નર્મદ-દર્શન/નર્મદની સર્જકતા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 130: Line 130:
|૧૫
|૧૫
|}
|}
<center>
</center>
{{center|□}}
{{center|□}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 183: Line 183:
ગુલામી અવસ્થાને ધિક્કારતાં તે ઉદ્‌ગારે છે :
ગુલામી અવસ્થાને ધિક્કારતાં તે ઉદ્‌ગારે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધિઃક ધિઃક દાસપણું દાસપણું;
{{Block center|'''<poem>ધિઃક ધિઃક દાસપણું દાસપણું;
બળ્યું તમારું શાણપણું...
બળ્યું તમારું શાણપણું...
....
....
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણામાં મરવું?
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણામાં મરવું?
.....
.....
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં.</poem>}}
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કરેંગે યા મરેંગે’ની હાકલ નર્મદે આ પંક્તિઓમાં કરી છે :
‘કરેંગે યા મરેંગે’ની હાકલ નર્મદે આ પંક્તિઓમાં કરી છે :
Line 196: Line 196:
અથવા
અથવા
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
{{Block center|'''<poem>ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.</poem>}}
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલનો યુદ્ધટંકાર ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ – નર્મદની આ પંક્તિઓમાં પૂર્વોચ્ચાર પામ્યો છે :
ન્હાનાલાલનો યુદ્ધટંકાર ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ – નર્મદની આ પંક્તિઓમાં પૂર્વોચ્ચાર પામ્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જુદ્ધ જુદ્ધ જુદ્વ હવે નથી ઉપાય બીજો.</poem>}}
{{Block center|'''<poem>જુદ્ધ જુદ્ધ જુદ્વ હવે નથી ઉપાય બીજો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રિયતમાએ પણ પ્રિયને ‘પ્રેમમસ્ત’ થવાને બદલે ‘જંગમસ્ત’ થવા પ્રેરવો જોઈએ અને પ્રિયતમે પણ સંકલ્પ કરવો જોઈએ :
પ્રિયતમાએ પણ પ્રિયને ‘પ્રેમમસ્ત’ થવાને બદલે ‘જંગમસ્ત’ થવા પ્રેરવો જોઈએ અને પ્રિયતમે પણ સંકલ્પ કરવો જોઈએ :
Line 232: Line 232:
કવિએ નાયિકાભાવનાં તેમ નાયકભાવનાં બન્ને પ્રકારનાં પદો લખ્યાં છે, જેમાંનાં ઘણાં સામાન્ય રતિભાવનાં છે. પરંતુ ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’, ‘વાંસળીની મોહની’, ‘નંદકુમાર, પૂરી હવે હું હારી રે’, ‘સજનડા શા સારું ના’વે?’ જેવાં પદો રતિભાવની પ્રાકૃતતામાંથી ઊંચાં આવ્યાં છે. ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’ એ પદ પ્રેમલક્ષણા ભક્તિની કોટિનું કાવ્ય બન્યું છે. તો ‘સજનડા શા સારું ના’વે?’ લૌકિક પ્રેમનું ચારુ પદ બન્યું છે. નર્મદ કેવળ લૌકિક પ્રેમ કે લૈંગિક સુખમાં રાચનારો નથી. ઊંચા શિવપરક પ્રેમની ઝંખના પણ તેનાં કેટલાંક પદોમાં છે :
કવિએ નાયિકાભાવનાં તેમ નાયકભાવનાં બન્ને પ્રકારનાં પદો લખ્યાં છે, જેમાંનાં ઘણાં સામાન્ય રતિભાવનાં છે. પરંતુ ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’, ‘વાંસળીની મોહની’, ‘નંદકુમાર, પૂરી હવે હું હારી રે’, ‘સજનડા શા સારું ના’વે?’ જેવાં પદો રતિભાવની પ્રાકૃતતામાંથી ઊંચાં આવ્યાં છે. ‘સખી રૂઠ્યો છે આજ રસિક સામળો જો’ એ પદ પ્રેમલક્ષણા ભક્તિની કોટિનું કાવ્ય બન્યું છે. તો ‘સજનડા શા સારું ના’વે?’ લૌકિક પ્રેમનું ચારુ પદ બન્યું છે. નર્મદ કેવળ લૌકિક પ્રેમ કે લૈંગિક સુખમાં રાચનારો નથી. ઊંચા શિવપરક પ્રેમની ઝંખના પણ તેનાં કેટલાંક પદોમાં છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રેમ મટોડી દેહની, વળી પ્રેમ રૂપ આ જીવ,
{{Block center|'''<poem>પ્રેમ મટોડી દેહની, વળી પ્રેમ રૂપ આ જીવ,
પ્રેમ જમીને રોજ ટકે, શુદ્ધ પ્રેમ થકી બનું શિવ.
પ્રેમ જમીને રોજ ટકે, શુદ્ધ પ્રેમ થકી બનું શિવ.
સઘળું સમજે છે સાહ્યબા, સત પ્રેમે રોજ રિબાવ,
સઘળું સમજે છે સાહ્યબા, સત પ્રેમે રોજ રિબાવ,
માની લઈને રે વીનંતી, લઉ પછી સત સુખ લ્હાવ.</poem>}}
માની લઈને રે વીનંતી, લઉ પછી સત સુખ લ્હાવ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રિયકાન્તના ‘પ્રબલ ગતિ’ના ‘તું વસ્ત્રમાં હોય છે ત્યારે’ કાવ્યમાં છે તેવા લિંગસંસ્કારવાળી અથવા આદિલ મન્સૂરી કે ગુલામમહમ્મદ શેખની છે તેવી લિંગવાદી કવિતા તેમના પહેલાં મળી તે નર્મદમાં. પરંતુ ૧૮૬૬ પછી તો તેય શૃંગાર કવિતાથી ઉન્મન થઈ ગયો હતો. ‘સત પ્રેમે રોજ રિબાવ’નો સાત્ત્વિક ઉન્મેષ ૧૮૬૬ પહેલાં પ્રગટી ચૂક્યો હતો. તે પછી રચાયેલાં ૧૯ પદોમાં પ્રીતિ છે, રતિના વિલાસનો ઉન્માદ નથી. ‘સુધારો ને સુધારાવાળા’ (૧૮૮૧) એ લેખમાં ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ તેનો આ અભિપ્રાય કેવળ સમકાલીન યુવાનો માટે નથી, તેની પોતાની આ વિષયની કવિતા માટેય તેણે સ્વીકારી લીધો છે. તે પોતેય તેનાથી ઓચાઈ ગયો છે એમ જણાય છે. અહીં પણ જગતની સંસ્કૃતિ અને સ્વધર્મના આરંભાયેલા મનનનો પ્રભાવ જોઈ શકાય છે.
પ્રિયકાન્તના ‘પ્રબલ ગતિ’ના ‘તું વસ્ત્રમાં હોય છે ત્યારે’ કાવ્યમાં છે તેવા લિંગસંસ્કારવાળી અથવા આદિલ મન્સૂરી કે ગુલામમહમ્મદ શેખની છે તેવી લિંગવાદી કવિતા તેમના પહેલાં મળી તે નર્મદમાં. પરંતુ ૧૮૬૬ પછી તો તેય શૃંગાર કવિતાથી ઉન્મન થઈ ગયો હતો. ‘સત પ્રેમે રોજ રિબાવ’નો સાત્ત્વિક ઉન્મેષ ૧૮૬૬ પહેલાં પ્રગટી ચૂક્યો હતો. તે પછી રચાયેલાં ૧૯ પદોમાં પ્રીતિ છે, રતિના વિલાસનો ઉન્માદ નથી. ‘સુધારો ને સુધારાવાળા’ (૧૮૮૧) એ લેખમાં ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ તેનો આ અભિપ્રાય કેવળ સમકાલીન યુવાનો માટે નથી, તેની પોતાની આ વિષયની કવિતા માટેય તેણે સ્વીકારી લીધો છે. તે પોતેય તેનાથી ઓચાઈ ગયો છે એમ જણાય છે. અહીં પણ જગતની સંસ્કૃતિ અને સ્વધર્મના આરંભાયેલા મનનનો પ્રભાવ જોઈ શકાય છે.
Line 241: Line 241:
કવિનાં પ્રકૃતિકાવ્યોમાં ‘કબીરવડ’ અનવદ્ય રચના છે. તેમાં ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા તેમ જ પ્રતીપની સંસૃષ્ટિનું આ દૃષ્ટાંત જુઓ :
કવિનાં પ્રકૃતિકાવ્યોમાં ‘કબીરવડ’ અનવદ્ય રચના છે. તેમાં ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા તેમ જ પ્રતીપની સંસૃષ્ટિનું આ દૃષ્ટાંત જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
{{Block center|'''<poem>ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો;
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,
દીસ્યો હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો.</poem>}}
સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો.</poem>'''}}
તેના જટાજૂટથી શંકર પણ શરમાઈ હિમાલયમાં જઈ વસ્યા એ પ્રતીપ અલંકાર ઉપરના વર્ણનના પરમ ઉત્કર્ષ બિંદુ રૂપ છે.
તેના જટાજૂટથી શંકર પણ શરમાઈ હિમાલયમાં જઈ વસ્યા એ પ્રતીપ અલંકાર ઉપરના વર્ણનના પરમ ઉત્કર્ષ બિંદુ રૂપ છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 267: Line 267:
પ્રકૃતિમાં કવિને પરબ્રહ્મની લીલાનાં દર્શન થતાં ભરચોમાસે તે પ્રકૃતિની શોભાને નિહાળવા નાશકત્ર્યંબકની યાત્રાએ નીકળી પડતો અને ‘સૃષ્ટિ-સૌન્દર્ય રૂપી બ્રહ્મમાં’ લીન થઈ જતો.
પ્રકૃતિમાં કવિને પરબ્રહ્મની લીલાનાં દર્શન થતાં ભરચોમાસે તે પ્રકૃતિની શોભાને નિહાળવા નાશકત્ર્યંબકની યાત્રાએ નીકળી પડતો અને ‘સૃષ્ટિ-સૌન્દર્ય રૂપી બ્રહ્મમાં’ લીન થઈ જતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બ્રહ્મ તણી લીલાનાં દર્શન થયાં શૂભ સાક્ષાત્‌
{{Block center|'''<poem>બ્રહ્મ તણી લીલાનાં દર્શન થયાં શૂભ સાક્ષાત્‌
થયાં શૂભ સાક્ષાદાનંદે કહે નર્મદ ચંદ્રાવળા છંદે,
થયાં શૂભ સાક્ષાદાનંદે કહે નર્મદ ચંદ્રાવળા છંદે,
ભૂખ તરસ લેશ ન દમતાં...</poem>}}
ભૂખ તરસ લેશ ન દમતાં...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે દુન્યવી વ્યવહારથી ખિન્ન થતો ત્યારે મુંબઈની બહાર ટેકરીઓમાં ફરવા નીકળી પડતો અને નિસર્ગમાંથી આશ્વાસન અને પ્રોત્સાહન મેળવતો. આવી એક ટેકરીને તો તેણે શ્લેષપૂર્વક ‘નર્મટેકરી’ નામ પણ આપ્યું હતું. એ ટેકરી અને તેના પરિસરની પ્રકૃતિનું વર્ણન કરતાં તે પરમાત્મા સાથે એકાત્મભાવનો અનુભવ વ્યક્ત કરે છે :
તે દુન્યવી વ્યવહારથી ખિન્ન થતો ત્યારે મુંબઈની બહાર ટેકરીઓમાં ફરવા નીકળી પડતો અને નિસર્ગમાંથી આશ્વાસન અને પ્રોત્સાહન મેળવતો. આવી એક ટેકરીને તો તેણે શ્લેષપૂર્વક ‘નર્મટેકરી’ નામ પણ આપ્યું હતું. એ ટેકરી અને તેના પરિસરની પ્રકૃતિનું વર્ણન કરતાં તે પરમાત્મા સાથે એકાત્મભાવનો અનુભવ વ્યક્ત કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્ઞાન ચંદ્ર ને મનઆકાશ જોઈ કરું કર્તામાં વાસ,
{{Block center|'''<poem>જ્ઞાન ચંદ્ર ને મનઆકાશ જોઈ કરું કર્તામાં વાસ,
જીવનમુક્ત થાઉં ખરો, પછી હોય શેનો ખર્ખરો?</poem>}}
જીવનમુક્ત થાઉં ખરો, પછી હોય શેનો ખર્ખરો?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી અનુભૂતિ જ તેને વસંતને કામના ઉદ્દીપનને સ્થાને ‘સલૂણી સાધવી બ્રહ્મબાલા’ તરીકે; તેના રંગ, સુગંધ, ઉત્ફુલ્લતા, પ્રમોદ અને લલિતતામાં ઈશના પરમ ઐશ્વર્યના આવિષ્કાર તરીકે અભિવંદવા પ્રેરે છે. એ જ ઉન્મેષથી ‘ચન્દ્રોદય’માં તે તેની ઉદ્દીપકતાને પ્રેમલક્ષણા ભક્તિના વિભાવરૂપે વર્ણવે છે :
આવી અનુભૂતિ જ તેને વસંતને કામના ઉદ્દીપનને સ્થાને ‘સલૂણી સાધવી બ્રહ્મબાલા’ તરીકે; તેના રંગ, સુગંધ, ઉત્ફુલ્લતા, પ્રમોદ અને લલિતતામાં ઈશના પરમ ઐશ્વર્યના આવિષ્કાર તરીકે અભિવંદવા પ્રેરે છે. એ જ ઉન્મેષથી ‘ચન્દ્રોદય’માં તે તેની ઉદ્દીપકતાને પ્રેમલક્ષણા ભક્તિના વિભાવરૂપે વર્ણવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઉત્ફુલ્લ આ માલતી પોયણી છે,
{{Block center|'''<poem>ઉત્ફુલ્લ આ માલતી પોયણી છે,
હિમાંશુ કિર્ણે ચમકે ઘણી છે;
હિમાંશુ કિર્ણે ચમકે ઘણી છે;
પ્રસન્ન રાગી વન ચન્દ્રિકા છે,
પ્રસન્ન રાગી વન ચન્દ્રિકા છે,
પ્રસન્ન હું છું, પણ ગોપી ક્યાં છે?</poem>}}
પ્રસન્ન હું છું, પણ ગોપી ક્યાં છે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તો પ્રેમલક્ષણાના વ્યત્યયનું, કૃષ્ણ ગોપીને ઝંખે તેનું અનુભાવન થયું. આ ઉદ્દીપન વિભાવ અને પાત્રવ્યત્યય કામભોગનું નહિ, કામવિજયનું ગૌરવ કરે છે :
આ તો પ્રેમલક્ષણાના વ્યત્યયનું, કૃષ્ણ ગોપીને ઝંખે તેનું અનુભાવન થયું. આ ઉદ્દીપન વિભાવ અને પાત્રવ્યત્યય કામભોગનું નહિ, કામવિજયનું ગૌરવ કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હેમંતમાં મેં ભણ્યું વેણ જેહ,
{{Block center|'''<poem>હેમંતમાં મેં ભણ્યું વેણ જેહ,
આજે શરદમાં કરૂં પૂર્ણ તેહ,
આજે શરદમાં કરૂં પૂર્ણ તેહ,
રાસે રમાડું યુવતી પ્રિયાને,
રાસે રમાડું યુવતી પ્રિયાને,
કંદર્પ જીતું લખું એકતાને.</poem>}}
કંદર્પ જીતું લખું એકતાને.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૬૭ પછી કવિએ સુરત ખાતે મુકામ કર્યો. સુરતથી મુંબઈ જતાં માર્ગમાં, મુંબઈની ટેકરીઓ અને સાગરતટે ફરતાં, કે નાશક-ત્ર્યંબકના પ્રવાસે જતાં જે પ્રકૃતિદર્શન થતું તે હવે ઓછું થયું. કવિની કાવ્યપ્રવૃત્તિ જે અન્ય કારણે મંદ પડી તે સાથે પ્રકૃતિકાવ્યની સંખ્યા પણ ઓછી થઈ. તેમ છતાં માનવભાવની અભિવ્યક્તિમાં પ્રકૃતિ તેને કલ્પનો, પ્રતીકો પૂરાં પાડતી જ રહી હતી. વાસ્તવમાં પ્રકૃતિએ તેને પરબ્રહ્મની નિકટ લાવી મૂક્યો હતો. તે સ્થાનેથી તે હવે પછી તસુયે ખસ્યો નથી એ ‘રાજ્યરંગ’માં તેણે આપેલા વિશ્વરૂપ દર્શનમાં પ્રતીત થાય છે.
૧૮૬૭ પછી કવિએ સુરત ખાતે મુકામ કર્યો. સુરતથી મુંબઈ જતાં માર્ગમાં, મુંબઈની ટેકરીઓ અને સાગરતટે ફરતાં, કે નાશક-ત્ર્યંબકના પ્રવાસે જતાં જે પ્રકૃતિદર્શન થતું તે હવે ઓછું થયું. કવિની કાવ્યપ્રવૃત્તિ જે અન્ય કારણે મંદ પડી તે સાથે પ્રકૃતિકાવ્યની સંખ્યા પણ ઓછી થઈ. તેમ છતાં માનવભાવની અભિવ્યક્તિમાં પ્રકૃતિ તેને કલ્પનો, પ્રતીકો પૂરાં પાડતી જ રહી હતી. વાસ્તવમાં પ્રકૃતિએ તેને પરબ્રહ્મની નિકટ લાવી મૂક્યો હતો. તે સ્થાનેથી તે હવે પછી તસુયે ખસ્યો નથી એ ‘રાજ્યરંગ’માં તેણે આપેલા વિશ્વરૂપ દર્શનમાં પ્રતીત થાય છે.
Line 324: Line 324:
બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધુ રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તો પણ કાંઈ છે, ને રંગ છે... ઉદય ઉદય શ્રી રંગ!’
બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધુ રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તો પણ કાંઈ છે, ને રંગ છે... ઉદય ઉદય શ્રી રંગ!’
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<br>
રાજકોટ : ૧૨-૧૦-૧૯૮૩<br>
રાજકોટ : ૧૨-૧૦-૧૯૮૩<br>
‘દીપે અરુણું પરભાત’ : સ્મરણિકા સ્વાગત સમિતિ, સુરત ગુજરાતી સાહિત્ય પરિષદ ૩૨મું અધિવેશન. ડિસે. ૧૯૮૩.
‘દીપે અરુણું પરભાત’ : સ્મરણિકા સ્વાગત સમિતિ, સુરત ગુજરાતી સાહિત્ય પરિષદ ૩૨મું અધિવેશન. ડિસે. ૧૯૮૩.