આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/R: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
mNo edit summary
 
Line 57: Line 57:
'''Rising Action ક્રિયાચઢાવ'''
'''Rising Action ક્રિયાચઢાવ'''
:આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે.
:આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે.
જુઓ : Catastrophe, Plot.
:જુઓ : Catastrophe, Plot.
'''Romance સાહસકથા'''
'''Romance સાહસકથા'''
:મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો.
:મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો.

Latest revision as of 05:59, 22 November 2025

સંજ્ઞાકોશ
R

Radicalism ઉગ્રતાવાદ

અંતિમવાદી સિદ્ધાંત કે વિચારધારાનું અનુસરણ કરવાનું વલણ. સાહિત્યમાં આ સંજ્ઞાને અંતિમવાદી દૃષ્ટિબિંદુઓનો પોતાના લેખનમાં વિનિયોગ કરતા સર્જકો અને તેમની કૃતિઓના સંદર્ભમાં ઉલ્લેખ થાય છે. તદ્‌નુસાર દાદાવાદ, અતિવાસ્તવવાદ વગેરે ઉગ્રતાવાદી વિચારધારાનાં ઉદાહરણો છે.

Rationalism બુદ્ધિવાદ

જુઓ : Empiricism.

Reader identification વાચક તાદાત્મ્ય

સાહિત્યજગતનાં પાત્રોના પ્રતિભાવ અને એમની લાગણીઓ સાથે વાચક પોતાની જાતને જે પ્રક્રિયાથી સાંકળી દે છે એ પ્રક્રિયા. ટૂંકમાં, સાહિત્યિક ચરિત્રોના ભાવો અને એમની લાગણીઓનું વાચકોમાં થતું સંક્રમણ.

Realism વાસ્તવવાદ

રોજિંદા જીવનની ઘટનાઓને કૃતિના વિષય તરીકે સરળ, પરિચિત શૈલીમાં નિરૂપવાનો આગ્રહ સેવતો આ સાહિત્યિક વાદનો ગદ્ય સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં વિનિયોગ થયો છે. ભાષાની સરળતા, વિગતોની ઝીણવટ તથા વર્ણનોમાં સત્યાભાસ (verisimilitude). એ આ વાદનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૩૦ની ફ્રેન્ચ ક્રાંતિ પછી વાસ્તવવાદનો સક્રિય સાહિત્યિક ચળવળ તરીકે ઉદ્‌ભવ થયો. વીસમી સદીના આરંભમાં આ વાદની વિભાવનામાં કેટલાંક પરિવર્તન આવ્યાં, જે પૈકી છબીકલાની ઝીણવટને સાહિત્યિક કૃતિમાં ઝીલવાનું વલણ મહત્ત્વનું છે. સામાજિક વાસ્તવવાદ (Social Realism)ના ઉદ્‌ભવ સાથે મધ્યમ અને નીચલા વર્ગના સમાજના કથાસાહિત્યમાં આ વાદની છાયામાં નિરાશા, વૈફલ્ય, ઉપેક્ષા વગેરે ભાવોનો વિનિયોગ થવા લાગ્યો.
ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે.
જુઓ : Social Realism.

Reception Theory ભાવન સિદ્ધાંત

ભાવનસિદ્ધાંત એ વાચક-પ્રતિભાવ વિવેચનનો (Reader-Response criticism) ઇતિહાસલક્ષી વિનિયોગ છે. ૧૯૭૦માં રોબર્ટ જાઉસે (Jauss) એમના લેખ (Literary history as a challenge to Literary Theory)માં આ સિદ્ધાંત રજૂ કર્યો. અન્ય વાચક પ્રતિભાવ વિવેચનોની જેમ આ સિદ્ધાંતનું કેન્દ્ર કૃતિના ભાવનમાં છે, જો કે આ સિદ્ધાંત એક જ સમયના એક જ વાચકના પ્રતિભાવમાં નહીં, પણ ચોક્કસ સમયગાળાના વાચકોના જે તે કૃતિ કે કૃતિઓ તરફના પ્રતિભાવોને પોતાનો અભ્યાસ-વિષય બનાવે છે. આ પ્રતિભાવો અર્થઘટનાત્મક મૂલ્યાંકનપરક અને પરિવર્તનશીલ હોય છે. જાઉસના મત મુજબ કૃતિને કોઈ વસ્તુનિષ્ઠ અર્થ નથી હોતા, પણ કૃતિમાં વસ્તુનિષ્ઠ રીતે વર્ણવી શકાય એવાં વિવિધ લક્ષણો જરૂર હોય છે. વાચકની પોતાની ભાષાકીય અને સૌન્દર્યબોધાત્મક અપેક્ષાઓની ક્ષિતજો અને આ અપેક્ષાઓની પુષ્ટિ કે એમનું ખંડન, બંને જ્યારે કૃતિનાં પોતાનાં લક્ષણો વડે પડકારાય છે ત્યારે વાચકનો પ્રતિભાવ એ બંનેનું સહઉત્પાદન બને છે. વાચકોની ક્ષિતિજો સમયે સમયે પરિવર્તન પામે છે અને અનુગામી વાચક-વિવેચક માટે તેમના પુરોગામી વાચકોના પ્રતિભાવો સુગમ્ય બને છે અને તેથી જે તે કૃતિના વિવેચનાત્મક અર્થઘટન અને મૂલ્યાંકનોની એક ઐતિહાસિક પરંપરા વિકાસ પામે છે.

Recognition અભિજ્ઞાન

ટ્રેજેડીની પશ્ચિમની વિભાવના અનુસાર નાયકને તેના જીવનની અત્યંત દુઃખદ ક્ષણે રહસ્યમય સત્યની જાણકારી થાય એ સ્થિતિ અભિજ્ઞાન (Recognition) તરીકે ઓળખાય છે. આ સંદર્ભમાં પોતાના પિતાનું ખૂન કરી માતા સાથે લગ્ન કર્યાની ઈડિપસને થતી જાણ અભિજ્ઞાનની ક્ષણ (moment of recognition) તરીકે ઓળખાય છે.

Reference નિર્દેશ

ભાષાકિય અભિવ્યક્તિ અને વ્યક્તિ કે પદાર્થ વચ્ચેનો સંબંધ. દા.ત. ‘આ માણસ’ જેવો ભાષાપ્રયોગ એક જ વ્યક્તિનો એક પ્રસંગે નિર્દેશ કરે છે. એવી જ રીતે જુદી જ અભિવ્યક્તિ જે તે હસ્તીનો નિર્દેશ કરતી હોય છે. દા.ત. કનૈયાલાલ મુનશી અને ‘ગુજરાતનો નાથ’ના લેખક.

Reflective Lyric ચિંતનોર્મિકાવ્ય

જીવન વિશેના ગંભીર ચિંતનાત્મક વિષયને આધારે રચાયેલું ઊર્મિકાવ્ય. ‘આત્મલક્ષી ઊર્મિકાવ્યમાં મહાકાવ્ય અને નાટકની પ્રૌઢિનો અણસારો આપે એવો પ્રકાર તે ચિન્તનાત્મક ઊર્મિકાવ્યનો’ (ઉમાશંકર જોશી, સમસંવેદન, પૃ. ૨૩૦).
જેમ કે, ઉમાશંકર જોશીનું ‘સદ્‌ગત મોટા ભાઈને’.

Refrain ધ્રુવપંક્તિ

ગીત-કાવ્યમાં દરેક ચરણને અંતે પુનરાવૃત્ત થતાં પદ કે પંક્તિ.
જેમ કે, માધવ રામાનુજની રચના ‘હળવા તે હાથે’માં આવતી ધ્રુવપંક્તિઃ ‘અમે કોમળ કોમળ’.

Register પ્રભાષા

ભાષાના પ્રસંગમૂલક વિવિધ ભેદોને બ્રિટિશ ભાષાવિજ્ઞાનીઓ પ્રભાષા કહે છે. પ્રત્યેક ભાષા-સમુદાયના જુદા જુદા સામાજિક સાંસ્કૃતિક પ્રસંગો, સંદર્ભોની સાથે ભાષાનું કોઈ વિશેષ પ્રકાર્ય (જેમ કે, પ્રતિભાવાત્મક-સંવેગાત્મક) સંકળાયેલું હોય છે. પ્રભાષાઓમાં વિશિષ્ટ શબ્દો, વ્યાકરણિક કોટિઓ, અર્થછટાઓ તથા પ્રયુક્તિઓનો વિનિયોગ કરવામાં આવે છે. સાહિત્યમાં પ્રભાષાઓનો વિનિયોગ જાણીતા છે.

Reification મૂર્તકરણ

સંદિગ્ધ સંરચનાઓના અર્થોને વાક્યાન્તર્ગત સંદર્ભો દ્વારા નક્કી કરવાની ક્રિયા. સ્વરૂપમાં બહારથી સરખાં લાગતાં વાક્યોની અંતરંગ સંરચના જુદી જુદી હોઈ શકે છે. વાક્યના આંતરિક રચનાતંત્રને કેવળ બહારની સપાટીથી પામી શકાતું નથી અને આ હકીકત સંદિગ્ધતાનું કારણ બને છે.
જેમ કે, દાળભાત, દાળવડાં અને દાળમૂઠ, આ ત્રણે પ્રયોગોમાં ‘દાળ’ના જુદા જુદા અર્થપ્રેયોગો ‘ભાત’, ‘વડાં’ અને ‘મૂઠ’ના સાહચર્યથી નિત્રંત્રિત થાય છે.

Relativism in criticism વિવેચનમાં સાપેક્ષવાદ

સાહિત્યિક વિવેચનક્ષેત્ર કૃતિમાં પ્રતિબિંબિત થતાં મૂલ્યો (Values) વિશે વિવેચક સીધી યા આડકતરી રીતે નિર્ણય આપતો હોય છે. મૂલ્યો વિશે વિવેચકોમાં જુદી જુદી માન્યતા પ્રવર્તે છે. કૃતિમાં પ્રતિબિંબિત થતાં મૂલ્યોને શાશ્વત વાસ્તવ (Permanent Reality)ના ભાગ તરીકે જોતા વિવેચક નિરપેક્ષતાવાદી (Absolutist) તરીકે ઓળખાય છે, જેઓ મૂલ્યોના સર્વસ્વીકૃત, સાર્વત્રિક અનુક્રમને અનુસરે છે. :સાપેક્ષવાદી (Relativist) વિવેચક મૂલ્યોને વ્યક્તિગત અનુભવો, માન્યતાઓના આધારે અથવા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તપાસે છે.—પહેલા પ્રકારનો વિવેચક વૈયક્તિક સાપેક્ષવાદ(Personal Relativism)ને અનુસરે છે; જ્યારે બીજા પ્રકારનો વિવેચક ઐતિહાસિક સાપેક્ષવાદ(Historical Relativism)ને અનુસરતો જણાય છે. વૈયક્તિક સાપેક્ષવાદી વલણમાં આત્મલક્ષિતાનો દોષ જોવા મળે છે જે ઐતિહાસિક સાપેક્ષવાદીમાં હોતો નથી. ઐતિહાસિક સાપેક્ષવાદી વિવેચક કૃતિ અને સર્જકના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેમાં પ્રતિબિંબિત મૂલ્યો વિશે નિર્ણય આપે છે.

Repartee નર્મસંવાદ

જુઓ : Wit.

Reportage અહેવાલ

પત્રકારત્વના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈક ઘટનાની લેખિત નોંધનું સૂચન કરે છે. આ પ્રકારના લખાણમાં ઉપયોગમાં લેવાતી શૈલીને કથાસાહિત્યમાં પણ વિનિયોગ કરવામાં આવે છે.

Requiem નિવાપગાન

મૂળમાં મૃતાત્માને મળનારી શાંતિનો અર્થ અભિપ્રેત છે; શાંતિ માટેનું જ્ઞાન.

Review અવલોકન

સાહિત્યિક કૃતિની ગુણવત્તા પ્રસ્થાપિત કરી આપતો ટૂંકો આલેખ. આ પ્રકારે લખાતા આસ્વાદમૂલક લેખોમાં વિવેચન લેખ જેટલું ઊંડાણ હોતું નથી. સાહિત્યકૃતિ ઉપરાંત ફિલ્મ, નાટક વગેરેનાં અવલોકનો પણ થાય છે.

Rhapsody આશુગાન

શરૂમાં મહાકાવ્યના એક ઘટકના અર્થમાં પ્રયોજાતી આ સંજ્ઞા હવે એક બેઠકે ગવાતી પદ્યરચના માટે પ્રયોજાય છે. આશુગાનની લાક્ષણિકતા એ છે કે તેમાં સ્વરૂપગત વ્યવસ્થાને સ્થાને ભાવ-સાતત્યને વધારે મહત્ત્વ અપાય છે. ઉપરાંત તેમાં આત્યન્તિક ભાવોનું નિરૂપણ કરવામાં આવે છે અને તેનું સર્જન શીઘ્રકાવ્યની પદ્ધતિએ કરવામાં આવે છે. આ રચનાઓનો ગાયક આશુગાયક (Rhapsodist) તરીકે ઓળખાય છે.

Rhetoric વાગ્મિતા

શબ્દ-સંયોજન કલા. આ દ્વારા સંબોધનાત્મક ભાષા-અભિવ્યક્તિ વધુ અસરકારક બનાવવામાં આવે. ભાષાના વિશિષ્ટ વિનિયોગની આ કલા સંભાષણ-શૈલીમાં પ્રયોજવામાં આવે છે. ઉદાત્ત (Sublime) વિષયવસ્તુ ધરાવતી સાહિત્યિક કૃતિઓ—ગ્રીક ટ્રેજડી નાટકો-માં આ કલાનો વિનિયોગ થયેલો જોવા મળે છે.
વાગ્મિતા કલાનું સૈદ્ધાન્તિક સ્વરૂપ તે વાગ્મિતાશાસ્ત્ર (Rhetorics).

Rhyme પ્રાસ

કાવ્યની એક પંક્તિના અન્ય શબ્દનું કાવ્યની અન્ય પંક્તિના અંત્ય શબ્દ સાથેનું ધ્વનિસામ્ય. બીજી રીતે કહીએ તો પંક્તિઓના અંતિમ ધ્વનિઓની સમાન્તરતા. પદ્ય સહેલાઈથી સ્મૃતિમાં ટકે એ માટે પ્રાસ સહાયક બને છે. પરંતુ પ્રાસની કાવ્ય અંતર્ગત કામગીરી મહત્ત્વની છે. પ્રાસ પદ્યને સંકલિત રાખે છે, સાથે સાથે ધ્વનિસામ્યને કારણે સૌન્દર્યપરક તૃપ્તિનું કારણ બને છે.

Rhythm લય, તાલ

શ્રાવ્ય તરેહોનું, શ્રાવ્ય ઘટકોની અમુક ગોઠવણીનું નિયમિત આવર્તન. લયને સંપ્રત્યય સંગીતની જેમ નૃત્ય અને સાહિત્યના ક્ષેત્રમાં જાણીતો છે. જર્મન વિવેચક ઓટો બૅન્શના મત મુજબ લયતંત્ર એ અમુક અર્થમાં કલાનું તર્કતંત્ર જ છે.

Riddle ઉખાણું, પ્રહેલિકા, સમસ્યા

મધ્યકાળમાં અત્યંત પ્રચલિત સાહિત્યસ્વરૂપ. વિધાનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હોય કે એના અર્થને પામવા કે ઉકેલવા માટે બુદ્ધિચાતુર્યનો કે મૌલિકતાનો ઉપયોગ કરવો પડે. ટૂંકમાં, સમસ્યાપૂર્ણ ઉક્તિ કે કથન.
જેમ કે, હરીન્દ્ર દવેના ‘ઉખાણા’ની પંક્તિઓ જુઓ :

‘મગથી ઝીણાં મરી ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ!
તને દઉ હૈયાની ઠકરાત.

Rising Action ક્રિયાચઢાવ

આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે.
જુઓ : Catastrophe, Plot.

Romance સાહસકથા

મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો.
અંગ્રેજીમાં ‘રૉમેન્સ’ શબ્દ ‘સ્પેનિશ બેલડ’ના છંદને ઓળખવા માટે પણ પ્રયોજાય છે.

Romanticism રંગદર્શિતાવાદ

અઢારમી સદીના અંતભાગમાં યુરોપીય સાહિત્યકારોએ જૂની સાહિત્યિક પ્રણાલીઓનો વિરોધ કરી બુદ્ધિવાદને સ્થાને સાહિત્યમાં ભાવના, રહસ્ય વગેરે અંતઃપ્રેરિત તત્ત્વોનો પુરસ્કાર કર્યો તેમાંથી રંગદર્શિતાવાદનો ઉદ્‌ભવ થયો. માનવજીવન અને કુદરતના સંબંધને પણ આ વાદમાં મહત્ત્વનું સ્થાન અપાયું. વડર્‌ઝવર્થ, શેલી કિટ્‌સ વગેરે આ વાદના પ્રણેતાઓ હતા. આ વાદની અસર નીચે આધુનિક ઊર્મિકવિતાનું વિશેષ ખેડાણ થયું. ગુજરાતી ઊર્મિકાવ્યના વિકાસમાં પણ આ યુરોપીય વાદનો ઊંડો પ્રભાવ છે. ન. ભો. દિવેટિયા, કલાપી વગેરેએ આ વાદનો પ્રભાવ ઝીલ્યો છે.

Round Character સંકુલ પાત્ર

રૂઢ પાત્રની વિરુદ્ધના પાત્રનું સૂચન આ સંજ્ઞામાં છે. અહીં સાહિત્યકૃતિમાં મળતા એવા પાત્રનો નિર્દેશ છે જે પોતાની લાક્ષણિકતાઓને લીધે સમાન પરિસ્થિતિમાં નિરૂપાયેલા અન્ય પાત્રોથી અલગ તરી આવતું હોય તથા જીવંત અને પ્રતીતિકર લાગતું હોય. સંસ્કૃત નાટકોમાં વિદૂષક રૂઢપાત્ર છે, તો નાટકનો નાયક સંકુલ પાત્ર છે.

Rubaiyat રૂબાઈયાત

ચતુષ્પદી શ્લોકોનો સંગ્રહ. પર્શિયન કવિ ઉમર ખય્યામ રચિત રૂબાઈયાતનો અંગ્રેજી અનુવાદ એડવર્ડ ફિટ્‌સજેરલ્ડ દ્વારા થયો છે. આ અનુવાદથી રૂબાઈયાત વિશ્વસાહિત્યમાં પ્રચલિત બની. ઉમર ખય્યામના સંગ્રહની અસર નીચે ભારતની ભાષાઓમાં પણ રૂબાઈઓ લખાઈ છે. શૃંગાર અને વિરહ આ પ્રકારની રચનાની મુખ્ય સામગ્રી ગણાય છે.

Run-on-line શ્લોકભંગ

જુઓ : Enjambment.