નારીસંપદાઃ નાટક/પ્રસ્તાવના: Difference between revisions
+1 |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 20: | Line 20: | ||
લેખિકાઓ દ્વારા લખાયેલાં નાટકોમાં રાજેશ્વરી પટેલનું ‘સંજીવની જળ—છળ’ નોખી ભાતની રચના છે. કૉલેજની નાટ્યધારામાં ભજવવા માટે રવીન્દ્રનાથના વિદાય—અભિશાપને આધારે રાજેશ્વરી પટેલે ‘સંજીવની’ નામે એકાંકી લખ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. દરમિયાન યયાતિને કેન્દ્રમાં રાખીને રચાયેલા ભારતીય સાહિત્યના અભ્યાસના ફળસ્વરૂપ એકાંકીએ ત્રણ અંકના નાટકનો વિસ્તાર સાધ્યો, કચ—દેવયાનીના સંબંધની સાથે આધિપત્ય માટે સત્તાલાલસા સંતોષવા રચાતાં પ્રપંચ—છળ—કપટ આંખ સમક્ષ આવવા લાગ્યાં અને દેવ—દાનવ—માનવના વેશમાં ખેલાતાં છળને આ નાટકમાં દેહ મળ્યો. ‘નાટક’ સામયિકમાં ઈ. ૨૦૨૦માં તથા પછીથી ઈ. ૨૦૨૧માં એ પુસ્તકરૂપે પ્રગટ થયું. પુરાકલ્પનને માધ્યમ બનાવીને માનવ—દાનવ—દેવની લાલસાઓને અભિવ્યક્તિ આપતા આ નાટકની રજૂઆત દિગ્દર્શક માટે પડકારરૂપ છે. અરણ્ય, પૌરાણિક પરિવેશ, રાજમહેલ વગેરે ઊભાં કરવાં, દૃશ્ય પલટાઓ સાથે બદલાતો પરિવેશ, અને સમકાલીન જીવન સાથે એનું સંધાન કરતું જવું સરળ નથી. પરંતુ નાટક સાથે મુકાયેલી તસવીરો દર્શાવે છે કે આ નાટક સફળતાથી ભજવાયું છે. આની એક લાક્ષણિકતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે, અહીં થયેલો કોરસનો ઉપયોગ. ગ્રીક નાટકોમાં તથા આપણી પ્રાયોગિક રંગભૂમિમાં જે રીતે કોરસ કથાને આગળ ધપાવવામાં સહાયભૂત થતું, અહીં પણ કોરસ સૂત્રધારની ભૂમિકા ભજવે છે. | લેખિકાઓ દ્વારા લખાયેલાં નાટકોમાં રાજેશ્વરી પટેલનું ‘સંજીવની જળ—છળ’ નોખી ભાતની રચના છે. કૉલેજની નાટ્યધારામાં ભજવવા માટે રવીન્દ્રનાથના વિદાય—અભિશાપને આધારે રાજેશ્વરી પટેલે ‘સંજીવની’ નામે એકાંકી લખ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. દરમિયાન યયાતિને કેન્દ્રમાં રાખીને રચાયેલા ભારતીય સાહિત્યના અભ્યાસના ફળસ્વરૂપ એકાંકીએ ત્રણ અંકના નાટકનો વિસ્તાર સાધ્યો, કચ—દેવયાનીના સંબંધની સાથે આધિપત્ય માટે સત્તાલાલસા સંતોષવા રચાતાં પ્રપંચ—છળ—કપટ આંખ સમક્ષ આવવા લાગ્યાં અને દેવ—દાનવ—માનવના વેશમાં ખેલાતાં છળને આ નાટકમાં દેહ મળ્યો. ‘નાટક’ સામયિકમાં ઈ. ૨૦૨૦માં તથા પછીથી ઈ. ૨૦૨૧માં એ પુસ્તકરૂપે પ્રગટ થયું. પુરાકલ્પનને માધ્યમ બનાવીને માનવ—દાનવ—દેવની લાલસાઓને અભિવ્યક્તિ આપતા આ નાટકની રજૂઆત દિગ્દર્શક માટે પડકારરૂપ છે. અરણ્ય, પૌરાણિક પરિવેશ, રાજમહેલ વગેરે ઊભાં કરવાં, દૃશ્ય પલટાઓ સાથે બદલાતો પરિવેશ, અને સમકાલીન જીવન સાથે એનું સંધાન કરતું જવું સરળ નથી. પરંતુ નાટક સાથે મુકાયેલી તસવીરો દર્શાવે છે કે આ નાટક સફળતાથી ભજવાયું છે. આની એક લાક્ષણિકતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે, અહીં થયેલો કોરસનો ઉપયોગ. ગ્રીક નાટકોમાં તથા આપણી પ્રાયોગિક રંગભૂમિમાં જે રીતે કોરસ કથાને આગળ ધપાવવામાં સહાયભૂત થતું, અહીં પણ કોરસ સૂત્રધારની ભૂમિકા ભજવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પ્રારંભિક | |previous = પ્રારંભિક | ||
|next = | |next = સંપાદક-પરિચય | ||
}} | }} | ||