ભરત વિંઝુડાની ગઝલસંપદા/ભીનાં નીકળ્યાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 05:16, 14 November 2025

૬૦
ભીનાં નીકળ્યાં


ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.
પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.
જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.
જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.
જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.

(ચિત્તની લીલાઓ)