સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શી ખોટ?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 10:46, 19 April 2026

૩. શી ખોટ?

રામપ્રસાદ શુક્લ

તારે જો બેસવાને જનસમૂહ વિષે એક ખૂણો ય લાધે,
ગાવા બે ચાર ગીતો ઘડીક પણ મળે તાલ વ્હેતા ઝરાનો,
સૂવાને ગોદડી જે મહીંથી નિરખવાં ઘૂમતાં વ્યોમ ચક્રો,
ખાવાને રોટલા બે, જીવન મહીં પછી ખોટ શી, ભાઈ, તારે
કે તું રે ના વહાવે જીવનરસ દુ:ખો સૃષ્ટિનાં ફેડવાને?

સ્વાધ્યાય

૧. ‘આંધી’માં મુખ્ય વિચારનો પ્રવાહ કઈ પંક્તિ આગળ વળાંક ખાય છે તે જણાવો.
૨. કવિએ કઈ કઈ ઉત્પ્રેક્ષા અને પુનરુક્તિ વાપરી છે તેનો નિર્દેશ કરો.
૩. ઉત્ક્રાન્તિની સવારીનું વર્ણન કરો, કવિ એને માંગલ્યભર્ત્રી તરીકે કેમ વર્ણવે છે?
૪. ‘આભાસશાન્તિ’ એટલે કઈ શાન્તિ? કોઈ પરાધીન પ્રજાના જીવનમાં જે શાન્તિ પ્રવર્તતી હોય તે ‘આભાસશાન્તિ’ કહેવાય? કવિની ‘સત્-શાન્તિ’ની કલ્પના શી છે? ‘સ્મશાન-શાન્તિ’— એ પ્રયોગ તમે સાંભળ્યો છે?
૫. સ્વપ્નાની ચોટ વાગતાં કવિને લાભ થાય છે કે હાનિ તે બતાવો.
૬. ‘શી ખોટ?’નો અર્થ સમજાવો.