ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 22: Line 22:
આ ઉપરાંત ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’ (1956) અને ‘ગૌતમ બુદ્ધ’ (1966) અનૂદિત ગ્રંથો છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (1970) અને ‘મારી હકીકત’ (1983) મુખ્ય છે. તેમણે અન્યના સહકારમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર’ (પુ. 10) (1952), ‘આપણાં ખંડકાવ્યો’ (1958), ‘ચંદ્રહાસ આખ્યાન’ (1961) તથા ‘કાવ્યસંચય–2’ (1981) જેવાં સંપાદનો આપ્યાં છે. તેમણે શિષ્ટ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયેલ લેખોની અભ્યાસોપયોગી સૂચિ અને ટિપ્પણી ધરાવતા ગ્રંથો આપવાની પહેલ કરી છે. ‘સુદર્શન અને પ્રિયંવદા’ ગુજરાત યુનિવર્સિટીની સહાયથી અને ‘જ્ઞાનસુધા’ તથા ‘સમાલોચક’ ગુજરાત સાહિત્ય અકાદમીની ફેલોશિપના ફળસ્વરૂપે તૈયાર થયેલા એ પ્રકારના ગ્રંથો છે. એ રીતે તેમણે ગુજરાતી ‘અભિનેય નાટકો’ની વસ્તુપાત્રાદિ વિગતો સહિત સૂચિ તૈયાર કરેલી તે વડોદરાની મ. સ. યુનિવર્સિટી તરફથી 1958માં પ્રગટ થયેલી. એ પુસ્તક પણ તે પ્રકારનું આગવું ગણાય તેવું કાર્ય છે. આયુષ્યના અવશેષે એમણે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાની ભગીરથ જવાબદારી ઉપાડી અને તે સફળતાથી પાર પાડી. તેના પરિણામસ્વરૂપે ‘ગુજરાતી વિશ્વકોશ’નો ભૂમિકાખંડ (1987) તથા તે પછીના એકથી પચીસ ખંડ (1987, 1989 – 2009) પ્રકાશિત થયા છે. આ પ્રકારે અન્ય કોશગ્રંથોનું કામ એમના ર્દષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ પછીથી ચાલતું રહ્યું છે.
આ ઉપરાંત ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’ (1956) અને ‘ગૌતમ બુદ્ધ’ (1966) અનૂદિત ગ્રંથો છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (1970) અને ‘મારી હકીકત’ (1983) મુખ્ય છે. તેમણે અન્યના સહકારમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર’ (પુ. 10) (1952), ‘આપણાં ખંડકાવ્યો’ (1958), ‘ચંદ્રહાસ આખ્યાન’ (1961) તથા ‘કાવ્યસંચય–2’ (1981) જેવાં સંપાદનો આપ્યાં છે. તેમણે શિષ્ટ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયેલ લેખોની અભ્યાસોપયોગી સૂચિ અને ટિપ્પણી ધરાવતા ગ્રંથો આપવાની પહેલ કરી છે. ‘સુદર્શન અને પ્રિયંવદા’ ગુજરાત યુનિવર્સિટીની સહાયથી અને ‘જ્ઞાનસુધા’ તથા ‘સમાલોચક’ ગુજરાત સાહિત્ય અકાદમીની ફેલોશિપના ફળસ્વરૂપે તૈયાર થયેલા એ પ્રકારના ગ્રંથો છે. એ રીતે તેમણે ગુજરાતી ‘અભિનેય નાટકો’ની વસ્તુપાત્રાદિ વિગતો સહિત સૂચિ તૈયાર કરેલી તે વડોદરાની મ. સ. યુનિવર્સિટી તરફથી 1958માં પ્રગટ થયેલી. એ પુસ્તક પણ તે પ્રકારનું આગવું ગણાય તેવું કાર્ય છે. આયુષ્યના અવશેષે એમણે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાની ભગીરથ જવાબદારી ઉપાડી અને તે સફળતાથી પાર પાડી. તેના પરિણામસ્વરૂપે ‘ગુજરાતી વિશ્વકોશ’નો ભૂમિકાખંડ (1987) તથા તે પછીના એકથી પચીસ ખંડ (1987, 1989 – 2009) પ્રકાશિત થયા છે. આ પ્રકારે અન્ય કોશગ્રંથોનું કામ એમના ર્દષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ પછીથી ચાલતું રહ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|||'''— ચન્દ્રકાન્ત શેઠ'''<br>[https://gujarativishwakosh.org/ઠાકર-ધીરુભાઈ-પ્રેમશંકર/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}
{{સ-મ|||'''–ચન્દ્રકાન્ત શેઠ'''<br>[https://gujarativishwakosh.org/ઠાકર-ધીરુભાઈ-પ્રેમશંકર/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>'''ઇન્દ્રવદન કાશીનાથ દવે'''</center>
<center>'''ઇન્દ્રવદન કાશીનાથ દવે'''</center>
[[File:Indravadan Kashinath Dave.jpg|center|200px]]<br>
[[File:Indravadan Kashinath Dave.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇન્દ્રવદન કાશીનાથ દવે
ઇન્દ્રવદન કા. દવેનો જન્મ પંચમહાલ જિલ્લાના શહેરા મુકામે થયો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શહેરા અને અમદાવાદમાં મેળવ્યું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી તેમણે બી.એ.ની પદવી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષય સાથે પ્રાપ્ત કરેલી. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ ગુજરાત કૉલેજમાં ગુજરાતી વિષયના ફેલો તરીકે જોડાઈને કર્યો. ત્યાર બાદ તેઓ અમદાવાદ, પોરબંદર અને કપડવંજની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને છેલ્લે જંબુસર કૉલેજમાં આચાર્ય તરીકે રહી સેવાનિવૃત્ત થયા. તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના ચૅરમૅન અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન પણ રહ્યા. તેમનું ભરૂચ ખાતે અવસાન થયું. ગુજરાતી સાહિત્યમાં વિવેચક, સંશોધક અને સંપાદક તરીકેની તેમની કામગીરી રહી છે.
 
તેમનો શોધપ્રબંધ 'કલાપી : એક અધ્યયન' (૧૯૬૯) અભ્યાસીઓને ઉપયોગી બન્યો છે, તે ઉપરાંત 'ઉપાસના' (૧૯૭૧), 'કલાપીના ચાર સંવાદો' (૧૯૭૫) જેવા વિવેચનસંગ્રહો અને 'ગ્રંથ અને ગ્રંથકાર-૧૦' (ધીરુભાઈ ઠાકર સાથે, ૧૯૫૨) અને 'કલાપી-જીવન અને કવન' (સુહાસી સાથે ૧૯૭૦) જેવા સંપાદનના ગ્રંથો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 'કલાપીનો કેકારવ' (૧૯૫૯) 'અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭) અને 'સુદામાચરિત' (૧૯૬૭) જેવાં સ્વતંત્ર સંપાદનો પણ તેમની પાસેથી મળે છે. 'કલાપીનો કેકારવ'માં તેમનો વિસ્તૃત ઉપોદ્ઘાત અને વિવરણ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે મુજબ મુકાયાં છે. સવિશેષ 'કલાપી'ના અભ્યાસી તરીકેની વિશેષ મુદ્રા તેમના વાઙ્મયમાંથી બહાર આવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Right|'''–ભગીરથ બ્રહ્મભટ્ટ'''}}<br>
{{center|✼ ✼ ✼}}
{{center|✼ ✼ ✼}}
<br>
<br>