18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''આધુનિક કવિતામાં યુગચેતના'''}} ---- {{Poem2Open}} પહેલાં તો ‘યુગચેતના’ એ સંજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આધુનિક કવિતામાં યુગચેતના | સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલાં તો ‘યુગચેતના’ એ સંજ્ઞાને સ્પષ્ટ કરી લઈએ. છેલ્લા એકાદ દાયકાથી કેટલીક નવી સંજ્ઞાઓ કાવ્યવિવેચનમાં પ્રયોજાતી આવે છે. હવે આપણે ચિત્રકલ્પન અને શ્રુતિકલ્પન, કલ્પનોની તથા પ્રતીકોની વાત કરીએ છીએ. ‘લય’ના સંકેતની ફેરતપાસ કરીને એને વિશે વિચાર કરવાનો ઉત્સાહ વધ્યો હોય એમ દેખાય છે. ઇન્દ્રિયવ્યત્યયની પણ વાત છે. ‘યુગચેતના’ શબ્દ આપણે હજી હમણાં જ બનાવ્યો છે, કેટલાકને કદાચ એમ પણ લાગવાનો સમ્ભવ છે કે આપણા કવિનું કાઠું કદાચ આવી મોટી સંજ્ઞાને માટે જરા નાનું પડે. સમકાલીન સમાજ વિશેની અભિજ્ઞતા, સમકાલીન ચેતના – Social awareness વગેરેની વાતો કોઈ ને કોઈ રૂપે કાવ્યવિવેચનમાં ડોકાયા તો કરતી હતી. પણ ‘યુગચેતના’ એવી સંજ્ઞા યોજતાંની સાથે જ જાણે આપણે અંગદકૂદકો મારતા હોઈએ એવું લાગે છે. આમ તો કવિ ક્રાન્તદર્શી કહેવાતો આવ્યો છે. પણ હરકોઈ કવિને આપણે ક્રાન્તદર્શી કહી દેતા નથી. વળી સાચી કવિતા કાલાબાધિત છે એમ પણ કહેવાતું આવ્યું છે. છતાં કવિતાને ઘડનારાં ‘પરિબળો’ની યાદી ગોખનારો વિદ્યાર્થી કવિ પોતે જે કાળખણ્ડમાં જીવે છે તેની કેવી અસર નીચે આવે છે તેનો પણ અહેવાલ આપતો હોય છે. આ અહેવાલની સામગ્રી કાવ્યમાંથી જ વીણીને એકઠી કરવામાં આવી હોય છે. જે કાવ્ય આવી સગવડ સહેલાઈથી પૂરી પાડે તે જેટલું સમાજશાસ્ત્રને માટે ઉપયોગી નીવડે તેટલું સાચા કાવ્યજ્ઞને ઉપયોગી નયે નીવડે, કારણ કે એમાં સામગ્રીનું પૂરેપૂરું કાવ્ય રૂપે રૂપાન્તર, કદાચ, થયું નથી હોતું. તો આ યુગચેતના તે વળી શી બલા છે? યુગનો ને ચેતનાનો સમાસ થઈ શકે? | પહેલાં તો ‘યુગચેતના’ એ સંજ્ઞાને સ્પષ્ટ કરી લઈએ. છેલ્લા એકાદ દાયકાથી કેટલીક નવી સંજ્ઞાઓ કાવ્યવિવેચનમાં પ્રયોજાતી આવે છે. હવે આપણે ચિત્રકલ્પન અને શ્રુતિકલ્પન, કલ્પનોની તથા પ્રતીકોની વાત કરીએ છીએ. ‘લય’ના સંકેતની ફેરતપાસ કરીને એને વિશે વિચાર કરવાનો ઉત્સાહ વધ્યો હોય એમ દેખાય છે. ઇન્દ્રિયવ્યત્યયની પણ વાત છે. ‘યુગચેતના’ શબ્દ આપણે હજી હમણાં જ બનાવ્યો છે, કેટલાકને કદાચ એમ પણ લાગવાનો સમ્ભવ છે કે આપણા કવિનું કાઠું કદાચ આવી મોટી સંજ્ઞાને માટે જરા નાનું પડે. સમકાલીન સમાજ વિશેની અભિજ્ઞતા, સમકાલીન ચેતના – Social awareness વગેરેની વાતો કોઈ ને કોઈ રૂપે કાવ્યવિવેચનમાં ડોકાયા તો કરતી હતી. પણ ‘યુગચેતના’ એવી સંજ્ઞા યોજતાંની સાથે જ જાણે આપણે અંગદકૂદકો મારતા હોઈએ એવું લાગે છે. આમ તો કવિ ક્રાન્તદર્શી કહેવાતો આવ્યો છે. પણ હરકોઈ કવિને આપણે ક્રાન્તદર્શી કહી દેતા નથી. વળી સાચી કવિતા કાલાબાધિત છે એમ પણ કહેવાતું આવ્યું છે. છતાં કવિતાને ઘડનારાં ‘પરિબળો’ની યાદી ગોખનારો વિદ્યાર્થી કવિ પોતે જે કાળખણ્ડમાં જીવે છે તેની કેવી અસર નીચે આવે છે તેનો પણ અહેવાલ આપતો હોય છે. આ અહેવાલની સામગ્રી કાવ્યમાંથી જ વીણીને એકઠી કરવામાં આવી હોય છે. જે કાવ્ય આવી સગવડ સહેલાઈથી પૂરી પાડે તે જેટલું સમાજશાસ્ત્રને માટે ઉપયોગી નીવડે તેટલું સાચા કાવ્યજ્ઞને ઉપયોગી નયે નીવડે, કારણ કે એમાં સામગ્રીનું પૂરેપૂરું કાવ્ય રૂપે રૂપાન્તર, કદાચ, થયું નથી હોતું. તો આ યુગચેતના તે વળી શી બલા છે? યુગનો ને ચેતનાનો સમાસ થઈ શકે? | ||
Line 17: | Line 18: | ||
હવે રહી વાત હતાશાની. નિર્ભ્રાન્તિ જે પારદર્શકતા સરજી આપે જે કવિને સ્વીકાર્યે જ છૂટકો. પછી નિર્ભીક બનીને એ પારદર્શકતા જે બતાવે તે જોવું જ રહ્યું. નિર્ભ્રાન્તિ એ નિર્ભીકને જ પ્રાપ્ત થાય એવું વરદાન છે. જો એને પરિણામે હતાશા આવતી હોય તો એનું મૂલ્ય પણ આપણે માટે ઘણું છે, પણ આપણો કવિ હતાશાને મોંમાં મમળાવ્યા કરે છે. એ અન્ધકાર, ઘુવડ ને સ્મશાનની વાત કરે છે. એ પણ ‘કલાપી’એ વર્ણવેલાં સ્મશાનો ઢૂંઢનારા વરવા જોગીઓ પૈકીનો જ છે, એ સૂર્યદ્વેષી છે એવું કહેવાતું સંભળાય છે. કેટલાક મુરબ્બીઓ એવી પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ અનિષ્ટનું મોજું જલદી શમી જાય તો સારું. પણ કવિતા પ્રત્યેનો આ ઉચિત દૃષ્ટિકોણ નથી. એમાં જેટલી ભીરુતા છે તેટલો વિવેક નથી, જેટલી આત્મતુષ્ટિ છે તેટલી સત્યનિષ્ઠા નથી. કવિ જે રચે છે તે કેવું રચાઈ આવે છે તે તપાસો. તે ગતાનુગતિક ન્યાયે ચાલતો હશે, કોઈ ફૅશનોને વશ વર્તીને ચાલતો હશે તો એની કવિતા જ એની ચાડી ખાશે. પણ દુર્ભાગ્ય એ છે કે જે નિષ્ઠાથી કવિતા પાસે જવું જોઈએ તે નિષ્ઠાથી આપણે જતા નથી ને દૂર રહ્યા રહ્યા ત્રાહિમામ્ ત્રાહિમામ્નો જાપ જપ્યા કરીએ છીએ. ત્રીસી ને એની પછીના દાયકાની કવિતામાં પોપટીઆ ઉચ્ચારણવાળી કવિતા નહોતી? એ કેમ આપણને એટલી અસહ્ય નથી લાગી? એમાં સદે એવી ભાવનાચુસ્તતા રહી હતી એ જ કારણ ને? આ કવિતામાં પણ બધું જ સો ટચનું છે એમ નહીં, પણ એ કાંઈક વધુ પ્રામાણિક, નિર્ભીક ને આત્મસંશોધનાત્મક બની છે. એ આત્મસંજ્ઞાને શુદ્ધ રાખવી હોય તો આત્મસંશોધન કવિએ કરવું જ રહ્યું. આજના કવિને મુખે જ આ નવી ભૂમિકાના પ્રારમ્ભની વાત સાંભળીએ: | હવે રહી વાત હતાશાની. નિર્ભ્રાન્તિ જે પારદર્શકતા સરજી આપે જે કવિને સ્વીકાર્યે જ છૂટકો. પછી નિર્ભીક બનીને એ પારદર્શકતા જે બતાવે તે જોવું જ રહ્યું. નિર્ભ્રાન્તિ એ નિર્ભીકને જ પ્રાપ્ત થાય એવું વરદાન છે. જો એને પરિણામે હતાશા આવતી હોય તો એનું મૂલ્ય પણ આપણે માટે ઘણું છે, પણ આપણો કવિ હતાશાને મોંમાં મમળાવ્યા કરે છે. એ અન્ધકાર, ઘુવડ ને સ્મશાનની વાત કરે છે. એ પણ ‘કલાપી’એ વર્ણવેલાં સ્મશાનો ઢૂંઢનારા વરવા જોગીઓ પૈકીનો જ છે, એ સૂર્યદ્વેષી છે એવું કહેવાતું સંભળાય છે. કેટલાક મુરબ્બીઓ એવી પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ અનિષ્ટનું મોજું જલદી શમી જાય તો સારું. પણ કવિતા પ્રત્યેનો આ ઉચિત દૃષ્ટિકોણ નથી. એમાં જેટલી ભીરુતા છે તેટલો વિવેક નથી, જેટલી આત્મતુષ્ટિ છે તેટલી સત્યનિષ્ઠા નથી. કવિ જે રચે છે તે કેવું રચાઈ આવે છે તે તપાસો. તે ગતાનુગતિક ન્યાયે ચાલતો હશે, કોઈ ફૅશનોને વશ વર્તીને ચાલતો હશે તો એની કવિતા જ એની ચાડી ખાશે. પણ દુર્ભાગ્ય એ છે કે જે નિષ્ઠાથી કવિતા પાસે જવું જોઈએ તે નિષ્ઠાથી આપણે જતા નથી ને દૂર રહ્યા રહ્યા ત્રાહિમામ્ ત્રાહિમામ્નો જાપ જપ્યા કરીએ છીએ. ત્રીસી ને એની પછીના દાયકાની કવિતામાં પોપટીઆ ઉચ્ચારણવાળી કવિતા નહોતી? એ કેમ આપણને એટલી અસહ્ય નથી લાગી? એમાં સદે એવી ભાવનાચુસ્તતા રહી હતી એ જ કારણ ને? આ કવિતામાં પણ બધું જ સો ટચનું છે એમ નહીં, પણ એ કાંઈક વધુ પ્રામાણિક, નિર્ભીક ને આત્મસંશોધનાત્મક બની છે. એ આત્મસંજ્ઞાને શુદ્ધ રાખવી હોય તો આત્મસંશોધન કવિએ કરવું જ રહ્યું. આજના કવિને મુખે જ આ નવી ભૂમિકાના પ્રારમ્ભની વાત સાંભળીએ: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મેં આજે ફરી વાર જોયું | મેં આજે ફરી વાર જોયું | ||
કે એકને એક વાત રહી રહીને તમારી આંખમાં ડોકાય છે. | કે એકને એક વાત રહી રહીને તમારી આંખમાં ડોકાય છે. | ||
Line 37: | Line 40: | ||
'''– ગુલામમોહમ્મદ શેખ''' | '''– ગુલામમોહમ્મદ શેખ''' | ||
{{ | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્યચર્ચા/કાવ્યમાં અદ્યતનતા|કાવ્યમાં અદ્યતનતા]] | |||
|next = [[કાવ્યચર્ચા/અર્વાચીન કાવ્યમાં શૂન્યતા|અર્વાચીન કાવ્યમાં શૂન્યતા?]] | |||
}} |
edits