ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કૃતિપરિચય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| કૃતિપરિચય | {{Heading| કૃતિપરિચય|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Revision as of 15:23, 25 August 2021
ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો : આઝાદીની લડત વખતે શ્રીધરાણી નાસિક જેલમાં હતા ત્યારે બિમાર પડતાં એમને હોસ્પિટલમાં દાખલ કરેલા. એ દરમ્યાન, સામાજિક રીતે ગુનેગાર ઠરેલા કેદીઓને મળવાનું બન્યું. એમની, રોમાંચ ખડાં કરી દેનારી હૃદયદ્રાવક જીવન-કથનીઓ સાંભળી એ એમના સ્મરણમાં છપાઈ ગઈ. જેલમાંથી છૂટતાં જ આ સત્ય ઘટનાઓને આધારે એમણે એક ટૂંકી (ગુજરાતી) નવલકથા લખી — ‘ઇન્સાન મિટા દૂંગા. ખરેખર તો એને લાંબી કથા કે વાર્તા જ કહેવી જોઈએ. આ વાર્તામાં વિવિધ વ્યક્તિ-પાત્રોની વેદનાની કથા લેખકે બહુ અભિનિવેશથી કહી છે. એ કારણે, એનું સત્ય ઘટનાના સીધા કથનનું રૂપ બંધાયું છે. એમાં તીવ્ર લાગણીનું નિરૂપણ છે, ક્યાંક હિંસાનું આલેખન છે, ભદ્ર સમાજના અન્યાયી વલણથી ગુનાખોરી તરફ વળેલાંની વ્યથાને આમાં વાચા મળી છે. એથી લેખકની પીડિતોના તરફદારની ભૂમિકા વધુ રહી છે. પાત્ર-પ્રસંગલક્ષી 30 ઉપરાંત પ્રકરણોવાળી આ દીર્ઘ કથા પછી એમણે બીજી 8 કથાઓ લખી છે એ ટૂંકી રચનાઓ છે. એ વાર્તાઓ ધૂમકેતુ લખતા એવી લાગણીકેન્દ્રી રંગદર્શી વાર્તાઓ છે. શહેરમાં જઈને રોગનો ભોગ બનતો યુવાન, ગામડામાં પ્રવેશતી શહેરીકરણની વિકૃતિ, અકસ્માત-પરંપરાથી ઊપસતી અતિ-ઊમિર્લતા આ વાર્તાઓના ઘટના-અંશો છે. એની વચ્ચે, ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત પાત્રનાં વિચાર અને કાર્ય વચ્ચેનો વિસંવાદ આલેખતી ‘બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ! વધુ સુવાચ્ય અને રસપ્રદ છે.
આ બધી જ વાર્તાઓ, ગુજરાતીમાં ટૂંકી વાર્તા ગજું કાઢતી હતી એ સમયગાળામાં લખાયેલી છે. અલબત્ત, શ્રધરાણીની સર્જકતાનો એને ઓછો લાભ મળેલો છે. છતાં, એક સર્જકની રંગદર્શી કથાઓ તરીકે એ રસપ્રદ બનશે.— રમણ સોની