મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 28: Line 28:
:*[https://heyzine.com/flip-book/ba160982fc.html મકરન્દ-મુદ્રા (સુરેશ દલાલ)]
:*[https://heyzine.com/flip-book/ba160982fc.html મકરન્દ-મુદ્રા (સુરેશ દલાલ)]
:*[https://heyzine.com/flip-book/578dae3aff.html અમેરિકાનો ચિરંતન ચહેરો]
:*[https://heyzine.com/flip-book/578dae3aff.html અમેરિકાનો ચિરંતન ચહેરો]
:*[ ગુલાલ અને ગુંજાર]
:*[https://heyzine.com/flip-book/a5db39b070.html ગુલાલ અને ગુંજાર]
:*[[ભજનરસ]]
:*[[ભજનરસ]]
:*સત કેરી વાણી
:*[https://heyzine.com/flip-book/03eb5686d0.html સત કેરી વાણી]
:*[https://heyzine.com/flip-book/b12e1fb5c6.html હવાબારી]
:*[https://heyzine.com/flip-book/b12e1fb5c6.html હવાબારી]
:*[https://heyzine.com/flip-book/b9680ec89f.html ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧]
:*[https://heyzine.com/flip-book/b9680ec89f.html ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧]


'''નવલકથા'''
'''નવલકથા'''
:*માટીનો મહેકતો સાદ
:*[https://heyzine.com/flip-book/0ec0501344.html માટીનો મહેકતો સાદ]
:*[https://heyzine.com/flip-book/6fb01cb021.html સૂર્યની આમંત્રણ પત્રિકા]
:*[https://heyzine.com/flip-book/6fb01cb021.html સૂર્યની આમંત્રણ પત્રિકા]


Line 41: Line 41:
:*[https://heyzine.com/flip-book/8c5e300dff.html પીડપરાઇ]
:*[https://heyzine.com/flip-book/8c5e300dff.html પીડપરાઇ]
:*[https://heyzine.com/flip-book/032f25e890.html આભલાં]
:*[https://heyzine.com/flip-book/032f25e890.html આભલાં]
:*પ્રભાત ગોષ્ઠિ
:*[https://heyzine.com/flip-book/fca0673ec1.html પ્રભાત ગોષ્ઠિ]
:*પથદીપ
:*પથદીપ
:*[[આચમની]]
:*[[આચમની]]
:*સંનિહિતા
:*[https://heyzine.com/flip-book/eed6f749b1.html સંનિહિતા]


'''પત્રો'''
'''પત્રો'''
Line 61: Line 61:
:*[https://heyzine.com/flip-book/fd9bc8764f.html લઘુસ્તવ (મૂળકૃતિ, સમશ્લોકી અનુવાદ તથા શ્રી બાલાનંદિની ટીકા)] (૨૦૧૮)
:*[https://heyzine.com/flip-book/fd9bc8764f.html લઘુસ્તવ (મૂળકૃતિ, સમશ્લોકી અનુવાદ તથા શ્રી બાલાનંદિની ટીકા)] (૨૦૧૮)
:*[https://heyzine.com/flip-book/05e7c8bb41.html ગરુડપુરાણ (તાત્વિક અર્થઘટન)]
:*[https://heyzine.com/flip-book/05e7c8bb41.html ગરુડપુરાણ (તાત્વિક અર્થઘટન)]
:*માંડુક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન)
:*[https://heyzine.com/flip-book/48ba527c46.html માંડૂક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન)]
:*[https://heyzine.com/flip-book/01d47ddf03.html દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન)]
:*[https://heyzine.com/flip-book/01d47ddf03.html દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન)]


Line 70: Line 70:
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ
:*[https://heyzine.com/flip-book/c13fd35c8b.html સહજને કિનારે]
:*[https://heyzine.com/flip-book/c13fd35c8b.html સહજને કિનારે]
:*ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)
:*[https://heyzine.com/flip-book/5812c06315.html ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)]
:*ચિદાનંદા
:*[https://heyzine.com/flip-book/d4c02684b8.html ચિદાનંદા]
:*[https://heyzine.com/flip-book/1e9917f26f.html બ્રહ્મવીણા]
:*[https://heyzine.com/flip-book/1e9917f26f.html બ્રહ્મવીણા]
:*તપોવનની વાટે
:*[https://heyzine.com/flip-book/5e37cf4323.html તપોવનની વાટે]
:*[https://heyzine.com/flip-book/e6c4fb0e5c.html વિશ્વચેતનાના વણઝારા]
:*[https://heyzine.com/flip-book/e6c4fb0e5c.html વિશ્વચેતનાના વણઝારા]
:*[https://heyzine.com/flip-book/40b1418fa9.html જનમ જનમની કૂંચી]
:*[https://heyzine.com/flip-book/40b1418fa9.html જનમ જનમની કૂંચી]
Line 82: Line 82:
:*[https://heyzine.com/flip-book/eca2429d0b.html ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)]
:*[https://heyzine.com/flip-book/eca2429d0b.html ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)]
:*[https://heyzine.com/flip-book/cd6d2879af.html વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ]
:*[https://heyzine.com/flip-book/cd6d2879af.html વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ]
:*અશ્વમેધ યજ્ઞ
:*[https://heyzine.com/flip-book/ff2b0f74aa.html અશ્વમેધ યજ્ઞ]


'''મુલાકાત'''
'''મુલાકાત'''
Line 102: Line 102:


'''મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન'''
'''મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન'''
:*સાંઇ કેરી વાણી
:*[https://heyzine.com/flip-book/4b2b0767c6.html સાંઇ કેરી વાણી]


'''ઉપાસના'''
'''ઉપાસના'''

Revision as of 14:13, 24 March 2026

મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ
Makrand-Dave.jpg


દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.

‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.

એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.

‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.

પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.

— રમણિકભાઈ જાની
(‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર)

શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો

કાવ્ય, ભજન

નવલકથા

આધ્યાત્મિક, વાર્તા, ગોષ્ઠિ

પત્રો

મકરન્દ દવે એ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો

આધ્યાત્મિક પુસ્તકો

મુલાકાત

અંગ્રેજીમાં પુસ્તકો

  • Bhaktamar
  • Shiva (The light of lights)
  • Mother liberty
  • Prometheous
  • Yoga Of Marriage

પુસ્તકો હિન્દીમાં

  • ગર્ભદીપ
  • તપોવન કે પથ પર
  • વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
  • સૂર્ય કા આમંત્રણ

મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન

ઉપાસના