.
  • સંજય ચૌધરીએ જણાવ્યુ કે એકત્ર પર રહેલી સમગ્ર સામગ્રીની મદદથી plagiarism checker tool બનાવી શકાય. (પણ આ કરવું એકત્રનો ઉદ્દેશ નથી. બીજા લોકો એ કરવા માંગતા હોય એ અલગ વાત છે.)
  • અપૂર્વ આશરે એમ પણ જણાવ્યુ કે એકત્ર પર Right Click ડિઝેબલ ન કરવું. એમ કરવાથી સર્ચ એન્જિનમાં પ્રોબ્લેમ ઊભો થાય છે.
  • સામયિકોમાંના લેખોને પ્રિન્ટ કરી શકાય એવી સવલત હોવી જોઈએ. કેમ કે કોઈ લાંબો લેખ ઓનલાઈન કમ્પ્યુટરની સ્ક્રીન પર વાંચવો મુશ્કેલ છે.


કન્ટેન્ટના મુદ્દાઓ
  • કન્ટેન્ટનું ઓડિયો રૂપાંતર કરવું. અમુક લોકોએ computer generated ઓડિયોનું સૂચન કર્યું, જ્યારે રાજેશભાઈએ કહ્યું કે computer generated અવાજ ગુજરાતી વાંચકને સ્પર્શી નહીં શકે, ખાસ કરીને એ લોકો કે જેઓ ગુજરાતી વાંચી શકે છે. માટે કોઈ વ્યક્તિના Real Voiceમાં ઓડિયો રોકર્ડિંગ થાય એ વધુ આવકાર્ય છે.
  • પરેશ નાયકે જણાવ્યુ કે કોઈ ચોક્કસ લેખક કે કૃતિ પર ફોકસ કરવો. જેમ કે 'સરસ્વતીચંદ્ર'ને લો, અને 'સરસ્વતીચંદ્ર' વિશે થયેલા તમામ અભ્યાસો અને લેખો એકત્ર પર મૂકવા, એ જ રીતે કોઈ લેખકને પણ લઈ શકાય. બીજો મુદ્દો: સંપાદનોની ગુણવત્તા સુધારવી જોઈએ.
  • ઉષા ઉપાધ્યાયે જણાવ્યુ કે એકત્રનું એક ફોકસ હોવું જોઈએ, એક specialization હોવું જોઈએ, જેમ કે કોઈ એક કેટેગરીના લેખકો, વિષય કે પછી કોઈ એક યુગ. જેથી એકત્રની એક ઓળખ ઊભી થાય. એમનું માનવું છે કે હમણાં એકત્રનું ધ્યાન અને સામગ્રી વિખરાયેલી છે. જો કે, અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એકત્ર વિશે માહિતિગાર છે તે એક સારી બાબત છે. તેમણે ઉમેર્યું કે, ૧૯મી સદીના પુસ્તકો શરૂઆતમાં એક નાનકડા પરિચય સાથે મૂકવા જોઈએ.
  • શૈલેષ પારેખે જણાવ્યુ કે લેખકોની જે-તે કૃતિઓની હસ્તપ્રતો મેળવીને મૂકવી, જેમ કે ગોવર્ધનરામ (સરસ્વતીચંદ્ર), બ. ક. ઠાકોર (દિનકી), નરસિંહરાવની રોજનીશી, રઘુવીર ચૌધરી ('અમૃતા'), રાવજીના કાવ્યોની હસ્તપ્રત વગેરે. તેમજ બીજા લેખકોને તેમની કૃતિઓની હસ્તપ્રત એકત્રને આપવા માટે વિનંતી કરવી.
  • અપૂર્વ આશરે જણાવ્યુ કે ગુજરાતી સાહિત્યના દરેક લેખકનું એક જુદું પેજ બનાવવું, તેમના ટૂંકા પરિચય સાથે તેમના પુસ્તકોનું લિસ્ટ બનાવવું. વળી એમાં દરેક પુસ્તકનું અલગ પાનું બનાવીને તેનું મુખપૃષ્ઠ અને અનુક્રમણિકા મૂકવી. જેમ જેમ જે-તે પુસ્તકોની પરમીશન મળતી જાય એમ એમ પુસ્તક મૂકતાં જવું.
  • 'સંચયન' outdated થઈ ચૂક્યું છે, અને એનું સંમાર્જન કરવું જરૂરી બની ગયું છે.
Bibliography
  • ગુજરાતની બધી લાઈબ્રેરીની સૂચિઓ મેળવીને તેને ઓનલાઈન એકત્ર પર મૂકવી. ખાસ કરીને ૧૯મી સદીના પુસ્તકોની સૂચિઓ. જેથી કયું પુસ્તક કઈ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે તે જાણી શકાય.
  • એ ઉપરાંત જે તે સામયિકની વાર્ષિક સૂચિઓ પણ અહીં મૂકવી.