ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પુરુષોત્તમ વિશ્રામ માવજી: Difference between revisions
+1 |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પુરુષોત્તમ વિશ્રામ માવજી}} | {{Heading|પુરુષોત્તમ વિશ્રામ માવજી}} | ||
[[File:Purushottam Vishram Mavji.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રાચીન ઈતિહાસના અભ્યાસી, પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીમાં આપણા ઈલાકાનો અજેડ તથા સમૃદ્ધ સંગ્રહ એકઠો કરનાર અને સાહિત્ય તેમજ કલાપ્રચાર માટે સક્રિય પ્રયત્નો કરનાર આ ગર્ભશ્રીમંત ગૃહસ્થનો જન્મ ઈ.સ.૧૮૭૯ના નવેમ્બરની ૧૧મી તારીખે, સંવત ૧૯૩૫ના આશ્વિન વદ ૧૨ના રોજ કાઠિયાવાડમાં દ્વારકા પાસે આવેલા વરવાળા ગામમાં તેમના વતનમાં ભાટિયા જ્ઞતિમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્રામ માવજી અને એમની અટક સંપટ, પરંતુ એઓ મથાળે દર્શાવેલા પિતા તથા દાદાના સંયુક્ત નામ સાથે જ ઓળખાતાં, એમનાં માતાનું નામ માણેકબાઈ. | પ્રાચીન ઈતિહાસના અભ્યાસી, પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીમાં આપણા ઈલાકાનો અજેડ તથા સમૃદ્ધ સંગ્રહ એકઠો કરનાર અને સાહિત્ય તેમજ કલાપ્રચાર માટે સક્રિય પ્રયત્નો કરનાર આ ગર્ભશ્રીમંત ગૃહસ્થનો જન્મ ઈ.સ.૧૮૭૯ના નવેમ્બરની ૧૧મી તારીખે, સંવત ૧૯૩૫ના આશ્વિન વદ ૧૨ના રોજ કાઠિયાવાડમાં દ્વારકા પાસે આવેલા વરવાળા ગામમાં તેમના વતનમાં ભાટિયા જ્ઞતિમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્રામ માવજી અને એમની અટક સંપટ, પરંતુ એઓ મથાળે દર્શાવેલા પિતા તથા દાદાના સંયુક્ત નામ સાથે જ ઓળખાતાં, એમનાં માતાનું નામ માણેકબાઈ. | ||
| Line 7: | Line 8: | ||
એમનો મુખ્ય વ્યવસાય તો વ્યાપાર અને ઉદ્યોગ, અને ઉદ્યોગોમાં મુખ્યત્વે મીલો સંબંધીનો. એ ઉપરાંત આજે ધીખતી ચાલતી દ્વારકાની પ્રચંડ અને વિખ્યાત સીમેન્ટ ફૅક્ટરીના મૂળ સ્થાપક અને સંયોજક પણ તેઓ જ હતા, અને પરદેશો સાથે પણ વ્યાપારનું વિશાળ ક્ષેત્ર એમણે યોજ્યું હતું. | એમનો મુખ્ય વ્યવસાય તો વ્યાપાર અને ઉદ્યોગ, અને ઉદ્યોગોમાં મુખ્યત્વે મીલો સંબંધીનો. એ ઉપરાંત આજે ધીખતી ચાલતી દ્વારકાની પ્રચંડ અને વિખ્યાત સીમેન્ટ ફૅક્ટરીના મૂળ સ્થાપક અને સંયોજક પણ તેઓ જ હતા, અને પરદેશો સાથે પણ વ્યાપારનું વિશાળ ક્ષેત્ર એમણે યોજ્યું હતું. | ||
ઇતિહાસ, રાજકારણ, સાહિત્ય, કલા, પુરાવસ્તુ (antiquities) અને શિલ્પસ્થાપત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા, પરંતુ તેમાંયે ઈતિહાસ અને કલા એમને વિશેષ પ્રિય હતાં, અને એ વિષેનું ઊંડું જ્ઞાન એમણે સંપાદન કર્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટી નામના વિખ્યાત વિદ્વન્મંડળના તેઓ એક અગ્રણી સભ્ય હતા. મહારાષ્ટ્રના ઇતિહાસના તેઓ અચ્છા અભ્યાસી ગણાતા અને પ્રાચીન ઇતિહાસ-અન્વેષણ તથા તેની સામગ્રીના સંગ્રહ પાછળ એમણે કરેલો દ્રવ્યવ્યય બીજા સંસ્કારી શ્રીમંતોને અનુકરણીય બને તેવો છે. ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીનો એમનો સંગ્રહ કોઈ પણ એક વ્યક્તિની માલિકીના સંગ્રહ તરીકે અજોડ કહી શકાય તેવો હતો. એ જોવાને આપણા દેશના તેમજ યુરોપ-અમેરિકાના અનેક ઇતિહાસ-કલાપ્રેમી વિદ્વાનો આવતા. એમના એ અણમોલ સંગ્રહસ્થાનનો એક મહત્ત્વનો ભાગ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમમાં છે, અને બીજો એમના પુત્ર પાસે છે. | ઇતિહાસ, રાજકારણ, સાહિત્ય, કલા, પુરાવસ્તુ (antiquities) અને શિલ્પસ્થાપત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા, પરંતુ તેમાંયે ઈતિહાસ અને કલા એમને વિશેષ પ્રિય હતાં, અને એ વિષેનું ઊંડું જ્ઞાન એમણે સંપાદન કર્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટી નામના વિખ્યાત વિદ્વન્મંડળના તેઓ એક અગ્રણી સભ્ય હતા. મહારાષ્ટ્રના ઇતિહાસના તેઓ અચ્છા અભ્યાસી ગણાતા અને પ્રાચીન ઇતિહાસ-અન્વેષણ તથા તેની સામગ્રીના સંગ્રહ પાછળ એમણે કરેલો દ્રવ્યવ્યય બીજા સંસ્કારી શ્રીમંતોને અનુકરણીય બને તેવો છે. ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીનો એમનો સંગ્રહ કોઈ પણ એક વ્યક્તિની માલિકીના સંગ્રહ તરીકે અજોડ કહી શકાય તેવો હતો. એ જોવાને આપણા દેશના તેમજ યુરોપ-અમેરિકાના અનેક ઇતિહાસ-કલાપ્રેમી વિદ્વાનો આવતા. એમના એ અણમોલ સંગ્રહસ્થાનનો એક મહત્ત્વનો ભાગ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમમાં છે, અને બીજો એમના પુત્ર પાસે છે. | ||
એ જ કલાપ્રેમે એમની પાસે કઢાવેલું મુંબઈનું જાણીતું | એ જ કલાપ્રેમે એમની પાસે કઢાવેલું મુંબઈનું જાણીતું ‘લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ પ્રેસ’ તથા તેનાં કલામય પ્રકાશનો તે જનતામાં બહુ ઊંડે સુધી એમનું નામ પ્રસારી ગયાં છે. આ ઇલાકામાં સચિત્ર સાહિત્યપ્રકાશનનો જ્યારે કેવળ અભાવ હતો એ કાળમાં 'સુવર્ણમાળા' નામનું સામયિક ચિત્રપ્રકાશન પ્રકટ કરવાનો અને તે પછી સુંદર ચિત્રોવાળાં શોભિત પુસ્તકો પ્રથમ બહાર પાડવાનો જશ પણ એમને વર્યો છે. | ||
અમદાવાદની છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમથી યોજાએલા કલાપ્રદર્શનને અધ્યક્ષસ્થાનેથી એમણે આ દેશની તળપદી કળાઓના અભ્યાસ અને સમુદ્ધાર વિષે મનનીય ભાષણ આપ્યું હતું; અને મુંબઈની બીજી સાહિત્ય પરિષદના સત્કાર-પ્રમુખ તરીકે પણ તેમણે વિદ્વત્તાભરેલો લેખ વાંચ્યો હતો. ત્રીજી સાહિત્ય પરિષદમાંનો ‘ઐતિહાસિક સાહિત્યનું સ્વરૂપ' નામનો નિબંધ પણ મનનીય છે. | અમદાવાદની છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમથી યોજાએલા કલાપ્રદર્શનને અધ્યક્ષસ્થાનેથી એમણે આ દેશની તળપદી કળાઓના અભ્યાસ અને સમુદ્ધાર વિષે મનનીય ભાષણ આપ્યું હતું; અને મુંબઈની બીજી સાહિત્ય પરિષદના સત્કાર-પ્રમુખ તરીકે પણ તેમણે વિદ્વત્તાભરેલો લેખ વાંચ્યો હતો. ત્રીજી સાહિત્ય પરિષદમાંનો ‘ઐતિહાસિક સાહિત્યનું સ્વરૂપ' નામનો નિબંધ પણ મનનીય છે. | ||
આ ઉપરાંત દક્ષિણ હિંદના પ્રસિદ્ધ શાસ્ત્રીજી શ્રી, ટી. સુબારાયા અનેકલ પાસેથી એમણે આપણાં જૂનાં વિજ્ઞાનનાં શાસ્ત્રોના પણ ઉતારા કરાવ્યા હતા. | આ ઉપરાંત દક્ષિણ હિંદના પ્રસિદ્ધ શાસ્ત્રીજી શ્રી, ટી. સુબારાયા અનેકલ પાસેથી એમણે આપણાં જૂનાં વિજ્ઞાનનાં શાસ્ત્રોના પણ ઉતારા કરાવ્યા હતા. | ||