ભારતીય કાવ્યસિદ્ધાંત/તાત્પર્યવૃત્તિ અને વ્યંગ્યાર્થ

From Ekatra Wiki
Revision as of 13:49, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. તાત્પર્યવૃત્તિ અને વ્યંગ્યાર્થ :

વ્યંગ્યાર્થને તાત્પર્યવૃત્તિથી બોધિત થતો માનવો એ પણ ઇષ્ટ નથી. કદાચ કોઈ એવું માને તો અભિહિતાન્વયવાદીઓએ સ્વીકારેલી તાત્પર્ય-વૃત્તિથી એ જુદી ગણાય એ સ્પષ્ટ છે; કેમ કે અભિહિતાન્વયવાદીઓની તાત્પર્યવૃત્તિ તો શબ્દોના વાચ્યાર્થ સંબદ્ધ કરવામાં જ કામે લાગે છે. તાત્પર્યવૃત્તિનું આવું વિસ્તૃત કાર્યક્ષેત્ર કલ્પવામાં જ ભૂલ થાય છે. એમ કરવા કરતાં વ્યંગ્યાર્થને જુદી વ્યંજનાશક્તિથી બોધિત થતો માનવો એ શું ખોટું? અને તાત્પર્યવૃત્તિ આ બંને કામ કરતી હોય, તો પછી સવાલ માત્ર નામફેરનો જ રહે છે.